Showing posts with label gujarat. Show all posts
Showing posts with label gujarat. Show all posts

13.5.24

ક્રોમોઝોમ ર - પ્રજાતિ


તમારી મમ્મીનો હાથ પકડો, તે તેમની મમ્મીનો હાથ પકડે અને એમ આગળ વધતાં જઈએ તો અમદાવાદથી માઉન્ટ આબુ (લગભગ ૨૨૬માઈલ) જેટલા અંતરે આપણે જેનો હાથ પકડ્યો હશે તે માણસ‌ અને ચિમ્પાન્ઝીને જોડતી કડીરૂપ હશે. 

આપણે ૯૮% ચિમ્પાન્ઝી છીએ અને ચિમ્પાન્ઝી ૯૭% ગોરિલા છે. 

તો, આ બે ટકાનો ફેર કેટલો? 
૧) શરીર પરથી વાળનો જથ્થો ઘટવો.
૨) ખુબ પરસેવો થવો.
૩) બે પગે ઊભા રહી ચાલવાની શારીરિક વ્યવસ્થામાં સુધાર 

આવું કેમ થયું? 

જેનો હાથ આબુમાં પકડેલો એ દાદી તેની બહેનથી છૂટી પડી ને એવા ભૌગોલિક સ્થળે તેણે રહેવાનું થયું જ્યાં 
૧) મેદાન પ્રદેશ હતો -- બે પગે ચાલવાની સરળતા 
૨) જ્યાં જંગલો ઓછાં ગાઢ હતાં - તાપથી બચવા પરસેવો 

ચિમ્પાન્ઝી વેજીટેરિયન હતા, નવા ભૌગોલિક સ્થાને ફળફળાદી પર ટકી જવું કદાચ મુશ્કેલ હતું. 
એટલે રચાઈ નીચે જેવી કારણ-કાર્યની શરીર પરિવર્તન અને વર્તન વિકાસની હારમાળા : 

• મીટ + નટ્સ (વીણેલાં બીજ) <----> પ્રોટીન યુક્ત ખોરાક, ભૂખમરાથી મુક્તિ <----> ખોરાક શોધ અને વહેંચણીમાં પોતાના ભાગ માટે ગણતરી <----> મોટું મગજ  

• કામની વહેંચણી <----> નરમાદાના કામની વહેંચણી , વહેંચીને ખાવા સામાજિક જૂથ બનવું <----> મોનોગોમી, કુટુંબ, સમાજ <----> પ્રાથમિક જરૂરિયાત સામાજિક ધોરણે સચવાઈ જતાં આગવી આવડત/તકનિક વિકસાવવાની તક/જરૂરીયાત.

આ બધો ઈતિહાસ બે રીતે ઉકેલી શકાયો:
• જીવાશ્મિ- ફોસીલ પરથી
• જીન પરથી 

૧૯૫૫ સુધી સમાજ અને જૈવશાશ્ત્રીઓ માનતા હતા કે માણસમાં ૨૪ જોડ ક્રોમોઝોમ છે. 
કારણકે ૧૯૨૧માં થીઓફેલસ પેઈન્ટરે 'આત્મવિશ્વાસ' સાથે પોતાના અવલોકનના પરિણામ તરીકે એમ કહ્યું/લખ્યું હતું. 
૨૪ ક્રોમોઝોમની આ વાત એટલી તો સ્વિકારાઈ ગયેલી કે જેમને જુદા જુદા સંશોધનોમાં ૨૩ જોડ ક્રોમોઝોમ દેખાયા એમણે પોતાને ખોટામાની સંશોધન આગળ ના ધપાવ્યાં.
માણસના પૂર્વજ એપ- બધા પ્રકારનામાં ક્રોમોઝોમની ૨૪ જોડ છે. 

છેક ૧૯૫૬માં- જો તીજો અને આલ્બર્ટ લેવાંએ , લગભગ ૩૦ વર્ષ પછી તે સમયની વધારે સારી સવલતો સાથે એ જોયું કે ક્રોમોઝોમની જોડ તો ૨૩ છે. 
ખરાઈ કરવા એમણે જૂનાં પુસ્તકોમાં ફોટા જોયા- ફોટામાં ૨૩ ક્રોમોઝોમ હતા પણ નીચે લખાણમાં ૨૪ લખેલા. 

પણ, આપણી દાદી તેની જે બહેનથી છૂટી પડી તેણે નાના સમૂહમાં રહેવાનું થયું અને એ નાના જૂથે જીવન ટકાવી રાખવા, આગળ વધારવા જે અનુકુલન - ઉપર શરૂઆતમાં નોંધ્યા છે તેવાં- કરવાનાં થયાં, તેના કારણે બે ક્રોમોઝોમે જોડાવું પડ્યું. 

આ બધું આપણા જનીનોમાં 'લખેલું' છે.
તે જોડાયેલો ક્રોમોઝોમ તેને સગવડ પૂરતો આપણે કહીએ છીએ ક્રોમોઝોમ ૨. 



ભાગ ૧: https://interact-6aya.blogspot.com/2024/05/blog-post.html


તા.ક. : ચાલતાંચાલતાં ઓડિયો બુક વંચાય ત્યારે અટકીને પેન્સિલથી નોંધ કરવાની, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર કરવાની તકનિકી સગવડ હજી ઉપલબ્ધ નથી થઈ ત્યારે થયું કે જે વાંચ્યું/સાંભળ્યું તેમાંથી જેટલું પલ્લે પડે એટલું લખી લઈએ. આ ચોપડી બે વાર વાંચેલી, એકવાર સાંભળીને હવે ચોથી વખત વાંચું છું - રિડલીના અર્થસભર કટાક્ષ ને શબ્દજૂથ મને ડાર્ક ચોકલેટનો સવાદ આપે છે. તથ્યો મરડાય નહીં એનું ધ્યાન રાખીને લખું છું છતાં, આ, ચોપડી આંખ સામે રાખીને કરેલો અનુવાદ નથી.


12.5.24

ક્રોમોઝોમ ૧ - જીવન

ક્રોમોઝોમ ૧ 

જીવન

બાઈબલના ગોસ્પેલ ઓફ જોનમાં છે: શરૂઆતમાં શબ્દ હતો. અને તે ઈશ્વર સાથે હતો. અને તે શબ્દ ઈશ્વર હતો. 


એથેઈસ્ટ મેટ રિડલી આ કોઠાસૂઝને પોતાના 'શબ્દો'માં આગળ વધારે છે: શરૂઆતમાં શબ્દ હતો. તેણે તેના સંદેશાથી દરિયાનું ધર્માંતરણ કરી નાખ્યું, થાક્યા વગર, અનંતકાળ સુધી પોતાની નકલો બનાવતાં રહીને. શબ્દે શોધી કાઢ્યું કે રસાયણોને કેમ કામમાં લેવાં જેથી અવ્યવસ્થાના વહેણમાં નાનકડા તંતુને તે જીવાડી શકે. શબ્દે જ આ ભૂમિને ધૂળિયા નરકમાંથી લીલુંછમ સ્વર્ગ બનાવી. શબ્દ ખીલ્યો અને છેવટે એવો તો બુદ્ધિશાળી બન્યો કે તેણે ગાઢી રાબ કહેતાં માનવ મગજ બનાવ્યું; એ ગાઢી રાબે શબ્દ શોધ્યો અને તેના હોવા અંગે સભાન બની.--- જ્યારે જ્યારે હું આ વાત વિચારું છું ત્યારે ત્યારે મારી ગાઢી રાબ બઘવાઈ જાય છે. 

(તા.ક. રિડલી જેવા લેખકો સંદર્ભ ખચિત લખતા હોય. તે જ્યારે ધર્માંતરણ કે રાબ જેવા શબ્દ વાપરે ત્યારે એના સંદર્ભ વિજ્ઞાનથી માંડી થિઓલોજીમાં ઝૂલતા હોય. રિડલી ધર્મના ખૂબ મોટા ક્રિટીક - વિરોધી રહ્યા છે. )

જીવન વૃક્ષ કહેતાં ટ્રી ઓફ લાઈફ કે માનવ વંશાવળીનું રેખાચિત્ર આપણે મોટાભાગે ખોટું જોયું છે - એક થડમાંથી નીકળતી શાખાઓ વાળું. આપણે હકિકતમાં ઘણાબધા પૂર્વજોના અનુભવો પછી 'ઊભા' થયા છીએ.

જીવન એકમાંથી અનેક થયું છે એ વાત એક રીતે સાચી હોવા છતાં આપણે જાતભાતનાં જીવોના વારસો છીએ તે પણ એટલું જ સાચું છે. 

આપણે બધા સાથે એક એવા તંતુથી જોડાયેલા છીએ જેનું કામ છે લગભગ પોતાના જેવો જ જીવ પેદા કરી જવો અને પોતાના જીવનમાં વ્યવસ્થા કેળવવી. 

શ્રોડિન્જરના શબ્દોમાં - જીવન એટલે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા પીનાર. 

જેમના 'વ્હોટ ઈઝ લાઈફ' પ્રવચનોથી પ્રેરણા મેળવનારામાંથી નોંધપાત્ર સંખ્યામાં નોબેલ જીતનારા બહાર પડ્યા તે શ્રોડિન્જર જીવનને માત્ર ક્વોન્ટમ ફિઝિક્સ સમજવાની ભૂલ કરી બેઠા.  

એવી જ રીતે કેનેડિયન કેમિસ્ટ એવરી જીવનના તંતુને માત્ર રસાયણ ધારી બેઠા. 

બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો તોડ શોધવામાં ગણિતજ્ઞ કાર્યરત એલન ટુરીંગે કહ્યું - અંકની મદદથી અંકની ગણતરી કરી શકાય. 

અને અમેરિકામાં ક્લાઉડ શેનને કહ્યું કે માહિતી (ઇન્ફોર્મેશન) અને અવ્યવસ્થા(એન્ટ્રોપી) એક સિક્કાની બે બાજુ છે- ઊર્જા સંદર્ભે. એક મશીનમાં ઓછી એન્ટ્રોપી મતલબ તેમાં માહિતી વધારે છે અને એટલે તે ઊર્જા વાપરી શકે, ઊર્જાનું રૂપાંતર કરી શકે છે. 

ટુરિગ અને શેનનના અભ્યાસ કે વિચારના દાયરામાં 'જીવન' કહેતાં બાયોલોજી નહોતું પણ એમની સૂઝ પેલા તંતુને સમજવાની નજીક હતી. 

વિશ્વભરની સંસ્કૃતિઓમાં ઈંડામાં મરઘી, બીજમાં વૃક્ષ જોવાના સંદર્ભો જોવા મળે છે. પણ, એના બંધારણની શોધ વોટસન, ક્રિક, વિલ્કિન્સન અને ફ્રેંકલિને કરી. 

ડી.એન.એ. 
જીવનની માહિતી.

શબ્દ બ્રહ્મ.

જીવનને ટકાવવા, આગળ વધારવા જરૂરી પ્રક્રિયાઓ કરવી (મેટાબોલિઝ્મ) અને જીવન વિષયક માહિતી સાચવવી (રેપ્લિકેશન).

ત્રણ અખ્ખરની ગૂંથણીથી બનેલી કુંતલાકાર, દાદર જેવી રચના. 

જીવનનું રહસ્ય એટલી સરળ ભાષામાં લખાયેલું છે -- a, c, g, t એમ ચાર જ અક્ષર વડે -- કે બહું ઓછાં લોકો તેનું અનુમાન કરી શક્યા.‌  

જેમાંના એક તે એરસમસ ડાર્વિન 

દાદુ ચાર્લ્સ ડાર્વિનના દાદા.
કવિ, ફિલોસોફર ને દાક્તર. 
છેક ત્યારે પ્રશ્ન કરી ગયેલા -- દરિયાના પેટાળથી માંડીને ભૂખંડે વિસ્તરેલા જૈવ વિસ્તારમાં એકસમાન તંતુ છે!

આપણા ર૩ ક્રોમોઝોમને મોટેથી નાના એમ ક્રમમાં ગોઠવીએ તો જે સૌથી મોટો છે-જેને સગવડ પૂરતું ક્રોમોઝોમ ૧ નામ આપીએ- તેના મોટા હાથમાં ૧૨૦ શબ્દોનો એક સમૂહ છે જે બીજા નકામા શબ્દો વચ્ચે પૂનરાવર્તિત થયા કરે છે. આ 'શબ્દ' , આ નાનકડો પણ લગભગ સૌથી વધારે સક્રિય જીન સતત આરએનએમાં પરિવર્તન પામે છે અને કેટલીક પ્રક્રિયાઓ પછી રાઈબોઝોમમા પહોંચે છે -તે 5SrNA રાઈબોઝોમના બંધારણને ટકાવી પ્રોટિન બનાવવાની પ્રક્રિયા માટે મહત્વના છે. 

જીનનું કામ છે પ્રોટિન બનાવવાનું અને પ્રોટિનનું કામ છે ડીએનએની નકલ કરવાનું. રસોયા અને રેસિપી જેવું.

તો પહેલાં શું આવ્યું - પ્રોટિન કે ડીએનએ?
પેલો પહેલો શબ્દ શું - પ્રોટિન કે ડીએનએ?

આપણા જીવન તંતુનો પહેલો શબ્દ ડીએનએ નહીં, આરએનએ છે -- કેમકે પોતાની અદ્લ નકલ કરવાનું કામ એ કરતું આવ્યું છે. પણ, આરએનએની મર્યાદા છે કે તે ટૂંકા જ રહી શકે, મોટા થવા જતા એની ભાષા ગરબડાઈ જાય છે અને એવી બીજી કેટલીક સાબિતીઓ છે જેના પરથી ખાતરી પૂર્વક કહી શકાય કે આપણા બધાંના જીવનને જોડતો એક તંતુ તે આરએનએ છે.


11.9.16

દુકાન ૩


મારું ઘર આણંદના સીમ વિસ્તારમાં છે. હજી કેટલાંક ખેતરો આસપાસ બાકી છે અને કેટલાંક પ્લોટ બની ગયા છે. કેટલાંક પ્લોટમાં ઘર વસી ગયાં છે, ક્યાંક મકાન ઉગી રહ્યાં છે. અમારી આવી ઉગતી સોસાયટીને નાકે એક ઘંટી અને દુકાન છે. તે દુકાને સામાજીક પ્રાણીઓ માટે તાત્કાલિક ઉપચાર જેવા આદું-મરચાં-વટાણા-દૂધ અને પડીકીઓ મળી રહે. પડીકીઓ સિવાયનું બધું મોટે ભાગે વાસી, ‘બગડેલું છે’ એ કેટેગરીમાં દુકાનદાર ના મુકે અને ખરીદદાર મુકે તેવું. તેવામાં તત્કાલે પણ સારું-સસ્તું અને નમતું તેમજ ભાવના તાલ સાથે જીભના સૂર મેળવવામાં રસ ધરાવતી ગૃહિણીઓને શાકની દુકાનની ખોટ સાલે.
એવામાં, મુખ્ય માર્ગને સમાંતર પણ અંદરના ભાગે ફંટાતી, બેય તરફની સોસાયટીઓ વડે ભીંસાતી, અમને આણંદ સાથે જોડતી અને હજી રોડ ના કહી શકાય એવી સવલતવાળી ગલીના એક નાકે શાકનો પથારો નજરે પડ્યો અને મારી આંખના લેન્સ આ ઘટનાની ફિલ્લમ માટે સજ્જ થયા.
પથારાની પેલી કોર બેઠેલા યુવાન કહી શકાય એવા શાક-વાળાને આ ધંધાનો અનુભવ નથી એમ દ્વિચક્રી વાહન પર અવરજવર દરમ્યાન થયેલી અલપઝલપમાં કળાયું. અનુભવ ના હોય પણ ‘શીખી લઈશ’ એવી આશા હોય અને ભીતર પડેલો કોઈ છેતરાયાનો અનુભવ કે વાત ડંખ માર્યા કરતાં હોય તેવો દ્વિધા મિશ્રિત ઉત્સાહવાળો ધ્વનિ જતાં-આવતાં મારા આતુર કાને પહોંચતો. એ તરફ નીકળવા વાહનને કીક મારતા પહેલાં મન એ શાકવાળા અંગે ઉત્સુક થઇ જવા લાગ્યું. એટલું જ નહી, તેની દુકાન જામી જાય એવી , રેશનલ હોવાથી દુવામાં ના માનનારું ચિત્ત, આશા સેવવા લાગ્યું.
એવામાં દીનાનાથે એક દિવસ મને તક આપી. શનિવારની મોડી સાંજે ‘આદું ખૂટી ગયું છે’ના એંધાણ મળ્યાં અને ટી-ચર એવા અમે આદું માટે વાહન પલાણ્યું. જો ગલીને નાકે ના મળે તો ચાહની તલપ સાથે થોડું વધુ આગળ જવું પડે. પણ, એમ થયું નહી. દુકાન તો નાની-નાની પ્લાસ્ટિકની કોથળીઓમાં સમેટાઈ ગયેલી પણ દુકાનના વિસ્તારનો દ્યોતક એવી ખાતરની થેલીઓની સાદડી વળાઈ નહોતી, ત્રાજવું અને ગલ્લો બહાર હતા અને હજી આ દુકાન જામી નહોતી.
એટલે, કોથળીઓ ફંફોસી આદું શોધાવું શરુ થયું. મેં તક ઝડપી. ટી.વી પર સમાચાર જોતી ના હોવાથી માનવસહજ ઉષ્માભર્યા લહેકે પૂછ્યું : કેવી ચાલે દુકાન ? “સારી હો!” (હજી આ વ્યક્તિ ધંધાધારી નથી થયો તેની સાબિતી ‘સારી’.) મેં મારી આશા-બને એટલી નિરપેક્ષતા સાથે વ્યક્ત કરતાં કહ્યું : શું લાગે છે, જામશે ને ? “હા, હો ! વેચાય છે.” ઉમળકાને ખાળી ના શકાતાં મારાથી બોલાઈ ગયું : આટલામાં આની ખુબ જરૂર છે.(તું હિંમત ના હારીશ ભાઈ!)
ખેતરોમાં મકાનો ઉગવા શરુ થયા પછી ખેડૂત જ નહીં, ખેતીકામ સાથે સંકળાયેલા કારીગરો એ પણ રોજીના વિકલ્પો શોધવા રહ્યાં. એવામાં કોકને ઘરને આંગણે આવી દુકાન ‘જડી’ જાય તો જીવને જરા સારું લાગે !
૨૦/૩/૧૬ 

visit

Was visiting a historical monument with friends.Being familiar with the system at smaller ASI sites, I checked and cross checked the whereabouts and when of the place. Even though, when we reached at the place,it was locked !
Three boys, around 19 years old were sitting at the otta of a nearby house. My initial feeling was of a disgust. I hate boys-youth sitting like this without any productive task and I believed (still do) that they chatter about things which require anything but intelligence and sensibility.
And my friends were foreigners! I was suspicious of the boys taking unwanted photos and expressing their suppressed wishes/dreams/desires. Their expressions can be anything between innocence and ugliness. I wished them to stay away. I wanted them to vacate the area.
But the place was locked. We were observing the outside carvings. One of the boys spoke up that the caretaker lives in a particular street. Surpassing the bitter taste of disgust in my throat, I asked : Can you call him?
All the three started passing the task to each other and one of them even declared, now, that he doesn't know the caretaker. If you are an Indian, you can precisely visualise the scene with the body language and the facial expressions of the boys.
Well, my talk with them continued with myself moving from one pole of emotion to another.I needed to contact the ASI caretaker and these boys COULD be the medium. This need helped me to view them with a sympathy of a teacher. Now, I started seeing things which might be reasons for their idleness and unattended emotions. Certainly, after the age of 18, they should be considered responsible for themselves. But, my need forced me to be kind, literary.
One of the boys was soft. The other two were playing hard on him and he was as unprotective as someone soft natured could be. I, too, gambled on him. Finally, he went to visit the caretaker and returned with sensible information. He brought the number of the person.
I talked with the caretaker on phone and he said, finally, that it will take him two hours to reach us. This talk was also of different kind ; soft yet forceful and convincing. Well! we couldn't wait for so long. Here again, the boys suggested that there is one more monument next to this ASI site and it is a private property. So, I approached at the gate of that piece of history which is a private property, obviously with the boys. We have had a great time inside that monument.
Meantime my bitterness towards the boys have gone away and we have already started talking about their education and family and for how long they sit at the otta and so on. I could see the goodness in the boys, hidden beneath the rough(not unpolished), ugly and loud physical expressions. My parental feeling has also started to bubble up demanding me to advice the boys. The kind teacher has prevented me by not doing that.
The selfish host inside me wanted good treat to my friends. And my, now empathic eldersisterhood has emerged, too, playing her part through wishing humanistic future for the boys.
I asked the soft hearted one, if we can come to his place for a cup of tea (for each one of course. We were six plus three boys as a team now.). And he happily agreed. Even though,I asked him to talk at home. His mother, too agreed happily. Who, in India would deny a cup of tea to guests? His humble mother has welcomed us wholeheartedly and we had truly lovely time over a sweet cup of tea. This thought of visiting his home was out of a sense of belongingness with the boys.
Meanwhile, the ASI caretaker has arrived (before the time, breaking our tradition.). And we could see the ASI site.
The soft hearted one is a fb friend now.
I, now, see the boys at any Otta with a different perspective.
#6@¥4
૨૭/૩/16

ત્રાજવું

ત્રાજવું.
ઓરડાની હવા તંગ અને ખાટી થઇ ગઈ. મારા ચિત્તમાંથી ઝમતા સત્તાના મદની આ અસર મને ગમતી પણ હતી અને અણગમતી પણ. ગમા-અણગમાનું ત્રાજવું સંતુલિત હતું પણ મારી સમજણનું પલ્લું અહં સામે ઉંચે ચઢેલું.
જો કે, કોઈ પણ સારો અધિકારી કરે તેવું કાર્ય મારા પલડે જમા કર્યું'તું. મેં સુચના આપી'તી : ફર ફર ના કર. બોલ-બોલ ના કર. સ્થળ-સમયનું ભાન રાખ.
પણ, તે કશા કેફમાં હતી. કદાચ છેલ્લા સમયને દાંત વડે ખેંચીને લંબાવી લેવા માંગતી હતી.
'હું મારી જવાબ-દારીમાં બંધાયેલી હતી' એ દલીલ બીજા બધાને ગળે તરત ઉતરી જાય તેવી સ્વાભાવિક હતી પણ એ મને ખટકતી હતી. તેની સ્થિતીથી હું વાકેફ છું ને ! ખુશ રહેવાનો, પોતાની ક્ષમતાઓ પ્ર-દર્શિત કરવાનો મોકો તેને માત્ર અહી જ તો મળતો હતો ! અને તે તેનો વટ્ટ મારા પર કેટલો ચાલે છે એમ પણ ગાઈવગાડી જતાવવા ઈચ્છતી હતી.
અને મેં જાહેરમાં સાબિત કરી દીધું કે તેના સ્નેહને વશ થાઉં એટલી દ્રવ્ય હું નથી.
હું તેને વઢી,તેના મિત્રો સમક્ષ.
હંમેશની જેમ, પસ્તાવો પ્રગટ્યો, પાછળથી.
મન રમતું રહ્યું : સોરી કહેવું જોઈએ.
પણ,હવે તે ક્યાં મળવાની હતી? હવે તેને અહી આવવા ક્યાં મળવાનું હતું?
આ માહિતીથી મેં અજંપો અને નિરાંત અનુભવ્યા. સમપ્રમાણમાં. આ સમતા નથી, બિમારી છે એમ જાણવા છતાં હું અજંપાવાળા પલડાનું દળ વધારતી રહી.
વચ્ચે એક દિવસ તે આવી ને જતી રહી. મને મળવા ના આવી.
તે ય મારું પ્રતિબિબ પડઘાવતી હતી. એક શિક્ષક તરીકે હું ખોટો આદર્શ પેશ કરી રહી છું તેવું જ્ઞાન મારી પાસે હતું, કોઈ પાઠ્યપુસ્તક જેવું. બસ, તે બાબત સમજણ નોતી બની.
છેલ્લા પેપરમાં મારું સુપર-વિઝન તેના ખંડમાં હતું. પેપર વહેલાં લખી રહ્યા પછી તેણે વાતો કરવાનું , બીજી બેંચ પર જઈ રમવાનું , કેરીના કટકા ખાવાનું-વહેંચવાનું શરુ કર્યું. મેં તેને ટોકી, કેટલીક વાર ટોકી પણ બે-અસર. પછી શું ! મેં સત્તાધારી અવાજે હૂકમ કર્યો પરીક્ષાને અનુરૂપ વર્તન કરવાનો. અને ઓરડાની હવા તંગ અને ખાટી થઇ ગઈ.
સાથી શિક્ષકે આ વાત જાણી મને ટોકી: શું કામ છેલ્લે દિવસે બિચારીને વઢયા! બીજા શિક્ષકે મારા વર્તનને વાજબી ઠેરવ્યું. પલડું સંતુલિત.
તેનું પરિણામપત્રક લખતી વખતે ભાવુક થઇ જવાયું. 'ઠાલી ભાવુકતા',મેં મને પીડી.
પરીણામ લેવા તે આવી. એકદમ મારી સમક્ષ ધસી અને પોતાની નોટ ધરી : "જો મેં કેટલીક ગઝલો લખી છે. આ એક દિકરીના જીવન વિશેની છે." તેના અવાજમાં ભેજભરી ધ્રુજારી હતી. હું તો પાછલા અઠવાડિયાથી એ ભેજને ખાળી ખાળીને અભિવ્યક્તિને કોરી રાખવામાં સક્ષમ બની ગઈ'તી. મારી પાસે ય તેને આપવા એક નોટ હતી : જો, આમાં લખજે. તારા વિશે,તારી લાગણીઓ વિશે. કવિતા કે વાર્તા કે ડાયરીરૂપે. લખજે.
નોટની લેવડદેવડ સાથે પલડું ફરી સંતુલિત થઇ ગયું, અમારા સંબંધનું.
#6@¥4
૧/૫/૧૬ 

મોનોલોગ

સાવ ખોટી વાત!
ના,વાત ખોટી નથી. તને મારા વર્તનમાં એ વણાયેલી દેખાતી નથી એમ કહે.
સારું, એમ કહું કે, 'તું ખોટી છો' તો તારાથી સહન થશે?
સહનની વાત હાલ પૂરતી બાજુ પર રાખી કહું તો હું ખોટી હોઈ શકું,પણ એ મારો ઈરાદો નથી.
તું ઝૂઠ્ઠી છો.
બિલકુલ નહીં. હા, તું મને ડરપોક કહી શકે.
ડરપોક અને તું?
કેમ?
તારાથી ભલભલા ફફડે છે ને તું ડરપોક ? તારી આક્રમકતા વિશે તું અજાણ જણાય છે.
ના. હું જાણું છું કે હું આક્રમક છું અને ડરામણી પણ. એટલે હું ડરપોક નથી એમ કરતાં ડરપોક છું એમ સાબિત થાય. ન્યુટનની ગતિનો નિયમ પ્રમાણે.
હશે,તેનાથી પેલી વાત સાચી સાબિત નથી થતી.
તું એ વાતમાંથી મને, મારી છાપને ભૂસીને જુએ તો પણ ?
પણ, મેં એ વાત તારી પાસેથી તો જાણી.
હા,એ ખરું. પણ, એ વાત,વાક્યના શબ્દને તું છુટા પાડી દે અને શબ્દકોશમાં તેના અર્થ તપાસ. શું એ પછી પણ તે વાત ખોટી છે તેમ કહીશ?
શબ્દકોશમાં તો શબ્દના ઘણા અર્થ મળે, એકબીજાને આવરતી અર્ધપારદર્શક અર્થછાયાઓ મળે ને પરસ્પર વિરોધી ભાસતા અર્થો ય મળે.
છતાં, વાત-વાક્યના દરેક શબ્દના અર્થ શબ્દકોશમાં જો. તારી પસંદગીના અર્થથી શરૂઆત કર. દરેક શબ્દનો સમાનાર્થ એમ મૂક કે જેથી સાર્થક પદ, વાક્ય બને. ઉપરની વાતના આવા શક્ય તેટલા અર્થો શબ્દકોશનો ઉપયોગ કરીને લખ અને પછી કહે કે તે વાત ખોટી છે.
ઠીક. ... તું એમ કહે છે કે વાતમાંથી કર્તા કાઢી નાખું અને માત્ર ભાવ પકડુ?
તે સરસ પકડ્યું. હું એમ પણ કહેવા માંગું છું કે કર્તાને સ્થાને તું તને મુકીને પણ જો.
... કોઈ બાવો કે રાજકારણી કે લેખક કે વક્તા આવી વાતોથી લોકોને છેતરે તો પણ તું તારું આ મંતવ્ય પકડી રાખે ?
હા અને ના. ઈરાદાપૂર્વક બોલાયેલ-લખાયેલ વાત ગમે તેટલી સારી હોય તો ય એ ખોટું છે : એ કાર્ય ખોટું છે. વાત, વાતનો અર્થ ખોટા નથી.
લાગે છે આ બાબત એ લોકો અંદરખાને સમજે છે અને એટલે આવું બક્યા કરે છે.
કદાચ. સત્તા, કોઈ પણ પ્રકારની, નાની કે મોટી, સત્તા માટે ઈચ્છુક લોકો આ સત્ય સમજતા હોઈ પણ શકે. એ લોકોમાં લોકલાગણી અને લોકભાવના પારખવાની ગજબ આવડત હોય છે.
શાણા !
હા, એવું જ. એ લોકો આપણા કરતાં વધુ હકારાત્મક પણ હોય છે એમ મને લાગે છે. તેમને જાણે કે ખાતરી હોય છે કે કેટલાક માણસો કોઈ પણ સંજોગોમાં ભલાઈના કામ કરવાના.
એટલે ?
જો, તું એક સારી વાતને ખોટી કહેતી હતી કેમકે તેમાં તને કાર્ય કે વર્તનની નક્કરતા ના દેખાઈ. એમ છતાં, તું જ રાતે સુતા પહેલાં એવું કાંઈક કરવાની જેને સારું કે ભલું કહી શકાય. તું અત્યારે પણ સારપ અને ભલાઈના ઈરાદાથી વાત કરી રહી છો. ઈરાદો ય જવા દે, તું વગર વિચાર્યે આવું જ કરે. બસ, એ સત્તાપ્રેમીઓને આ વાતની ખબર છે.
આ બાબત સારી લાગે છે પણ, તેઓ પોતે જે કરે છે તે ખોટું છે અને એ ચલાવી લેવું મને ગમતું નથી.
શું નથી ગમતું ?
હંમ... શબ્દોનો દુરુપયોગ, લોકોની છેતરામણી, જુઠ.
ના ગમાડવા ઉપરાંત બીજું કઈ કરવા ધારે છે ?
વિરોધ !
તને યાદ દેવડાવું કે તું શબ્દોના ખેલાડીઓ સામે શબ્દોથી વિરોધ કરવાની વાત...
ભલે.પણ, એ કરવું મને જરૂરી લાગે છે.
બિલકુલ. હું તો માત્ર તને હકિકતનું ભાન કરાવું છું.
હંમ...
તને યાદ દેવડાવું કે જુઠાણાં સત્ય તરીકે ચાલી ગયાના ઐતિહાસિક દાખલા ય છે.
હા. પણ, જય સત્યનો થાય છે.
સાચે જ ?
તો વળી ? મોડો થાય પણ સત્યનો જ જય થાય.
તું વ્યાખ્યાઓ બોલે છે, તારી અનુભૂતિ નહીં. તેને જુઠ કહેવાય કે નહીં ?
...હું અજાણતાં બોલી.
તો ? તારી વાત મારે સાચી માનવી એમ ?
સત્ય એટલે શું?
તું કહે !
Conviction?
કદાચ !
જો એમ હોય તો તો પેલા સત્તાખોરોના સત્યનો ય જય થાય.
એમનું સત્ય શું ?
... સત્ય તરીકે પ્રચલિત વિધાનો બોલતા રહેવા. અથવા કેટલાક નરવા શબ્દો જેમ કે 'પ્રેમ', 'સહકાર' વગેરે વાપરી નવાં જુઠ ઘડી કાઢવાં. અને એ બધા વડે લોકોને ભોળવી સત્તા મેળવવી, ટકાવવી,વધારવી.
એમ જોતાં તો જુઠનો જય થયો જણાય છે. કેમકે, તે લોકો પાસે સત્તા 'છે'.
પણ, તેઓ એ વાપરેલા શબ્દો...
તટસ્થ હતા, નિર્જીવ યંત્ર જેવા.
તો શું કઈ પણ બોલવું, લખવું એ ખેલ છે માત્ર?
અને જેઓ પોતાની અનુભૂતિ કે દર્શન વ્યક્ત કરવા તેનો ઉપયોગ કરે તેમને માટે...?
અભિવ્યક્તિ !
અને તેનું માધ્યમ, બંન્ને.
આ તો કળાના દરેક માધ્યમને લાગુ પડે.
દરેક અભિવ્યક્તિ કળા જ તો છે !
અને બધે જુઠનો અવકાશ અને ક્યારેક જય પણ છે.
જુઠ એટલે?
કોઈ નૃત્યાંગી બરાબર નૃત્ય ના કરે, ચિત્રકાર બરાબર ના ચિતરે?
બરાબર એટલે ?
નિયમ પ્રમાણે.
પણ, ફેડરર બે પગ વચ્ચેથી ટેનિસના દડાને ફટકારે એ નિયમભંગ કહેવાય કે નહીં?
નિયમ પ્રમાણે નહીં, ઈરાદાની નેકીથી કરે તે કામ બરાબર. નિયમો તો તુટતા,બનતા રહે છે.
બરાબર. અને નેક ઈરાદો એટલે ?
એટલે, પોતાની આવડત મુજબ, કોઈને છેતર્યા વગર.
લેખક-વક્તા એમની આવડતથી જ લખે-બોલે છે જે તને હમણાં જૂઠ લાગતું હતું.
પણ એમનો ઈરાદો છેતરવાનો હતો ને!
એટલે ઈરાદો સત્ય-જૂઠ નક્કી કરે, એમ?
હા.
એટલેકે વાતની સચ્ચાઈ કે જુઠતા તેના બોલનાર/લખનાર પર આધારિત છે.
હા!
એટલેકે કર્તા પર.
હા.
તો સાચ-જૂઠ નક્કી કરવામાં વાચક/શ્રોતા, ભાવકની ભૂમિકા અવગણી શકાય ?
ના!
એટલે કે સત્ય...
વ્યક્તિનિષ્ઠ છે. તો...?
સત્યની સનાતનતા, જયનું શું , એમ ને ?
હંમ.
અને સારપ, ભલાઈ ?
સત્તાખોરોને ય એના પર ભરોસો છે.
એકદમ! અને સનાતન સત્યોની લોકઅસર પર પણ.
એટલે કે જૂઠ જીતે છે પણ સત્ય-સારપના ઓઠે.
બીલકુલ ! તો, જીતનું લક્ષ્ય તાકનાર કોણ ?
જુઠ.
અને હાર-જીતના દાયરા બહાર, માત્ર હોવા માટે હોય તે શું ?
વાહ! સત્ય,સારપ,ભલાઈ.
એટલે...?
સત્ય-સારપને હાર-જીતથી ફેર પડતો નથી.
એટલે કે તે અકારણ હોય છે.
એટલે કે સનાતન !
તો સત્યની જીત કરાવવા મથવાની જરૂર ખરી?
એ મથામણ કરવા કારણની જરૂર ખરી ?
સાચી વાત છે !
૩૦/૫/૧૬ 

મીઠ્ઠી

મીઠ્ઠી મારી દેશી ગોળનું દબડું
જ્યાં અડે ત્યાં ચોંટી પડતું
પ્રવાહ ભેળું પલળતું
મીઠ્ઠીની વાતો, પ્હાડ ને ખીણ
કાં તો ઉછળતો દરિયો ને ફીણ
ચઢવું,પડવું કે ડૂબતા રહેવું
કે પૂનમ જેવું હસવું

૪/૬/16

બ્રહ્મપુત્ર

કોઈ પુરૂષ પિતા તરીકે-દિકરીના- કેવો છે એ જીજ્ઞાષા મારામાં સમાંતર ઊભી રહે. પુત્રીને સાચવી જાણી, થાળે પાડી દીધી કે ખીલવા અને મહેંકવા દીધી- એ હું જોયા કરું. મારા અવલોકનો માત્ર નિરિક્ષણ હોય છે, તેમાં કસોટીનું તત્વ નથી હોતું. એટલે, દીકરીને ડાળે વળગાડી દેનાર બાપ જોડે ય મારે મિત્રતા હોય. હું આવું અવલોકન ક્યારથી કરતી થઇ એ ખ્યાલ નથી પણ કેમ કરતી થઇ એ સમય જતાં સમજાયું.
ચંદ્રકાંત બક્ષીનો એક ખયાલ-જે તેમણે કોઈક ફિલ્મી ગીત પરથી પકડ્યો હતો- પિતા તરીકે હિમાલય, મને વાંચતા ભેળો ગમી ગયેલો. તે પછી ઘણીવાર હિમાલય પાસે ગઈ છું, મને તે બાપીકો ના લાગ્યો. આ અનુભૂતિ અંગે પણ હું ખુબ મોડા સભાન થઇ. હિમાલય બાપ છે કે નહિ તેવો સભાન સવાલ પણ મનમાં નહોતો ઉગ્યો.
અયોધ્યામાં સરયું કાંઠે તેની વિશાળતા એકદમ આંજી ગઈ. ઓહો ! આટલો પહોળો પટ ! સિંધુને સમાંતર વહેતી કારનો વાહક 'દેખો મડમ, દરિયા દેખો' બોલતો રહેતો ત્યારે કેટલાક કલાક પછી ચિત્ત ચમકેલું-લે, આ કાશ્મીરી સિંધુને દરિયા કહે છે ! ત્રિવેણીનો ય પટ તો વિશાળ છે. પણ કદાચ નદીને માં તરીકે જોવાનો સાંસ્કૃતિક વારસો છવાયેલો રહ્યો.
ગૌહાટીમાં બ્રહ્મપૂત્ર અમારા પડાવથી કેટલાક ડગલા દુર. બીચ પર ફરનારાઓ માટે હોય એવી કેટલીક વ્યવસ્થાઓ - બેસવાની-નાસ્તાની તેને કિનારે ઠેક ઠેકાણે હતી. બ્રહ્મપૂત્રના ગૌહાટી તરફી કિનારે ટહેલતા મનમાં પોંડીચેરી સાથે સરખામણી થઇ ગઈ હતી. સરયુંની જેમ બ્રહ્મપૂત્રનો સામો છેડો ક્ષિતિજ બની જાય.
બ્રહ્મપૂત્રનો પરિચય એને પસાર કરવાનું થયું-પૂલ પર થઈને- ત્યારે આવ્યો. શી પહોળાઈ! ભુગોળમાં ભણેલી અને કલ્પનાએ ચણેલી હોય તેવી નદીની બધી વ્યાખ્યાઓ ડૂબી મરે-સંકોચથી. બ્રહ્મપુત્ર નદી નથી, નદ છે. પુત્રી નથી, પુત્ર છે. માઝોલી જવા વહાણમાં બેઠા અને ચોતરફ બ્રહ્મપુત્રની અગાધતા ઘૂંટાઈ ત્યારે મને થયું- બાપ ! બ્રહ્મપુત્રમાં મને પિતા જડ્યો. અને એ અનુભૂતિએ મને આવરી લીધી.
માઝોલીના મુકામ દરમ્યાન તે અનુભૂતિ સતત રહી, ત્યાં સતત ઉપસ્થિત બ્રહ્મપુત્રની જેમ.
આ અનુભૂતિએ હિમાલય,સિંધુ,સરયું અને બીજા પ્રાકૃતિક તત્વો સાથેના મારા સંવાદો-સંવેદનો, જેના અંગે હું સભાન નહોતી, ચિત્તની સપાટી પર લાવી આપ્યા. એથી જાણે મને મારા એક અંશનો પરિચય થયો.
બ્રહ્મપુત્રના કિનારે એક જુદી જ સંસ્કૃતી છે ; જેમાં ચંદ્ર મામા નથી(સ્થાનિક ઉપમા ભૂલી ગઈ છું) અને સૂરજ દાદા નથી-માં (સ્મૃતિદોષ બદલ ક્ષમયાચના) છે. તે જ બ્રહ્મપુત્રના ઉદગમ પાસે પરશુરામ કુંડ છે ને તેને જ કિનારે કામાખ્યા શક્તિપીઠ છે! તાળા વગરનું વૈષ્ણવ માઝોલી બ્રહ્મપુત્રને ખોળે રમે છે-અવારનવાર ધમરોળાય છે. હા,બ્રહ્મપુત્ર બાપ છે.

સમ-જણ

*સમ-જણ.
આ વિગતો હું તેર-ચૌદની થઇ ત્યાં લગીની છે. તે સમયગાળાના સંવેદનોને શબ્દો આજે મળ્યા.
ગામડામાં મોટી થઇ. ઘરે ખેતી. રોજિંદા કામમાં મદદ કરવા નજીકના નાના ગામમાંથી પુરુષોને વર્ષભરનું મહેનતાણું ઠેરવી કામે રાખવાનો રિવાજ. આવા પુરુષને 'જણ' કહે. આ પ્રક્રિયાને 'જણ રાખ્યો' કહેતા અને પછી તો એ આખેઆખો 'જણ' ફલાણાં મામાનો બની જતો. (મોસાળમાં ઉછરતી હોવાને કારણે મારી પાસે 'કાકા' સંબંધ નથી. )
ત્યારે 'જણ' શબ્દનો અર્થ ખબર નહોતી. તે શબ્દ સર્વનામ હોવા છતાં નામ તરીકે વપરાતો. અમારા 'જણ'નું નામ 'ભાથી'. 'ભાથ્યા' કહી તે(મ)ને બોલાવતા. હું પણ 'ભાથ્યા' કહેતી હોઈશ એમ લાગે છે. કેમકે, 'ભાથીમામા' કહેવું શરું કર્યું તે ક્ષણની અનુભૂતિ યાદ છે.
"ફલાણાને ત્યાં જણને સાચવે નહીં, ફલાણી જ્ઞાતિ જણનો કસ કાઢી લે. આપણે ત્યાં તો આપણા ઘરનો માણસ." આવી વાતો થતી રહેતી. હા, અમારા ત્યાં જે વ્યક્તિ જણ થઇ આવતી તે વૃદ્ધ થાય ત્યારે તેના દીકરાને અમારે ત્યાં 'મૂકી' જતી એ પરંપરા હતી. આ વાત જયારે ઘરમાં થતી, મને ગમતી અને ખટકતી. સારા-નરસા પ્રસંગે એકબીજાને ઘેર જવાની પરંપરા ય હતી, પરસ્પર મોસાળા ય થાય, એટલું અણીશુદ્ધ ગમતું.
ભાથીમામાથી અમારી સવાર ઉગતી અને રાત ઢળતી. સવારે ગમાણમાંથી તે ઢોર કાઢતા અને રાતે અમારા ખાટલા પાથરતા. તેઓનો ખાટલો,પથારી,જમવાના વાસણ જુદા રહેતાં. તે હંમેશા રાતે સૂતાં પહેલાં નહાતા, સવારે નહીં. માટલાં મામી વિછળતાં, એમાં પાણી ભરવાનું ભાથીએ. પણ, ભાથી માટલાને અડી ના શકે. કોઈ કારણસર ભાથીમામા પોતાને ગામ ગયા હોય તો ઘર આખું ઘાંઘવાઈ જતું. એકવાર આગામી વર્ષ માટે ભાથીનો 'ભાવ' અને શરતો નક્કી થઇ રહ્યાની ઘટના પાસે જઈ ચઢી'તી. કમકમીને ભાગી છૂટી'તી. 'ભાથીજી મહારાજ' ફિલ્મ આ પછી આવી'તી. એ ફિલ્મ જોયા પછી મને સમજાયું નહોતું કે તે સંદર્ભે અમારા ભાથી માટે રાજી થવું કે નહીં .
ભાથીનું કામ છોરાંથી ઢોરાં સુધીનું. ખુબ વ્હાલ કર્યું છે મને અને મારા ભાંડુઓને એમણે. અને ખુબ ખુબ કામ.
એક વર્ષે ભાથીનું સ્થાન બાબુએ લીધું. એમને હું બાબુભાઈ કહું. એ જ લાગણી,સ્નેહ અને મહેનત ! મનમાં કેટલાક ડંખ ચચર્યા કરે પણ એની તરફ ના જોવાની આવડત કેળવાઈ ગઈ હતી. હા, વહાલ વેળા જીવને મલમ લાગતો. ઘરનું કોઈ વડિલ એમના પર ખિજાય તો ભીતર રડી પડતું.
જીવન આગળ વધીને ગામથી દૂર થઇ ગયું. જીવને એક જાતની નિરાંત : દેખવું ય નહીં ને દાઝવું ય નહીં. પણ, રજાઓમાં ઘરે જઈએ એટલે બાબભૈ હાજરા-હજૂર. ખોંખારો કરીને હાજરી પુરાવે. બંધ મકાન ચકાચક મળે.બાબભૈ પર હવે ઉંમર વર્તાય છે. હવે જણની જરૂરિયાત નથી રહી. પણ, અમારા ઘરના પ્રસંગોમાં તેઓ જાણે કે અનિવાર્ય છે. બાબભૈની હાજરીથી સૌ કામ અને સલામતી બાબતે આશ્વસ્ત થઇ જાય.
શહેરમાં જાણ્યું કે કેટલાક વિસ્તારોમાં આ 'જણ'ને 'સાથી' કહે છે. (મને 'ભાથી' સંભળાય.) અને આ પ્રથા બધે જ છે એ જાણી ભાર ખંખેરવા તત્પર થયેલું મન એ જ ભાર તળે કચડાયુ'તુ. પણ, કચડાવું જોયુ ના જોયું કરવાની આવડત કેળવાયેલી હતી એટલે હાથ ખંખેરી ઊભી થઇ ગઈ.
શહેરમાં હવે રાજસ્થાની રામ છે. ઈંગ્લીશ મીડિયમની અસરમાં રામા ય કહે.(બહુવચન તરીકે નથી વાપરતા આ શબ્દ શહેરી જન ) તે હોળી કરવા જાય ત્યારે સોસાયટીમાં રામકથા થાય છે. અમારે ત્યાં દિનેશ, દિનેશભાઇ છે, વર્ષોથી. એમને કિશોરમાંથી યુવાન થતા જોયા. જોઈશું આગળ.
#6@¥4
૯/૮/16

પડછાયા

તારા લગી લંબાવેલ તાર પર
સપનાં સુકવું
યાદ તપાવું
હિંચુ
ચોટલો ગૂંથું 
એક ગીત રણઝણાવું
વહેતી મુકુ એક વાત
ચાહું તે કરું
લંબાવેલા તાર પર
તારા સુધી
હે સૂર્ય!
#6@¥4
૮/૮/૧૬ 

20.5.15

ર.પા.યણ

ક્યાંથી લાવી આણી ર.પા.આટઆટલી અનુભૂતિ
આખું જીવતર તોલી જોતાં લાગે ખાલી ખુંટી
તે ઊંચકી મીરાં કે મીરાંમાં ડૂબ્યા આપ
તારા શબદએ રોપ્યાં મારી ભીતર હરીજાપ
અકેક અક્ષરે ર.પા.મુને તે લસોટી
તારી સોનલ મારે ફેફડે ભરતી મીઠો તાપ
સળેકડો ચંદુ સેલ્લારા લે કાગડો આંજે ભાપ
આલા ખાચરી બળતરા ભેળી બળે ખોચરી ત્રુટી
તારી કલમે જાગતી કરી ગુર્જર માટી છાપ
ર.પા.વનાની બારાખડી ભાસે લિસ્સો પ્રલાપ
અર્થ ચાબખા વીંઝે ચિત્તડે તારી અરથમઢી સોટી

11.7.10

Teaching Science - II











The book 'Science, Ethics ans Society' has questioned about the curriculum of Science in the chapter 'Science Education System'.The book is a collection of essays on Science by Prof.Sudhir Pandya and published by Gujarat Science Academy.

That chapter helped me to construct my vague ideas about the curriculum of Science, evoked by Feynman.
Let them be expressed in the words of  Prof Sudhir : Teaching of properties of matter, one should be taken to quarks and anti-matter. A great deal of advanced physics can be taught without mathematics, without details of basic   Physics. It will provide motivation and zest for mathematics, for more details later. Teaching of lights should lead to lasers, to how we learn about stars. Projectile teaching can profit from examples of satellite orbits, rocket power, orbits to distant planets and so on. While talking of conductivity, one should be told about superconductivity and the fantastic world of super-low temperatures. Limitations on the particle trajectories and wave motions imposed by quantum mechanics can be described at a very early stage, as also the incredible adventure of Mr. Tompkins in the relativistic world. All physics teachers can profit from Feynman course.

Feynman has echoed same thoughts in his speech : http://www.fotuva.org/feynman/what_is_science.html

Prof Pandya has suggested a new way for Science practices : I wish to plead to abolish many small routine mechanical experiments and give the students a few long experiments which will exercise his skills and provide him with a challenge. I believe that a student would profit more if asked to grind a lens or mirror himself then study its properties and defects-let him take several weeks to do this-rather than he perform many routine experiments in optics.(this example suits for higher education. but, at primary, project can be assigned that requires relatively long time observations, or making models.)

Much is talked n said about HOW to teach and still there is very little improvement. Over to Prof. Pandya with some edits : The class demonstration plays a very important role. They are most valuable tool in the hands of competent and innovative teachers to inspire and excite the fertile mind of the student. Today this art is almost dead. I would plead for a revival. No class room teaching is complete without a live demonstration.

Prof Pandya has coined an important issue regarding the quality of Education. He wrote :A major hurdle in Education is, in my opinion, that it has been too democratic. What I mean is that instead of raising our standards of excellence progressively, we have created to the needs of the lowest class of students. Our concern has been focussed towards these students who fail, rather than those who get first class and distinction. Examinations are arranged to pass the maximum number of students, the courses are arranges do that they can be taught easily in the minimum number of hours that the worst students in the class are willing to devote. . . To improve the quality of Education, we need to develop a system to identify and collect those with special gifts, those who have specific talent and excellence and then develop for them a special course.


(see seven natural wonders at .http://forum.globaltimes.cn/forum/showthread.php?t=5274)

13.11.09

Voice From Gujarat


 A River :


The Ganges is the holy river but I think that the water of Ganga is very polluted and it is like poison.

I like to see the river,alone,sitting on a rock, at the sun set time The saffron colour reflecting in its water.I like to think n be alone at that time. Many a poet has got inspiration from the river for the River is a beautiful thing, is priceless and romantic.

Many romantic and sad scenes in films are set with a river in the background night when there no other sound than that of the river. Then it is awesome for it is wonderful to realize the river through its sound.

People says that our sins are washed out by bathing in Ganga. But I believe that all rivers are holy. If  our sins are to be washed out by bathing in Ganga,then we will become pure but the dirtyness of our sin will remain in the river. Then how can we call a river pure or impure.
If there is a river i will bath there for a long time and share my thoughts with rivers for I .
can trust them. They dont open up and tell our secrets to others.

-Dhruv Mehta,14 yrs