17.1.21

૩.૨ : (૧૦) જીવનનું ખોવાઈ ગયેલું નગર

જીવને પૃથ્વીને બદલી એમ કહીએ ત્યારે આપણા મનમાં આવે છે ધરતી પર વ્યાપેલા જંગલો અને શહેરો. પણ, તેનાથી ઘણા ઘણા સમય પહેલાં જીવને પૃથ્વીને પલોટવવાનું શરૂ કરી દીધેલું.

મહાસાગરને તળીયે પેલા અતિ અતિ સૂક્ષ્મ તણખા પછી જીવન વિશ્વવ્યાપી બન્યું- હજી સુધી હાર્યો નથી તેવા એક ચૅમ્પિયનને કારણે.
પેશ એ ખિદમત છે સાયનોબૅક્ટેરીયા.

૨૭૦૦૦ કરોડ વર્ષથી જે જીવનના વેપારમાં છે તેવા સાયનોબૅક્ટેરીયા કોઈ પણ, કોઈ પણ સ્થળે ઘર વસાવી લે. તાજુ પાણી, ખારું પાણી, ગરમ પાણીના ઝરા, મીઠાની ખાણ- તેમને કોઈ ફેર પડતો નથી.

પેદા થયાના ૪૦૦૦ લાખ વર્ષ સુધી સાયનોબૅક્ટેરિયાએ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ લઈને, હવામાં ઑક્સિજન મુક્ત કરીને પૃથ્વીના આકાશને ભૂરું કર્યું.

તેમણે ફક્ત આકાશ બદલ્યું એટલું જ નહીં, સાયનોબૅક્ટેરીયા તો પથ્થરની અંદર સુધી પહોંચ્યા અને તેમને સુદ્ધાં બદલી નાંખ્યા.

ઑક્સિજનને કારણે લોખંડને કાટ લાગવો શરૂ થયો, જેને કારણે ખનિજો બાબતે જાદુ થવો શરું થયો.
પૃથ્વી પર ૫૦૦૦ પ્રકારના ખનિજ છે. જેમાંથી ૩૫૦૦ જેટલા જીવને બનાવેલા ઑક્સિજનની પેદાશ છે. 

અને હવે આવે છે તે દિવસ...
સાયનોબૅક્ટેરીયા પૃથ્વી પરના બધા સજીવો પર રાજ કરવા માંડેલા, જ્યાં જાય ત્યાં ઉધમ મચાવતા, પૃથ્વીના જમીન, પાણી, આકાશને બદલી નાખતાં જઈને.

...કૉસ્મિક કૅલેન્ડરના ઑક્ટોબરના પાછલા ભાગે, ૨૩૦૦ કરોડ વર્ષ પહેલાંના એક દિવસે...

ઍનેરોબ્સ, એક જીવ સ્વરૂપ કે જે સાયનોબૅક્ટેરીયા પહેલાં  વયસ્ક થઈ ગયેલું, તેણે ઑક્સિજનથી પૃથ્વી પ્રદૂષિત કરવા માંડેલી. ઍનેરોબ્સ માટે ઑક્સિજન ઝેર છે, પણ, ફાલેલા સાયનોબૅક્ટેરીયા એમ કાંઈ વાતાવરણને ઑક્સિજનથી ભરવાનું બંધ નહોંતા કરવાના. ઍનેરોબ્સ અને પૃથ્વી પરના તે વખતના લગભગ તમામ સજીવો માટે, તે બાબત ઑક્સિજન આપદા હતી.ઍનેરોબ્સ પ્રજાતિના બચેલા વંશજ એ હતા જેમણે મહાસાગરોના ઊંડાણમાં આશરો લીધો, છેક તળિયેના ઠરેલા કંડલા/નિક્ષેપણમાં જ્યાં ઑક્સિજન પહોંચી શકતો નહીં. 
સાયનોબૅક્ટેરીયા ઑક્સિજન પમ્પિંગ મશીન બની ગયેલા. અતિરેક કરી નાખેલો તેમણે. ૪૦૦૦ લાખ વર્ષ પછી તેમને કારણે પૃથ્વી પર વધુ એક જબરદસ્ત ફેરફાર થયો.
પેલા સર્પિલ પથ્થર યાદ છે ને- જેમણે દરિયાને તળિયે હાઈડ્રોજન અને મિથેન મથેલા?
મિથેન એક જબરદસ્ત ગ્રીન હાઉસ ગૅસ છે-ગરમી પકડી રાખનાર. અને તે વખતે તો પૃથ્વીને હૂંફાળી રાખનાર મુખ્ય ઘટક હતો તે.

પણ, ઑક્સિજન થકી નીપજેલી જીવ સૃષ્ટિએ બધું ઉથલપાથલ કરી દીધું.

પૃથ્વીના તાપમાનમાં ઉછાળો આવ્યો.

જીવન- ભાગેડું કલાકાર, બર્ફીલી મૌતના પંજામાંથી છટક્યું અને પૃથ્વી પર છવાઈ ગયું.
મૃત બૅક્ટેરીયાના હાડપિંજરે પૃથ્વી પટ પર કાર્બન ડાયોક્સાઈડના ભંડાર બનાવી દીધા. જ્વાળામુખીઓએ વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ઠાલવ્યો, પૃથ્વીને ગરમ કરતાં જઈને, બરફ ઓગાળતાં જઈને.
તે પછીના કેટલાક કરોડ વર્ષ, જીવન અને પથ્થર વચ્ચે કલામય નૃત્ય ચાલ્યું, પૃથ્વીને હિમ અને ટાઢ વચ્ચેથી કાઢનારું.

પછી, ૫૪૦૦૦ કરોડ વર્ષ પહેલાં, વળી એક જબરદસ્ત બીના ઘટી.

જીવન, કે જે અત્યાર લગી માત્ર માઈક્રોબ્સ અને સાદા બહુકોશીય જીવ પુરતું હતું, તેણે એકાએક માથું ઊંચક્યું- જેને કૅમ્બ્રિઅન વિસ્ફોટ કહે છે.

જીવનને પગ, આંખ, ચૂઈ, દાંત ફૂટ્યા અને તે અત્યંત ઝડપથી વિવિધ સ્વરૂપો ઉત્ક્રાંત કરવા માંડ્યું.

આપણને હજી ખબર નથી કે જીવન આટલું નાટ્યાત્મક ઢબે વિવિધતાભર્યુ શાના લીધે થયું, પણ આપણી પાસે કેટલીક ગળે ઉતરે તેવી થીયરીઝ છે.

કદાચ, જ્વાળામુખીને કારણે દરીયાઈ પાણીમાં ભળેલા કૅલ્શિયમ ખનિજોને કારણે જીવનને વાંસો મળ્યો અને તેણે કવચ-શૅલ/કોચલું ઓઢ્યું. પથ્થર સાથે સહયોગ કરીને તેણે પોતાની ઢાલ બનાવી લીધી. 
હવે જીવન કદ વિસ્તારી શકવાનું હતું, પોતાના ક્ષેત્રોની બહાર જઈ શકવાનું હતું.

અથવા કદાચ, સાયનોબૅક્ટેરીયાએ બક્ષેલા સુરક્ષા તંત્ર હેઠળનું તે પોસાણ હતું. વાતાવરણના ઑક્સિજનેશનને કારણે ઑઝોન સ્તર રચાયું. જેના કારણે દરીયાઈ સલામતી છોડીને, સૂર્યના પારજાંબલી કિરણોના ભોગ બન્યા વગર જમીન પર વસવું શક્ય બન્યું.

કરોડો વર્ષ સુધી જીવનનું કામ હતું ધીમી ધારે ઝમવું.
હવે તેણે તરવું, દોડવું, કુદવું, ઉડવું શરું કર્યું.

જીવન- ભાગેડું કલાકાર- બંધિયારપણામાથી આઘાપાછા થઈને બહાર નીકળવામાં એટલું ઉસ્તાદ બની ગયું કે પૃથ્વીની કોઈ જેલ તેને બાંધી ના શકે.

જીવન બંધાવાનું ન હતું.
જીવનના મહાભારતની શરૂઆતની ઘડીઓ તાજી કરવા નવા જ પ્રકારના વિજ્ઞાનની જરૂર ઊભી થઈ- જે એક કરતાં વધારે વિદ્યાશાખાનું સંકલન હોય.
જે વ્યક્તિએ તે શાખા ઊભી કરી તે પોતે એક ભાગેડું કલાકાર હતો. 

ઈતિહાસના ભયંકર કાતિલોથી તે છટકી ગયો, અહીં જંગલમાં, ડગલે ને પગલે તેના દુશ્મનોની ઠેકડી ઉડાડતો.
આ છે રૉયલ ઈન્ટિટ્યુટ, લંડન; માઈકલ ફેરાડેએ જ્યાં આખું જીવન ગાળ્યું. તેના સમયે, ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં, જીવન અને પથ્થરની નીકટતા શોધાઈ ન હતી. 

જીવનનાં મૂળ શોધતાં પહેલાં વિજ્ઞાને બદલાવાનું હતું.

તે બદલાવ વિશે વૈજ્ઞાનિકોએ અગમવાણી ઉચ્ચરી હતી, જેનું મૂલ્ય, જેના અર્થ ભેળસેળિયા હતા.

ક્રિશ્ચીયન ફ્રેડરિક શૉઅનબાઈ (Schönbein) એક જર્મન-સ્વિસ રસાયણ શાસ્ત્રી હતો, જે વિજળીની મદદથી પાણીને તેના બે બંધારણીય રસાયણ- ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડમાં છૂટા પાડવા માટે પ્રયોગો કરી રહેલો. શૉઅનબાઈને લાગ્યું કે તેણે કશીક પરિચિત ગંધ અનુભવી, વિજળીના કડાકા વખતે હવામાં હોય છે તેવી. 

શૉઅનબાઈએ ઑઝોન શોધેલો.

યાદ છે ને પેલું વાતાવરણનું પેલું પડ જેના પ્રતાપે આપણા ખૂબ ખૂબ જૂના પૂર્વજો દરીયામાંથી નીકળી જમીન પર આવી શક્યા, જે આજેય આપણને પારજાંબલી કિરણોથી રક્ષે છે?

શૉઅનબાઈને પ્રયોગો કરવાનું ખુબ ગમતું.
એટલું બધું કે તેની પત્નીએ તેની પાસે વચન લીધું હતું, "તું રસોડાનો ઉપયોગ પ્રયોગશાળા તરીકે નહીં કરે, હોં નેં વ્હાલા?"

એક ધડાકો...શૉઅનબાઈએ સામુહિક નિકંદનનું એક શશ્ત્ર શોધ્યું. ગન પાવડર કરતાં ઘણું શક્તિશાળી વિસ્ફોટક રસાયણ. સુધારાવધારા પછી જે યુદ્ધને ધંધો બનાવનારી ખતરનાક હદે પહોંચવાનું હતું.

પણ, તે શૉઅનબાઈ જ હતો જેને વિજ્ઞાનની એક નવી શાખાનું આર્ષદર્શન થયેલું. ૧૮૩૮માં તેણે લખેલું : આપણી દુનિયાના સર્જન અને અજૈવિક પદાર્થોનાં રહસ્ય ઉકેલતાં પહેલાં જીઓકૅમેસ્ટ્રી- ભૂરસાયણનું તુલનાત્મક વિજ્ઞાન આદરવું, શરું કરવું જોઈએ.

શૉઅનબાઈના સ્વપ્નને સાકાર કરનાર વ્યક્તિ પચાસ વર્ષ પછી જન્મી.
તે પણ જર્મન-સ્વિસ હતી.
ર૧ વર્ષનો વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ એટલો તેજસ્વી હતો કે કોઈ પ્રવેશ પરીક્ષા કે ડિગ્રી વગર ઑસ્લો યુનિવર્સિટીએ તેને પદ ધર્યું હતું. ત્રણ વર્ષ પછી તેને નૉર્વેના પ્રથમ ક્રમાંકિત વિજ્ઞાન ખિતાબથી નવાજાયેલો.

વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ પૃથ્વીને એક સમગ્ર તંત્ર તરીકે જોતો હતો. તે જાણતો હતો કે આખું દ્રશ્ય જોવા ભૌતિકી, રસાયણ શાસ્ત્ર કે ભૂગોળનો છૂટો અભ્યાસ કામ નહીં લાગે...તે બધું ભેગું કરવું પડશે.
મૂળભૂત તત્ત્વોના અભ્યાસના તે શરૂઆતના દિવસો હતા. ગોલ્ડસ્મ્ટિ્થે આવર્ત કોષ્ટકનું પોતાનું આગવું વર્ઝન બનાવવા પેલા નવા જ્ઞાનને ખપમાં લીધું, તે કોષ્ટક આજેય વપરાશમાં છે.
તેનાથી ઉજાગર થયું કે મૂળભૂત તત્ત્વોમાંથી સ્ફટિક અને સંકુલ ખનિજો કઈ રીતે રચાય છે.

તત્ત્વો કઈ રીતે પર્વતો, કરાડો/ભેખડો, ખીણો બનાવે છે તેના પર તે સંશોધન કરી રહેલો. 

૧૯૨૮માં તેણે ગુટીંગન યુનિવર્સિટી, જર્મનીમાં પદ સ્વિકારવાનો જુગાર ખેલ્યો, જ્યાં ફક્ત તેના માટે આખી સંસ્થા ઊભી કરાઈ હતી. તેના સાથીદારોને લાગતું હતું કે તે સૌથી સુખી દિવસો હતા...૧૯૩૩ સુધી. ઍડોલ્ફ હિટલર સત્તામાં આવ્યો ત્યાં સુધી.

ગોલ્ડસ્મ્ટિ્થ જ્યુ હતો, પણ ધાર્મિક રીતે અનુસરતો નહોંતો. 
હિટલરને કારણે તે સ્થિતિ બદલાઈ.
ગોલ્ડસ્મ્ટિ્થે મુખર રીતે સ્થાનિક યહુદી સમૂહ સાથે જોડાવા માંડ્યો. 
પોતાના જ્યુ મૂળ, પેઢીઓ-સદીઓ જૂનાં, જાહેર કરવાનું હિટલરે ફરમાન કાઢેલું. કેટલાય હતા, જેઓ પોતાના જીવનને સાટે દાદાને કૉન્સનટ્રેશન કૅમ્પમાં મોકલી રહેલા. પણ ગોલ્ડસ્મ્ટિ્થે જાહેર કર્યું કે તેનાં તમામ વડવા યહુદી છે.

હિટલર અને હૅરમન ગોરીંગ- ગેસ્ટાપોનો સ્થાપક, તેથી નાખુશ થયા. તેમણે ગોલ્ડસ્મ્ટિ્થને વ્યક્તિગત પત્ર લખી જણાવ્યું કે તેને યુનિવર્સિટીએથી પદચ્યુત કરવામાં આવ્યો છે.
ખભે એકલાં લૂગડાં લઈ તે નૉર્વે ભાગી છૂટયો.
ગોલ્ડસ્મ્ટિ્થ ઑલીવાઈન- સૂર્ય મંડળના રચના કાળથી બચેલા ખનિજ-ને લગતા સંશોધનમાં ડૂબી ગયો. અત્યંત ઊંચા તાપમાનને સહન કરવાની તેની ક્ષમતાથી તે અભિભૂત હતો. જીવનનું પારણું બંધાવવામાં ઑલીવાઈનની ભૂમિકા હોઈ શકે છે એમ કહેનાર તે પહેલો હતો. દરમ્યાન, બ્રહ્માંડમાં ઑલીવાઈનની હાજરી બાબતે તે નવાઈમાં હતો. તે કૉસ્મોકૅમેસ્ટ્રીની શરૂઆત હતી.

૧૯૪૦માં જર્મનીએ નૉર્વે પર કબજો કર્યો, ગોલ્ડસ્મ્ટિ્થે ખીસામાં સાઈનાઈડની કૅપસ્યુલ રાખવું શરૂ કર્યું- ગૅસ્ટાપો ગમે ત્યારે આવી પહોંચે તો તે પોતાને તત્ક્ષણ ખતમ કરી શકે તે માટે.

બીજા વૈજ્ઞાનિક મીત્રે પુછ્યું, "મને પણ એક ગોળી મળી શકે?"
ગોલ્ડસ્મ્ટિ્થ ઉવાચઃ, "આ ઝેર ફક્ત રસાયણ શાસ્ત્રી માટે છે. ભૌતિક શાસ્ત્રી તરીકે તારે દોરડાથી નભાવવું પડશે."

હૅર ગોલ્ડસ્મ્ટિ્થ!

પણ, જ્યારે ગૅસ્ટાપો આવ્યા, ગોલ્ડસ્મ્ટિ્થે ગોળી વાપરી નહીં.
ઑશવીક/ઑઝવીચ મોકલતાં પહેલાં તેમણે તેને બર્ગ કૉન્સન્ટ્રૈશન કૅમ્પમાં મોકલ્યો. એવી જગ્યાએ જેને તે 'ત્યાં જવાની કોઈને સલાહ ના અપાય' તેવી કહેતો.

નાઝીઓને પણ ગોલ્ડસ્મ્ટિ્થ કામનો હતો.

તે જો રાઈશ (જર્મન રાષ્ટ્રવાદ)ની સેવામાં તેનું વિજ્ઞાન વાપરે તો જીવતદાન.
ગોલ્ડસ્મ્ટિ્થે તેના જુલમગારો સામે ખેલ પાડ્યો. તેણે નાઝીઓને ઝાંઝવા પાછળ દોડાવ્યા. તેણે તેમને અસ્તિત્વમાં જ ના હોય તેવા ખનિજ શોધવા મોકલ્યા, તેમને એમ ગળે ઉતારીને કે યુદ્ધમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે તેવાં તે બેશકિમતી છે. તેની છેતરપિંડી કોઈ પણ ક્ષણે પકડી શકાય તેમ હતી, જેનો અર્થ ક્રુરતમ મોત થાય.

૧૯૪૨ સુધીમાં નૉર્વેજીયન વિપ્લવકારીઓને ખ્યાલ આવી ગયેલો કે ગોલ્ડસ્મ્ટિ્થ મહાશયનો ખતરનાક ખેલ ઝાઝું ખેંચે તેમ નથી. તેમણે તેને સ્વિડીશ સરહદેથી ભગાડી લેવાની ગોઠવણ કરી.

ગોલ્ડસ્મ્ટિ્થે યુદ્ધનો બાકીનો સમય સ્વિડનમાં અને પછી ઈન્ગ્લેન્ડમાં પસાર કર્યો, મિત્ર રાષ્ટ્રોને તેનો જ્ઞાનલાભ આપતાં રહીને, યુદ્ધની તકલીફોએ ખોરવી નાખેલા સ્વાસ્થ્ય સાથે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પુરું થયાના દોઢ વર્ષ પછી વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ મૃત્યુ પામ્યો.
તે દરમ્યાન તેણે સંકુલ જૈવિક અણુઓ વિશે એક સંશોધન પત્ર લખ્યો, જે તેના મતે પૃથ્વી પર જીવનની શરૂઆત તરફ દોરી શકનાર હોઈ શકતો હતો.

તે સંશોધન પત્રના વિચાર આજે પણ જીવનના પ્રાગટ્ય બાબતે કેન્દ્રિય છે.
ગોલ્ડસ્મ્ટિ્થને ખબર નહોતી પડવાની કે તેના પછીની જીઓકૅમીસ્ટ્સની પેઢી તેને તે ક્ષેત્રનો પિતામહ માનવાની હતી.

તેની છેલ્લી ઈચ્છામાં એક હતી સાદી વિનંતી : તેનાં અસ્થિ તેણે બનાવેલા ચોક્કસ ઘડામાં રાખવા  -જીવન જેના કારણે પાંગર્યું મનાય છે તે તત્ત્વ, તેના પ્રિય ખનિજ ઑલીવાઈનથી બનાવેલા ઘડામાં.


ભાગ ૯: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_10.html


No comments: