28.3.21

પ.૩ (૨૦) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મગજની ભાષા જનીન પર છપાતી નથી કારણકે જીવનનું શબ્દ ભંડોળ પાંખું છે.
મગજને એવી ભાષા જોઈએ જેના શબ્દ ભંડોળમાં ૧૦,૦૦૦ ઘણા શબ્દો હોય.
માનવ મગજની માહિતીને બીટ્સમાં ગણીએ તો ન્યુરોન્સના તમામ જોડાણ સાથે તેની સરખામણી થઈ શકે...લગભગ હજાર લાખ કરોડ બીટ્સ. 
માનવ મગજની બધી વિગતોને જો લખાણ સ્વરૂપે મૂકવામાં આવે તો વિશ્વના સૌથી મોટા પુસ્તકાલયોમાંના પુસ્તકો કરતાંય વધારે સંખ્યા થાય. તમારા મગજમાં ૪૦૦ કરોડ પુસ્તકો છે.

મગજ ખુબ નાની જગ્યામાં સંકોરાયેલો વિશાળ મહાલય છે.
પેલી દરિયાઈ માઈક્રોબીઅલ્સ સાદડીએ જેની શરૂઆત કરી તેવા ન્યુરોન્સમાં તે લખાયું છે.
એક મિલીમિટરના હજારમાં ભાગ જેવડા ન્યુરોન્સ ઈલેક્ટ્રોકૅમિકલ કળ/ચાવી છે. આપણા દરેકમાં 8600 કરોડ ન્યુરોન્સ છે, આપણી આકાશગંગામાં આવેલા તારાની સંખ્યા જેટલા લગભગ.
ન્યુરોન્સ અને તેના ભાગ, ઍક્સોન્સ, સિનેપ્સીસ અનેે તેમને સમાવતા  કોષ મળીને મગજમાં એક નેટવર્ક રચે છે. ઘણા ન્યુરોન્સને તેમના પાડોશી સાથે હજારો સંપર્ક સૂત્ર હોય છે. ડૅન્ડરાઈટ્સ, બીજા ન્યુરોન્સ સાથે જોડાવા ન્યુરોન્સે રચેલા પરિપથ, આ નર્વ કોષને સીનેપ્સીસ સુધી લંબાવે છે અને એમ કરતાં સભાનતાની વિશાળ ગૂંથણી રચાય છે.

મગજની ન્યુરોકૅમેસ્ટ્રી આશ્ચર્યજનક હદે વ્યસ્ત રહેતી હોય છે, માણસે બનાવેલા કોઈ પણ મશીન કરતાં ઘણું ઘણું વધારે. પેલા ૧૦,૦૦૦ લાખ ન્યુરોન જોડાણને કારણે મગજ કાર્યરત છે અને જેના કારણે તમે તમે છો. પ્રેમ અને અહોભાવ જેવી તમારી ઊંડી લાગણીઓ, જ્યારે તમને કુદરતના વૈભવની અને સભાનતાના બંધારણની બારીકાઈની ઝાંખી થાય છે...તે બધું પેલા જોડાણને કારણે છે.

પ્રાકટ્યનો અર્ક આ છે : પદાર્થના સૂક્ષ્મતમ કણ સામુહિક કામ કરીને પોતે જે છે તેના કરતાં અનેકગણી મહાન અભિવ્યક્તિ પામે છે, બ્રહ્માંડ પોતાને જાણી શકે તે માટે.
પ્રાકટ્ય અંગે એક દર્શન પણ છે, જે આથી પણ ઉચ્ચ છે.
શું આપણે બ્રહ્માંડને જાણીએ શકીશું?
અને શું તે આપણને જાણી શકશે?
આ બધી આકાશ ગંગાઓ, સૂર્ય મંડળો, અસંખ્ય ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, વ્યક્તિઓ અને તેમના અરમાન...જે કાંઈ હતું, છે કે હોવાનું છે તે?
શું આપણે બ્રહ્માંડને જાણી શકીશું?

મને શંકા છે કે આપણે મીઠાના એક કણને પણ જાણીએ છીએ કે કેમ.
રસોડામાં વપરાતા મીઠાનો એક માઈક્રોગ્રામ, સારામાં સારી દ્રષ્ટિવાળી વ્યક્તિ પણ માઈક્રોસ્કોપ વગર જોઈ ના શકે... તે એક કણમાં સોડિયમ અને ક્લોરિનના દસની સોળ ઘાત જેટલા અણુ હોય છે.
તેનો અર્થ શું થયો?
તેનો અર્થ એમ થાય કે મીઠાના પ્રત્યેક કણમાં એક હજાર લાખ કરોડ અણુ છે. મીઠાના કણને બરાબર સમજવો હોય તો ઓછામાં ઓછું તે દરેક અણુનું ત્રિપરિમાણીય સ્થાન સમજવું પડે.
હકીકતમાં, બીજું ઘણું જાણવા જેવું છે... દાખલા તરીકે,અણુઓ વચ્ચેના બળોના ગુણધર્મ.
પણ, તે ફરી ક્યારેક.

મગજ કેટલું જાણી શકે?
ગણતરી કરીએ તો, બદધે બધા ન્યુરોન્સ, તેમના ડેન્ડ્રાઈટ્સ, ઍક્સોન્સ, સીનેપ્સીસ સાથે... આપણે સો લાખ કરોડ બાબતો જાણી શકીએ.
પણ, તે તો મીઠાના કણમાંના પરમાણુઓનો એક ટકા થયું!
એટલે કે, બ્રહ્માંડ પ્રચંડ છે, જ્ઞાન પ્રાપ્તિના માનવ ઉપક્રમ માટે અનેક અનેકગણું ગહન. આ તબક્કે તો આપણે મીઠાના એક કણને બરાબર જાણતા નથી, બ્રહ્માંડ તો દૂરની વાત છે.

પણ, ચાલો આપણા મીઠાના એક માઈક્રોગ્રામ કણને વધુ નજીકથી જોઈએ.
મીઠું એક સ્ફટિક છે. તેની જાળીદાર રચનામાંની કેટલીક ખામીઓ અવગણીએ તો, સોડિયમ અને ક્લોરિનના પ્રત્યેક પરમાણુનું સ્થાન પૂર્વ નિર્ધારિત છે. આપણે જો વામન બની તે સ્ફટિકમય દુનિયામાં ઉતરીએ તો આપણને જાળીદાર રચનાઓના પડ પર પડ જોવા મળશે... સોડિયમ, ક્લોરિન, સોડિયમ...
મીઠાના એક કણના પ્રત્યેક પરમાણુનું સ્થાન દસ બીટ્સ જેટલી માહિતી છે. આટલી માહિતી મગજ માટે ભારરૂપ નથી. મગજ પાસે હજી ઘણી જગ્યા વધે છે.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જે એવા પ્રાકૃતિક નિયમોની નિયમિતતાથી સંચાલિત છે જે રીતે મીઠાનો પેલો કણ અસ્તિત્વમાં છે. તો...
બ્રહ્માંડ જાણી શકાય છે.
ભલે તેના નિયમ અતિ સંકુલ હોય, આપણી પાસે તે જાણવાની તક છે ખરી.
બ્રહ્માંડની વાસ્તવિકતા આપણા મગજની માહિતી ક્ષમતા કરતાં વધારે હોય તો પણ.
આપણે શરીરની માયા છોડી વધારાની માહિતી સાચવવા કમ્પ્યુટર બનાવી શક્યા છીએ.
અને એમ, અમુક હદે આપણે બ્રહ્માંડને જાણી શક્યા છીએ.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જેને કોઈ નિયમ નથી અને જે સંપૂર્ણ પણે આપણી ધારણા બહાર વર્તે છે. તેવા બ્રહ્માંડમાં લગભગ દસથી માંડીને એંસી સુધીના મૂળભૂત તત્ત્વ હોઈ શકે. આવા બ્રહ્માંડના રહેવાસીની દિનચર્યા કોઈ નિયમિતતા વગરની અણધારી ઘટનાઓનો શંભુમેળો- ગોટાળો હશે. અને જો આવા રહેવાસીઓ હશે તો તેઓ ભારે જોખમમાં હોવાના. 

આપણે નસીબદાર છીએ કે આપણને એવું બ્રહ્માંડ મળ્યું છે જેના અગત્યના હિસ્સા જાણી શકાય તેવા છે.
બ્રહ્માંડ એ લોકોનું છે જેઓ છેવટે કંઈક અંશે તેને ઓળખી શક્યા છે.
કુદરતમાં એવા કેટલાક નિયમ, વ્યવસ્થા તારવી શકાયા છે- ફક્ત ગુણાત્મક નહીં, સંખ્યાત્મક રીતે પણ, તે જાણવું રોમાંચક છે.
પણ, આપણી અંદરના બ્રહ્માંડનું શું?
તે અજાણ એકલવાયા દરિયાનું?

તમારા દિમાગમાં, સેરેબલ કૉર્ટેક્સમાં સો લાખ કરોડ- ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦- જોડાણ છે. દ્રશ્ય બ્રહ્માંડની આકાશગંગાઓના સો ગણા. હજી તો આપણે તેમાં યાત્રા શરૂ કરી છે.

જેમ જીવ વિજ્ઞાનીઓ માનવ જનીનનો નકશો બનાવી શક્યા તેમ ન્યુરોસાયન્ટિસ્ટ્સ આપણા દરેક માટે આગવો, ખાસ નકશો બનાવવામાં લાગેલા છે.
તેને કનેક્ટોમ કહે છે.

આપણે જો સાચે જ બીજી વ્યક્તિના કનેક્ટોમને- તેની તમામ સ્મૃતિ, વિચાર, ડર, ખ્વાબ... ના એકતારીય ચિત્રને- જાણીએ તો...

આપણે એકબીજા સાથે કેવું વર્તન કરીશું?
શું આપણે કોઈ જીઓવાન્નીના દિમાગને તેની અગણિત તકલીફોમાંથી મુક્ત કરી શકીશું?
શું આપણે આપણા એક કનેક્ટોમને આ઼તરતારકિય ખોજ માટે ભવિષ્યમાં મોકલીશું, કે પછી તેવા કનેક્ટોમનું સ્વાગત કરીશું?

શું તે જ અંતિમ પ્રાકટ્ય હશે- વિચાર અને સપનાંથી સંકળાયેલું બ્રહ્માંડ?

અંક ૧૯: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_21.html

21.3.21

પ.૩ (૧૯) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મોસેનુ઼ં કામ આગળ લઈ જઈ હાન્સ બેર્જર બતાવવા માંગતો હતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે.
તેની શરૂઆત એક વિચિત્ર અકસ્માતથી થઈ.
હાન્સ બેર્જરનું સપનું હતું ખગોળ વિજ્ઞાની બનવાનું. પણ, તે ઘણું અઘરું હતું. તેથી ૧૯૮૨માં તે જર્મન સેનામાં ભરતી થઈ ગયો. એક વખત મોતના મોંમાંથી બચી જતાં બેર્જર હચમચી ગયો. પણ તેથીય ભારે ખળભળાટ તો રાત્રે થયો...તેના પિતા- જેમનું વલણ ટાઢુંબોળ રહેતું અને જેમણે અગાઉ ક્યારેય તેને સંદેશો નહોંતો મોકલાવ્યો- તરફથી ટેલીગ્રામ આવ્યો હતો. બેર્જરની મોટી બહેન એવી આશંકાથી છળી મરી રહેલી કે તેના નાનકા ભાઈ સાથે કશુંક ભયાવહ થયું છે.
'એ શું શક્ય છે...' બેર્જરને નવાઈ લાગી 'કે જે ક્ષણે પોતે મોતના મુખમાં હતો, પરિવારમાં પોતે જેની સૌથી નજીક હતો તેવી બહેનને પોતાના મગજે  કોઈ ટૅલીપથીક સંદેશો મોકલ્યો હોય?'

બેર્જર દાક્તર બન્યો અને જેના વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર પણ.
દિવસ દરમિયાન તે વિદ્યાર્થીઓ અને સાથીદારો સાથે કામ કરતો- જેમને લાગતું કે બેર્જર વધારે પડતો ફોર્મલ અને વૈજ્ઞાનિક સાહસ વિનાનો છે. પણ રાત્રે તે એક ખાનગી પ્રયોગશાળામાં જતો જ્યાં તે મગજની પ્રવૃત્તિઓ બાબતે પ્રયોગો કરતો.
બેર્જર માનતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે તેમ સાબિત કરવાની આ શ્રેષ્ઠ તક છે. તેને ડર હતો કે તેના સંશોધનનો સાચો હેતુ જાહેર થશે તો લોકો તેના પર હસશે.
તેણે વીસ વર્ષ સુધી આ વાત સંતાડી રાખી. 

બેર્જરે બનાવેલા ઈલેક્ટ્રોઍન્સેફલોગ્રાફ વડે મગજના સંદેશાના તરંગ પકડી શકાય છે અને ઘણા માનસિક રોગ- ખેંચ સહિત-નું નિદાન કરી શકાય છે.
માનસિક શક્તિ અથવા ટૅલીપથીક સંવાદની કોઈ સાબિતી તેને ક્યારેય મળી નહીં.
બેર્જર ઘેરી હતાશામાં સરી પડ્યો અને ૧૯૪૧માં તેણે પોતાની ખાનગી પ્રયોગશાળામાં ગળેફાંસો ખાઈ લીધો.
EEG આજેય વપરાય છે, જો કે, બેર્જરના સાધન કરતાં અનેક ઘણી વધારે ચોકસાઈથી મગજની પ્રવૃત્તિઓ જોવાના, નોંધવાના વિકલ્પો હવે આપણી પાસે છે. આપણે હવે વિચારોની ઈલેક્ટ્રોકેમિકલ ભાષા ઉકેલી શકીએ છીએ.

ઍન્જેલો મોસોએ જીઓવાન્નીના સપનાના ઇલેક્ટ્રિક તરંગ નોંધ્યા તેના બરાબર સો વર્ષ પછી, નવીસવી પ્રેમમાં પડેલી સ્ત્રીના મગજના તરંગ વોયેજર નામક આંતર તારકિય યાન સાથે મોકલવાના સંદેશાઓમાં શામેલ કરવામાં આવ્યા, આકાશગંગામાં અબજો વર્ષની યાત્રાએ.

ઘોડાગાડીથી આંતર તારકિય યાન સુધીની યાત્રા- માત્ર સો વર્ષમાં.

ટેલિગ્રામથી શરું કરીને પ્રકાશની ઝડપે આપણા વિચારો બીજા સુધી પહોંચાડવા, આપણી ઊંડી લાગણીઓ ભવિષ્યમાં પહોંચાડવી...
આપણે આવો હનુમાન કુદકો કંઈ રીતે લગાવી શક્યા?
અને શા માટે આપણે જ- પૃથ્વી પર ધબકેલા, ધબકતા અગણિત જીવોમાંથી?
આફ્રિકાના સવાનામાંથી નીકળેલા પ્રાઈમેટ્સના વંશજોએ મંગળ ગ્રહના લાલ રણમાં રોબોટિક જાસૂસો મોકલ્યા છે, પૃથ્વી ફરતે કુત્રિમ ઉપગ્રહોની હારમાળા રચી દીધી છે. આપણું એક યાન, વૉયેજર વન, સૂર્યના ગુરુત્વાકર્ષણથી છટકીને આંતર તારકિય અવકાશના ઊંડાણમાં જઈ રહ્યું છે.

અને, આ બધી જ શોધયાત્રાઓની શરુઆત થઈ છે મગજમાં.
આપણી રહસ્યમયી પ્રાપ્તિઓ જેના થકી શક્ય બની છે તે જ આપણને કેમ સમજાતું નથી?
માન્યામાં ના આવે પણ આપણું મગજ એ જ તત્વોનું બનેલું છે જેનાથી આપણું પેટ કે પગ બનેલા છે.

સભાનતા પ્રકૃતિ પારની જણાય છે.
ઓળખ, આશ્ચર્ય, શંકા, કલ્પના, પ્રેમ...

આવર્ત કોષ્ટક પરથી આપણે શ્રેષ્ઠતાનું સંકલન કઈ રીતે થાય?

ચીલી અને પેરુના દરિયાઈ પટ્ટીમાં એક સાગરને તળીયે જઈ જોઈએ. અહીં પૃથ્વી પરનું કદાચ સૌથી મોટું જૈવિક તંત્ર છે. તે છે માઈક્રોબ્સની વસાહત, ગ્રીસ જેટલા વિસ્તારમાં. પણ, તેના કદ કરતાંય બીજી એક જબરજસ્ત બાબત છે તેમાં : આ વસાહતના પૂર્વજો દર્શાવે છે મગજના ઘડતરનો પ્રાથમિક તબક્કો.
આ વસાહતના કેન્દ્રમાં રહેતા માઈક્રોબ્સ ભૂખ્યા થાય ત્યારે તેઓ વસાહતની સરહદો પર રહેતા નાગરિક-માઈક્રોબ્સને ઈલેક્ટ્રોકૅમિકલ સંદેશા મોકલે છે. આ સંદેશા આયોન ચૅનલ નામે ઓળખાતા રસ્તે જાય છે. જાણે કે સ્પાર્ટાથી મોકલાયેલો સંદેશો પોટેશિયમના કેસરીયા તરંગ તરીકે ઍથેન્સ પહોંચે : બધું ઝાપટી ના જશો!

જવાબમાં વસાહતના સીમાડાના માઈક્રોબ્સ પોષક તત્ત્વોની પોતાની ખપત ઘટાડે.

શક્ય છે કે આ માઈક્રોબ્સના પૂર્વજોએ આ વિશીષ્ટ પ્રકારના સંદેશાવ્યવહાર માટે ન્યુરોન/ ચેતા કોષ ઉત્ક્રાંત કર્યા હોય.

પ્રાણી સૃષ્ટિના લગભગ તમામ જીવોમાં  ન્યુરોન/ ચેતા કોષ ચેતાતંત્રનો પ્રાથમિક એકમ છે. એક પ્રજાતિથી બીજી પ્રજાતિના ચેતા કોષોમાં લગભગ નહીંવત્ તફાવત જોવા મળે છે. પણ, તેમની સંખ્યામાં તે ફેરફાર નોંધપાત્ર રીતે મોટો છે.
હાલ એવું મનાય છે કે એક સમયે દૈવી રોગ ગણાયેલ ખેંચ એ આયોન માર્ગોની મગજમાં ખોટી રીતની દોટ છે.

જરા વિચારો : એક માઈક્રોબીઅલ ચાદર અને આઈઝેક ન્યુટન લાખો, કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ વડે જુદા પડે છે. છતાં, બંનેનું મૂળભૂત વૈચારિક પરિબળ એક જ છે. ૪૦૦ કરોડ વર્ષ પહેલાં માઈક્રોબ્સે વિકસાવેલ સંદેશાવ્યવહાર વ્યવસ્થા હજી પણ આપણી ભીતર છે. ત્રણસો કરોડ વર્ષ પહેલાં તે માઈક્રોબ્સને જોનાર કોઈએ પણ ભવિષ્ય નહીં ભાખ્યું હોય કે એક કોષી જૈવિક વ્યવસ્થામાંથી વિકસીને માણસ બનશે.

જૈવિક તંત્રો અને પર્યાવરણ વચ્ચે સદીઓ સુધી આદાન પ્રદાન થાય ત્યારે આવું થાય. જીવનના, જીવન જીવવાના અને સભાન થવાના નવા વિકલ્પો ઉઘડે.

જુદા-જુદા ભાગના સરવાળા કરતાં આખું માળખું મોટું થઈ જાય તેને કહે છે પ્રાકટ્ય.

ઘણા ઘણા વર્ષો, લગભગ ૬૦૦૦ લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવને કાંઈક જુદું જ ઉત્ક્રાંત કર્યું, એક કમાન્ડ સેન્ટર જે તેના પર્યાવરણને ઓળખે અને તેની સાથે પ્રત્યાયન કરે - મગજ.

એવી ધારણા છે કે મગજ સૌ પહેલાં ફ્લૅટ વૉર્મ/ પટ્ટી કીડામાં બન્યું.
તે વખતે મગજ એટલે એક શિકારીને જરૂર પડે તેવું અંગ- શિકાર શોધવા અને આક્રમણના આયોજન માટેનું. બાયનોક્યુલર જેવી દ્રષ્ટિ મળતાં પટ્ટી કીડાને આસપાસની ચીજો તથા ઊંડાઈના પરિમાણ અંગે સ્પષ્ટતા સાંપડી- શિકાર ઝડપવાની વધુ તક.
પટ્ટી કીડાના મગજમાં ચેતાકોષોનાં બે સઘન જાળાં હતાં - ગેન્ગલીઆ.
તેમાંથી નીકળતા દોરડાં/તાર સૂચનાઓ અને સંવેદનાઓને શરીરના બીજા ભાગોમાં પહોંચાડતા- ૮૦૦૦ ન્યુરોન/ ચેતાકોષની મદદથી. પાછળથી ઉત્ક્રાંત થયેલા જીવોની સરખામણીમાં નગણ્ય, પણ એક નોંધપાત્ર શરૂઆત.
માયાના જે ભાગે કાનનહોવા જોઈએ તેવી જગ્યાએ પટ્ટી કીડામાં ઑરીસીઈસ છે- એક પ્રકારનું નાક. દેખાવમાં તે આપણી સાથે કોઈ મેળ ખાતું નથી પણ તેની અને આપણી વચ્ચે ઘણી સામ્યતા છે.  આપણા બેઉંમાં એક સરખા રસાયણો છે- ન્યુરોટ્રાન્સમિટર નામે ઓળખાતા. આપણે એક સરખા વ્યસનના બંધાણી છીએ : પટ્ટી કીડા શીખી શકે છે. પોતાના પર્યાવરણની માહિતી પર પ્રક્રિયા કરી તેઓ અનુકુલન તરફી વર્તન કરે છે.

વૈજ્ઞાનિકો માને છે કે તેઓ એવું પહેલું પ્રાણી છે જેનું શરીર આગળ, પાછળના ભાગમાં વહેંચાયેલું હોય, જેને માથું હોય - શરીર રચનાનું એવું આદર્શ માળખું છે ૬૦૦૦ કરોડ વર્ષ પછી પણ સાંપ્રત હોય.

અને તેઓ ખરા અર્થમાં કેડી કંડારનારા હતા. 
તેમની પહેલાંના જીવો કરતાં અલગ, જે જોઈતું હોય તે શોધવા અજાણ જગ્યાઓએ રખડવાની ટેવ તેમણે કેળવી હતી.

પટ્ટી કીડા રસપ્રદ છે. પણ, તેમના અને આપણા મગજમાં મોટો તફાવત છે.
ત્યાંથી અહીં સુધી આપણે કઈ રીતે પહોંચ્યા?
ચોક્કસ ખબર નથી.
કારણકે મગજ પોચું, ભેજવાળું હોય છે.
જીવાશ્મિઓમાં તેમની છાપ સચવાઈ નથી.
પણ, મગજ પોતે પોતાના ભૂતકાળને સાચવીને બેઠું છે.
કેમ?
કારણકે મગજ એક મહાનગર જેવું છે.
દુનિયાના મોટાભાગના મહાનગરો આડેધડ, ટુકડે ટુકડે વિકસ્યાં છે- જે તે સમયની જરૂરિયાતને પહોંચી વળવા. ભાગ્યે જ કોઈ શહેર ભવિષ્યના આયોજન સાથે બનાવાયું છે.
જેમકે, ન્યુયોર્ક શહેરની કેટલીક ગલીઓ સત્તરમી સદીની છે, સ્ટોક એક્સચેન્જ ૧૮મી સદીનું, વૉટર વર્કસ અને ઈલેક્ટ્રિક વ્યવસ્થા ૧૯મી સદીનાં અને સંદેશાવ્યવહાર ૨૦મી સદીનો. 

મહાનગર એક મગજ જેવું છે : તે એક નાનકડા કેન્દ્ર તરીકે શરું થાય છે અને ધીમે ધીમે મોટું થતું જાય છે, બદલાતું જાય છે, ઘણા જૂના પૂર્જા જેમના તેમ કાર્યરત રાખીને.

અદ્યતન વ્યવસ્થા અમલી બનાવવા શહેરની પાણી કે વિજળીની ગોઠવણ રોકી ના શકાય. ફેરફાર ટુકડે ટુકડે જ થાય છે.
મગજ બાબતે પણ એમ જ છે.
મગજના જૂના રાચરચીલાનું ઘડતર અધકચરું હોવાથી તેને ફેંકી દેવું ઉત્ક્રાંતિને પોસાય નહીં.
મહાનગર અને મગજ બંનેએ રિનોવેશન દરમિયાન પણ કામ કરતાં રહેવું પડે.
તેથી જ આપણી લીમ્બિક સીસ્ટમ સેરેબ્રલ કોર્ટેક્સથી વિંટળાયેલી છે.
જૂનો ભાગ બધી અગત્યની વ્યવસ્થાઓ સંભાળે છે તેથી તેને એકદમ બદલી ના શકાય.
તેથી, ઘણી વાર તે કાંઈક ઉલટું જ કરે છે.
પણ, તે તો ઉત્ક્રાંતિની આડ પેદાશ છે.
મહાનગર એ સેરેબ્રલ કોર્ટેક્સની ભેંટ છે.


લેખ ૧૮: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_14.html

14.3.21

૫. ર (૧૮) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

૧૯મી સદી

બ્રોકા માનવતાવાદી હતો. તે એવા તારણ પર પહોંચ્યો હતો કે મગજના બંધારણ બાબતે આપણો આપણા પ્રાણીજ પૂર્વજો સાથે ગાઢ સંબંધ છે. તેણે પોતાની યુવાનીમાં મુક્ત વિચારસરણીવાળા વ્યક્તિઓનું સંગઠન બનાવેલું. સંશોધન બાબતે કોઈ રોકટોક ના હોવી જોઈએ તેમ તે દ્રઢપણે માનતો હતો. પોતાના તે ઉદે્શ માટે તેણે જીવનભર કામ કર્યું.

છતાં, બ્રોકા સુદ્ધાં તે સમયના સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહોથી અંજાયેલો હતો. તે માનતો હતો કે  સ્ત્રી કરતાં પુરુષો અને બીજા તમામ વર્ણના લોકો કરતાં ગોરા લોકોની બૌદ્ધિક ક્ષમતા વધારે છે. બ્રોકાનું ઉદાહરણ એ વાતની સાબિતી છે કે તેના જેવા માનવતાવાદી, મુક્ત સંશોધનના હિમાયતી પણ પ્રાદેશિક મતાગ્રહથી ગ્રસ્ત થઈ શકે છે.

સમાજ તેના શ્રેષ્ઠ ફરજંદને બગાડે છે.
નવીનતમ વિચારધારા સાથે કોઈ વ્યક્તિ સહમત ના થાય તે સ્વિકારી શકાય. પણ, સમાજનો મોટો વર્ગ જૂનવાણી માન્યતાઓને વળગી રહે તે દુઃખદ છે. દુઝતી અનિશ્ચિતતા વચ્ચે પ્રશ્ન ઊઠે કે  આપણા સમયની કઈ અવધારણાને પછીની પેઢી માફી યોગ્ય પણ નહીં ગણે?

બ્રોકાએ પહેલીવાર પ્રસ્થાપિત કર્યું કે શરીર રચના અને તેના કાર્ય વચ્ચે સંબંધ છે. પણ, જેને ભાન, બુદ્ધિ કે ચેતના કહીએ છીએ તેનું મૂળ ક્યાં?
સ્વપ્ન કયા પદાર્થનાં બનેલાં છે? તેમને તો બરણીમાં ભરી શકાતાં નથી!


પ્રાચીન ઇજિપ્તવાસીઓએ અંધારી રાતે આકાશમાં જોયું અને તેમને તેમાં આકાશગંગાની દેવી નુટ-ના શરીરનો ભાગ દેખાયો. તેઓ માનતા હતા કે સ્વપ્ન જોતી વખતે વ્યક્તિ આ જીવન પછીના જીવનમાં પ્રવેશે છે. તેથી, સ્વપ્ન જોવાને તેમણે એક વિધિનુ‍ં સ્વરૂપ આપ્યું, ભવિષ્યમાં શું છુપાયેલું છે તે જાણવાનો રસ્તો અથવા દેવતાઓને સંદેશો પહોંચાડવાનો માર્ગ. શ્રધ્ધાળુ તો સ્વપ્ન મંદિરની જાત્રા કરતા. સ્વપ્ન માર્ગ માટે પોતાને તૈયાર કરવા તેઓ એકાંતમાં રહેતા, શરીર અને મનને શુદ્ધ કરવા ઉપવાસ કરતા. ચોક્કસ દેવતાને સંબોધીને પ્રાર્થના લખી, બાળી નાખતા. તેનો ધુમાડો પ્રાર્થનાને દેવતા સુધી પહોંચાડશે એમ માનીને. કાશ આપણે ઈજિપ્તના ડૅન્ડેરા મંદિરમાં જોવાયેલાં સ્વપ્ન ઉકેલી શકતા!

તમને કાલે રાત્રે શું સ્વપ્ન આવ્યું હતું?

આપણી ઊંઘ અને જાગૃતિને છૂટી પાડતી પળ બાબતે પુરાણા ઈજિપ્શીયનો રોમાંચિત હતા.  તેઓ માનતા કે સ્વપ્નમાં આપણે સાચે જ કોઈ બીજા પ્રદેશમાં પહોંચીએ છીએ અને સ્વપ્નો વાસ્તવિક, હકીકત છે.
ઝાંખા પાંખા સપનાની ઝીણી ઝીણી વિગતો બીજી કઈ રીતે સમજવી?

ડૅન્ડોરા મંદિરમાં સ્વપ્ન જોનારાઓના ૧૦૦૦ વર્ષ કરતાં વધારે સમય પછી એક એવો વૈજ્ઞાનિક આવ્યો છે એમ માનતો હતો કે સભાન અને અનભિજ્ઞ વિચારોમાં કશીક તો વાસ્તવિકતા છે, કે સ્વપ્ન એટલી વાસ્તવિક બાબત છે જેને રેકોર્ડ કરી શકાય. તેણે એમ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. બગડેલાં મગજ અને વેરવિખેર સ્વપ્નો જ્યાં હોય તેવી જગ્યાએ- ઈટાલીના તુર્કીમાં આવેલ મૅનીકોમીઓ દૅ કોલેગ્નો. ૧૭મી સદીમાં મૉનેસ્ટ્રી તરીકે બંધાયેલ તે જગ્યા ૧૮૫૦માં માનસિક ઉપચાર માટેની હૉસ્પિટલમાં તબદીલ થઈ હતી. પાછલા કેટલાક દશકથી તે બંધ છે.

તે સ્થળે ઍન્જેલો મોસોએ સ્વપ્ન અને વિચારોને લગતા પ્રયોગો કર્યા.
મજૂર વર્ગમાં જન્મેલા ઍન્જેલોએ વૈજ્ઞાનિક બનવા સખત મહેનત કરેલી. તેના શરૂઆતનાં સંશોધન દવા બનાવવા અને શરીર રચનાને લગતાં હતાં. અને તે તમામનો હેતુ મજૂરો, ગરીબોના જીવનને બહેતર બનાવવાનો હતો. વિજ્ઞાન થકી કામ કરવાની સ્થિતિમાં સગવડો અને સુધારા લાવી શકાય છે તેમ તે માનતો.
એવા સમયે, જ્યારે કોઈ સગવડ કે સંરક્ષણ વગર માણસો મોતના મોમાં જઈ કામ કરતા, મોસોએ ઈર્ગોગ્રાફ વિશે વિચાર્યું અને તે સાધન બનાવ્યું.  લોકોનો થાક માપતું તે સાધન તેણે એટલા માટે બનાવ્યું જેથી અતિશય શારીરિક શ્રમને કારણે ઊભી થતી તાણ માણસના શરીર અને મન પર શું અસર કરે છે તે પ્રયોગાત્મક રીતે દર્શાવી શકાય.

મોસોના મત પ્રમાણે 'નીચોવાઈ જવું'  તે શારીરિક તેમજ માનસિક સ્થિતિ છે, માણસના ચારિત્ર્યની ખોટ કે નબળાઈ નથી; શરીરનું કહેણ છે- પોતાને ઈજા પહોંચે તે પહેલાં જે કામ કરી રહ્યા છો તે કામ અટકાવી દેવાનું.

મોસોએ તર્ક લગાવ્યો કે ડરની જેમ  થાકનો પણ કોઈ ઉત્ક્રાંતિમૂલક ફાયદો છે. આ વાતનું નિદર્શન કરવા મોસો એવું કોઈ સાધન બનાવવા માંગતા હતા જે શરીરમાં લોહીના પ્રવાહને નોંધી શકે.

એક સંતુલિત ટેબલ પર વ્યક્તિને સુવડાવવાનો, ટેબલ સાથે નળાકાર સાધન એ રીતએ ગોઠવેલું કે જેના સરકવાથી તેની સાથે જોડાયેલ કિત્તો લોહીના પ્રવાહની નોંધ કરે. મૅડીકલ ઈમેજિંગનો પાયો નાખનારું સાધન. 

હૃદયની ગતિની તો નોંધ કરી શકાઈ પણ મગજની ગતિનું શું? ખોપડીમાં રહેલા મગજના સૂક્ષ્મ ગણગણાટને કેવી રીતે નોંધવો?

તે માટે કોઈ વ્યક્તિની ખોપડી ખોલવી પડે!
ગ્લોવાન્ની થ્રોન બે વર્ષનો હતો ત્યારે ખુબ ઊંચેથી પડતાં તેનું માથું એવું ભાંગ્યું હતું કે તેની ખોપડીનો અમુક ભાગ દૂર કરવો પડેલો. તે છોકરાને પાછળથી અવારનવાર, ભારે તીવ્ર ખેંચ આવતી. દિકરાનો રોગ ચેપી છે એમ માનીને તેના માબાપે પાંચ વર્ષની ઉંમરે તુરીનની મૅનીકોમીઓ દૅ કૉલેગ્નો હૉસ્પિટલમાં ભરતી કરી દીધો. ત્યાં તેની સ્થિતિ બદતર થતી ચાલી. તેને થયેલી ખતરનાક ઈજાના પરિણામે તેના મગજ સુધી પહોંચવાની બારી ખુલ્લી હતી. 

મોસોએ એટલું સંવેદનશીલ સાધન બનાવ્યું જે મગજમાં વહેતા લોહીના પ્રવાહને નોંધી શકે.

પણ, ગ્લોવાન્નીની સ્થિતિ એવી હતી કે તે ઊંઘતો હોય ત્યારે જ મોસો તેનો અભ્યાસ કરી શકે.
"રાતના અંધકારમય સન્નાટામાં, ગાઢ નિદ્રામાં સરેલા મગજની અંદર શું ચાલી રહ્યું છે તે જોવું, એક જબરદસ્ત અનુભવ હતો. દસથી વીસ મિનિટ સુધી મગજનો ધબકાર એકદમ ધીમો અને એકધારો રહ્યો. અને પછી, કોઈ બાહ્ય કારણ વગર, અચાનક મગજમાં સોજો જણાયો અને ધબકારાની ઝડપ ખુબ વધી ગઈ.

તે દુઃખી છોકરો આરામમાં હોય ત્યારે શું સ્વપ્ન તેને ચપટી સુખ આપવા આવતાં હતાં? કે તેની માતાનો ચહેરો કે બાળપણની સુખદ યાદ તેની સ્મૃતિમાં ચમકતી હતી- તેના બૌદ્ધિક અંધારાને રોશન કરીને તેના મગજને આવેગથી ધબકાવી નાખનારી યાદ? કે પછી તેનું દિમાગ પોતાને સંકોરી રહેલું?"

બરફવર્ષાવાળી તે રાતે ઍન્જેલો મોસોએ મગજને પેન પકડાવી, પોતાના વિશે લખવા માટે.
તેણે ન્યુરો ઈમેજિંગની શરૂઆત કરી અને બતાવ્યું કે ઊંઘમાં પણ મગજ ધબકે છે, જીવનની રસમના તેજ તણખા ઊંઘમાં પણ ઝબકે છે, સ્વપ્ન તરીકે, યાદ તરીકે, કોઈ ગોઠવણ તરીકે. આપણા વિચાર, કલ્પના, સ્વપ્ન...તે બધાના મૂળ કોઈ વાસ્તવિકતામાં છે.

તે ઘટનાના ત્રણ મહિના પછી રક્તદોષને કારણે ગ્લોવાન્ની કાયમ માટે ઊંઘી ગયો. હજી તે પુરા બાર વર્ષનો નહોંતો.

ન્યુરો સાયન્સ ક્ષેત્રે ઍન્જેલો મોસોના કામથી પ્રેરાઈને બીજી એક વ્યક્તિએ તે કામને મોટા પાયે આગળ લઈ જવાનું નક્કી કર્યું.


લેખ ૧૭: https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_7.html

7.3.21

પ.૧ (૧૭) : બ્રહ્માંડિય દિમાગના જોડાણો

આપણે બ્રહ્માંડને જાણી- સમજી શકીએ?

આપણું મગજ બ્રહ્માંડને તેની તમામ સંકુલતા ‌અને ભવ્યતા સહિત સમજી શકવા સક્ષમ છે?
તેનો જવાબ ખબર નથી.
કારણકે આપણું મગજ પણ બ્રહ્માંડની જેમ જ એક રહસ્ય છે.
આપણા મગજના પ્રોસેસિંગ યુનિટ્સ (પ્રકિયક એકમો) -ની સંખ્યા લગભગ લગભગ ૧,૦૦૦ આકાશગંગાના કુલ તારાઓ જેટલી છે. લગભગ  ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ પાછળ પંદર શૂન્ય) જેટલાં.
અને શક્ય છે કે પ્રોસેસિંગ યુનિટ્સનો સાચો આંકડો તેના કરતાં દસ ગણો વધારો હોય.

આપણા મગજની અંદર ઝાંકીએ.
જાણે છે રસાયણો અને વિધૃત બળોના કૅટેગરી- પ પ્રકારના વાવાઝોડાની વચ્ચે. આ તોફાન કોઈ ચેતવણી વગર આવે છે, ધમાલ મચાવી દે છે અને માથાનો અસહ્ય દુઃખાવો લાવે છે. પણ, તેમાં જ આ નાનકડા બ્રહ્માંડની કળ રહેલી છે.

અજીયન દરિયાના ટાપુ કોસ પર રપ૦૦ વર્ષ પહેલાંના સમયે જઈને જોઈએ. આ વાર્તા વિચારના ઈતિહાસમાં હનુમાન કુદકો છે. માનવ મન પર છવાયેલા રહેનારા સૌથી શક્તિશાળી ભ્રમ સૌથી પહેલાં આ સ્થળે તોડવામાં આવેલો.

ધારોકે, તમે એવા મા-બાપ છો જેમને એક જ સંતાન હોય. તે તમારા જીગરનો ટુકડો છે. તેના બુદ્ધિના ચમકારા તમારા મિત્રોનેય નવાઈ પમાડે છે, અભિભૂત કરે છે.
પણ, કશીક ગરબડ છે.
તેના મગજમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે...
પેલીયસ! બેટા પેલીયસ!
રપ૦૦ વર્ષ પહેલાંના ગ્રીસમાં દવા હતી - કોઈ એક દેવતાને વિધિ કરીને શાંત કરવાથી વાઈ(ખેંચ)ના હુમલા મટાડી શકાય છે તેવી તિલસ્મી માન્યતા.
જ્યારે ગ્રીક કે બીજી સંસ્કૃતિના લોકો આવી વિધિ કરતા ત્યારે કેટલાક દર્દી સાજા થઈ જતા- ખેંચ અમુક સમય પુરતી આવતી હોવાના કારણે અથવા જે તે દર્દીની રોગપ્રતિકારક શક્તિને કારણે. પણ, દર્દીઓ અને તેમનાં સગાં વહાલાં માટે તો જાણે વિધિ સ્વિકારીને દેવતા શાંત થયા હતા.
અને દર્દી મૃત્યુ પામે ત્યારે?
દેવતા એટલા ગુસ્સે, નારાજ છે કે કંઈ જ કરી શકાય એમ નથી.

વિચારવાની આ રીત માનવજાતની મહાન આવડત અને નબળાઈ, ભાત- પૅટર્ન ઓળખવી -ની ઉપર નિપજ હતી. આ કિસ્સામાં ખોટી ભાત ઓળખવી.

વાઈ એ દેવતાઓના ગુસ્સાનું પરિણામ છે તેવી માન્યતા કારણોના આંતર સંબંધો અંગેની મૂંઝવણ અને માણસ જ્યારે સ્થિતિનો ઉકેલ લાવી શકવા અસમર્થતા અનુભવતો હોય ત્યારે વાસ્તવિકતાને અવગણીને ઉઠતી ઉકેલ માટેની ઈચ્છામાંથી ઊભી થયેલી હતી.

અહીં કહેવાનો અર્થ એમ નથી કે તે સમયના ગ્રીકો પાસે વનસ્પતિઓ અને ખનિજોમાંથી બનાવેલી દવાઓ નહોંતી.
પણ, વાઈ- ખેંચ જેવા રહસ્યમય રોગ માટે તેઓ ફક્ત ધૂપ અને પ્રાર્થના કરતા.
તેમને તો એવો ખ્યાલ પણ નહોતો કે તે રોગનો મગજ સાથે કોઈ સંબંધ છે.

અને આવ્યો હિપોક્રેટસ.
બિમારી અને ઘાનું કારણ કોઈ દેવતાનો ગુસ્સો છે તે ધારણા તેણે ફગાવી દીધી.
તેણે લખ્યું : તબીબે દર્દીના આખા શરીર, તેના ભોજન અને વાતાવરણને તપાસવું.  શ્રેષ્ઠ તબીબી તે છે જે બિમારીને થતી અટકાવે. કુદરતી કારણ વગર કશું થતું નથી.

ફક્ત આટલા માટે પણ તેને આરોગ્ય ક્ષેત્રનો પિતામહ કહી શકાય.
તબીબો માટે આચારસંહિતા ઘડી કાઢવાનો યશ પણ તેને અપાયો છે.
આજે પણ તબીબો  ઈસ પૂર્વે ત્રીજી સદીમાં તેણે રચેલું મનાતું સોગંદનામું લઈને જ કાર્ય ક્ષેત્રમાં ડગ માંડે છે.

ભાન, ચેતના એ મગજમાં રહેલી છે એમ પહેલાં વહેલાં સમજી, જાહેર કરનારાઓમાંનો હિપોક્રેટસ એક હતો.

અત્યારે માનવામાં ના આવે પણ તે સંકલ્પના તે સમયે ક્રાંતિકારી હતી. તે સમયે પ્રચલિત સમજ એમ હતી કે આપણે હૃદયથી વિચારીએ છીએ. (આજે પણ કહેવતોમાં, ચબરાકિયા સુવિચારોમાં તે છાપ સચવાયેલી છે.)
અને તે તબક્કે હિપોક્રિટસે વિજ્ઞાનના ઈતિહાસમાં સૌથી મહાન ભવિષ્ય વાણી કરી.
હિપોક્રિટસે સારવ્યું કે તે અને તેના સમયના લોકોને વાઈનું શારીરિક કારણ ખબર નથી એટલે તેઓ તેને 'દૈવી રોગ' કહે છે.

તેણે લખ્યું : જ્યારે આપણને રોગનું કારણ ખબર પડી જશે, આપણે તેને દૈવી માનવાનું છોડી દઈશું.

પેલો બાળક શાપિત નહોતો, તેના મગજના વાયરિંગમા઼ કોઈ ગરબડ હતી. આપણે જ્યાં સુધી તેનો ઈલાજ દેવતાઓની મુનસફીમાં શોધતાં રહ્યા, તે બાળકને કે પોતાને આપણે કોઈ મદદ કરી શકવાના નહોંતા.

આ વાતને હજારો વર્ષ થયાં છતાં મગજ હજી પણ રહસ્ય જ રહ્યું છે.

ઈસા પૂર્વે ૪૨૦ વર્ષ અને ૧૯મી સદી વચ્ચેના સમયગાળામાં બ્રહ્માંડ વિશેની આપણી સમજ કૂદકને ભૂસકે વધી. આપણે પ્રકાશની ઝડપ, ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા અને આપણે જાણ્યું કે આપણો સૂર્ય અનેક સૂર્યો ધરાવતી આકાશગંગાનો એક ભાગ છે. અને છતાં, હિપોક્રિટસના ર૩૦૦ વર્ષ પછી પણ આપણે શરીરના તે ભાગ વિશે લગભગ કશું જ જાણતા નથી જે ભાગના કારણે આપણે બ્રહ્માંડને જાણીએ, સમજીએ છીએ.

કહીં શકાય કે મગજ વિશે હકિકતમાં આપણે કશું જ જાણતા નથી.

મગજનો અભ્યાસ  'ફ્રિનેલૉજી' નામના છદ્મ વિજ્ઞાન તરીકે ખોટકાઈ પડ્યો, જેમાં માણસની ખોપરીના આકાર પરથી તેની બુદ્ધિમત્તા અને વિશ્વસનીયતાની ધારણા કરવામાં આવે છે. તેની પાછળ પાછળ ખોપડી માપવા- મપાવવાનું ગાંડપણ આવ્યું.
ભાષા ક્ષમતા દાઢના હાડકાની ઉપર અને વૈવાહિક વફાદારી કાનની પાછળ- આવા તૂત ચાલ્યાં.
અને
અનાશ્ચર્યજનક રીતે યુરોપના ફ્રિનેલૉજીસ્ટસે 'શોધ્યું' કે યુરોપિયનોની ખોપરીઓ વૈશ્વિક ખોપરી કદના શ્રેષ્ઠતમ સ્તરની છે.

મગજ અને મનના જોડાણને લગતી પહેલી વહેલી સાચી સમજ ૧૮૬૧માં ફ્રાન્સમાં ઊભી થઈ. તે સમયે પૅરિસની બિસથ(Bicêtre- અર્થ: અસ્પતાલ) સાઈકિઆટ્રી અસ્પતાલ આધુનિક સગવડોવાળી હતી. ગાંડા અને માનસિક વિકલાંગોના ઈલાજમાં માનવીય હસ્તક્ષેપ કરનારી સત્તરમી સદીની તે પહેલી અસ્પતાલ હતી. ત્યાંના દાક્તરોમાં સર્જન પૉલ બ્રોકા તેમની કોઠાસૂઝ પ્રેરિત ઈલાજ માટે વખાણાતા હતા.

ટૅન...
તે દર્દીનું નામ હતું લુઈસ લેબોર્ગન. પણ, બધા તેને 'ટૅન' કહેતા કારણકે તે ત્રીસનો થયો પછીથી આ એક જ શબ્દ તે બોલ્યો હતો. તે વખતે તેને એકાવન વર્ષ થયેલા. 
ટૅનને વાઈના હૂમલા બાળપણથી આવતા. પણ, તેણે જ્યારે 'ટૅન' બોલવા સિવાયની બધી ભાષાકીય ક્ષમતા ગુમાવી દીધી ત્યારે તેને બિસથમાં દાખલ કરવામાં આવ્યો. અને હવે, બિચારો ટૅન મરણપથારીએ હતો. તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયેલું અને શરીરમાં ગૅન્ગ્રિને પગપેસારો કરી દીધેલો.

ટૅનનો મામલો ગંભીર બન્યો તે પહેલાં બ્રોકા મગજના ચોક્કસ ભાગ વિશે ધારણાઓ કસી રહેલા જે ભાગ સ્મૃતિ અને બોલવાની ક્ષમતા બાબતે કદાચ જવાબદાર હોઈ શકતો હતો. મરણાસન્ન દર્દી વિશે બ્રોકા શક્ય બધું જ જાણવા માંગતો હતો, જેવી રીતે કોઈ પોસ્ટ મોર્ટમ પરથી જાણવા મળતું હોય છે.
આપણને ખબર નથી કે ખેંચને કારણે ટૅનના મગજના કોઈ ભાગને નુકસાન પહોંચ્યું હતું કે બાળપણમાં થયેલી કોઈ અજાણ ઈજાના કારણે, જેના લીધે પાછળથી તેની બોલવાની શક્તિ પર અસર પડી. 
પણ...
ટૅનના બદનસીબને કારણે પહેલીવાર બ્રોકા તારવી શક્યા - મગજનો તે ભાગ -આ કિસ્સામાં નુકસાન પામેલો મગજનો વિસ્તાર- અને તેનું વિશિષ્ટ કાર્ય- ભાષા ઉપયોજનની ક્ષમતા.

તેનું ઈનામ? આપણા મગજનો તે ભાગ ત્યારથી 'બ્રોકાસ એરિયા' તરીકે ઓળખાય છે.

બ્રોકા જેના નિયામક હતા તે નૃવંશશાસ્ત્ર સંગ્રહાલયના એક ઓરડામાં, એક બરણીમાં બ્રોકાનું મગજ આજેય સચવાયેલું છે; જ્યાં કબાટોની છાજલીઓ ઉપર છાજલીઓમાં ગુનેગારો અને જઘન્ય ખૂન કરનારાઓનાં મગજની સાથે સાથે  ઓગણીસમી સદીમાં પ્રજાને મંત્ર મુગ્ધ કરનારા અસામાન્ય બૌદ્ધિક દિમાગ પણ સચવાયેલાં છે.


1.3.21

૪.૪ (૧૬) વાવીલોવ

"સોવિયેત સંઘ સાથે કોઈપણ પ્રકારની દગાબાજી કર્યાનો હું ઈન્કાર કરું છું. મારો ગુનો, કદાચ, વૈજ્ઞાનિક મંતવ્ય ભેદ છે."

જડસુ આદર્શવાદીઓને કેમ તોડવા તે વાવીલોવના વિરોધીઓ જાણતા હતા. દિવસ-રાત, ૪૦૦ વખત તેની 'પુછતાછ' કરાઈ, કુલ ૧૭૦૦ કલાક. વાવીલોવ તૂટી ગયો ત્યાં સુધી. અટકાયતના એક વર્ષ પછી તેને ગોળી મારી દેવાની સજા થઈ. મૃત્યુ દંડ આપવાના સ્થળે તેને મહિનાઓ સુધી રાખવામાં આવ્યો.

અંધારું જ્યારે અત્યંત ઘેરું હતું ત્યારે વધું ઘેરું અંધારું ઉતરી આવ્યું.

હિટલરે સ્તાલિન સાથેની સંધી તોડી અને ભારે સંખ્યામાં જર્મન સૈનિકો અને ટેંકો રશિયાને જીતવા ઉતર્યા.

પણ, લેનિન ગાર્ડ (હાલનું સેન્ટ પિટ્સબર્ગ) પરનો હૂમલો અત્યંત ક્રુર હતો. 

તે આખી દુનિયાના જનીન વારસાને એકત્ર કરી સાચવી રાખનાર જગ્યા હતી. ખેતીની શરૂઆત થઈ, છેક તે સમયનાં બીજ.

સ્તાલિનને સમજાયું નહોતું, પણ હિટલરને સમજ હતી કે તે બેશકિમતી ખજાનો છે.

સાથીદારોને ખબર નહોતી કે વાવીલોવ જીવીત છે કે કેમ. તેમણે નક્કી કર્યું, "આ સંજોગોમાં વાવીલોવ જે કરતો, તે આપણે કરીશું."

જો શહેર પર જર્મનીનો ઘેરો લાંબો ચાલે તો રશિયનો ભૂખે મરવાના. તે મકાનમાં કેટલાક ટન બીજ હતાં, ખાદ્ય પદાર્થ. યુદ્ધનું ગાંડપણ શમે ત્યાં સુધી તે બીજને સાચવી રાખવાનું વાવીલોવના સાથીદારોએ આયોજન કર્યું.

ઈતિહાસમાં કોઈ વૈજ્ઞાનિક જૂથે આવી ક્રૂર કસોટીમાંથી પસાર થવાનું નથી થયું. માણસ ભાંગી પડે તે હદે સુધી તેઓ ધકેલાયા તેમ છતાં તેઓ ભાંગી પડ્યા નહીં.

૧૯૪૧ની ક્રિસમસના દિવસે જ તે શહેરમાં ચાર હજાર લોકો ભૂખમરાથી મૃત્યુ પામેલા. તે પછી પણ હજાર દિવસ સુધી લેનિન ગાર્ડ હિટલરના સૈન્યના ઘેરાવા હેઠળ રહ્યું. તાપમાન ઋણ ચાલીસ ડિગ્રી હતું અને શહેરનું સમગ્ર વ્યવસ્થા તંત્ર પડી ભાંગેલું. હિટલરને લાગતું હતું કે 'માત્ર થોડોક વધુ સમય અને તે શહેર ઘૂંટણીયા ટેકવી દેશે. કોઈ શહેર આવી દુઃખદ સ્થિતિમાં લાંબુ ટકી શકે નહીં.'

સ્તાલિનને હર્મિટેજ સંગ્રહાલયના કળા વારસાની ચિંતા હતી. પણ, હિટલર પૅરિસના લુવ્ર સંગ્રહાલયનો કબજો કરી ચૂક્યો હતો.

વાવીલોવનો ખજાનો સ્તાલિનની ચિંતાનો મુદ્દો જ નહોંતો. પણ, હિટલરને તેનું મૂલ્ય ખબર હતી.

હિટલરે એક ખાસ જાસૂસી જૂથને વાવીલોવનો ખજાનો શોધી, હસ્તગત કરવાનું કામ સોંપ્યું હતું, જેથી હિટલરના મહાત્વાકાંક્ષી થર્ડ રેઈચ માટે તેને ઉપયોગમાં લઈ શકાય.

શહેરના બોટોનિસ્ટને દિવસની બે બ્રેડના રાશન પર ટકવાનું હતું. અને છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું.

બીજી તરફ, વાવીલોવને બીજા સ્થળે ખસેડાયેલો. "ચોપ્પન વર્ષ થયાં મને, છોડ ઉછેરનો મને ઘણો ઘણો અનુભવ અને જ્ઞાન છે. તે હું દેશ સેવા માટે વાપરવા માગું છું. તમને હાથ જોડું છું, ભીખ માગું છું, મને જે કામ આવડે છે તે કરવા દો, ભલે નિમ્નતમ સ્તરે." વાવીલોવ કરગરતો રહ્યો પણ કોઈ જવાબ ના આવ્યો.

તેના દેશે તેને મારી નાખવાને બદલે વધારે ક્રૂર સજા કરવાનું નક્કી કરેલું- જે વ્યક્તિ દેશમાંથી ભૂખમરાને દૂર કરવા મથતો હતો તેને ધીમે ધીમે ભૂખથી મારવાનું.

લેનિન ગાર્ડમાં બીજા ૮,૦૦,૦૦૦ લોકો ભૂખથી મરણ પામેલા.

સપ્ટેમ્બર ૧૯૪૧થી જાન્યુઆરી ૧૯૪૪ સુધીના જર્મન ઘેરાવા વચ્ચે લેનિન ગાર્ડ ટકી રહેલું.

દિવસની બે બ્રેડ પણ મળવી બંધ થયે ખાસો સમય થયેલો અને વાવીલોવના બીજ ખજાનાના સંરક્ષકોએ ભૂખે મરીનેય તે સાચવવાનું ઠેરવેલું.

બૉટોનિસ્ટ ઍલેકઝાન્ડર સ્ત્ચૂકીન, સીંગ દાણાનો નિષ્ણાત.

લીલીયા રોડિના, ઓટ્સ નિષ્ણાત.

દિમિત્રી ઈવાનોવ, ચોખાનો નિષ્ણાત.

બૉટોનિસ્ટ ભૂખે મર્યા પણ તેમણે બીજ ખજાનાને હાથ લગાડ્યો નહીં.

અને પ્રોટિન લીસેન્કોનું શું થયું? તે પછી પણ બે દસકા સુધી તેણે સોવિયેત ખેતી અને જીવ વિજ્ઞાન પર પકડ જાળવી રાખી. છેવટે, રશિયાના સુખ્યાત એવા ત્રણ વૈજ્ઞાનિકોએ તેના સ્યુડો સાયન્સની જાહેરમાં ટીકા કરી.

અને વાવીલોવનો ભાઈ, સર્ગેઈ, ભૌતિક વિજ્ઞાની? સ્તાલિને તેને સોવિયેત ઍકેડેમી ઑફ સાયન્સીઝનો ચૅરમેન બનાવેલો.

સ્તાલીનના મૃત્યુ પછી સ્તાલિન અને લીસેન્કોની જોડીએ રશિયાને કરેલા નુકસાનની વાતો થવા લાગી અને ત્યારે નીકોલાઈ વાવીલોવ વિશે ફરી એકવાર જાહેરમાં ચર્ચા શરૂ થઈ.

તેણે સ્થાપેલ બીજ સંગ્રહાલયને તેનું નામ અપાયું, જે આજે પણ છે.

તેના જ કારણે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડી વૉલ્ટ પૃથ્વીની ટોપી જેવા ભાગમાં જમીનમાં ઊંડે સચવાયેલો છે. તેમાં પીસ્તાળીશ લાખ પ્રકારનાં બીજ સાચવવાની સગવડ છે.

તો...વાવીલોવના સાથીદારોએ તે બીજ સંગ્રહમાંથી એક દાણો પણ કેમ ન આરોગ્યો? બે વર્ષ સુધી રોજે રોજ ભૂખે મરતા દેશવાસીઓને તેમણે તેલીબિયાં, બટાકા અને બીજાં બીજ કેમ ના આપ્યાં?

તમે આજે જમ્યા?

જો 'હા' તો તમે કદાચ વાવીલોવના ખજાનાને સાચવતાં ખપી ગયેલા બૉટોનિસ્ટોએ સાચવેલા બીજનું જ કોઈ આનુવંશિક ફળ આરોગ્યું હશે.

કાશ, આપણું ભવિષ્ય તે લોકોને મન હતું તેટલું કિંમતી આપણા માટે  પણ હોત!

 

અંક ૧૫: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_21.html

21.2.21

૪. ૩ (૧૫) : વાવીલોવ (૨૦૨૦)

 રશિયન શિયાળામાં તાજા લીલા વટાણા? સાચે જ?

"ઉઘાડા પગે રખડતા ટ્રોફીમ લીસેન્કો જો કહે તો સાચું હોય."

ના કોઈ વિશ્વ વિદ્યાલય કે પ્રયોગ શાળા, ના શતાવરી જેવા પ્રાચીન ખાદ્ય પદાર્થની શોધમાં વિદેશ યાત્રાઓ. ટ્રોફીમ સંશોધન કરતો રશિયન ખેતરોમાં, ખેડૂતની જેમ. અને તેના કારણે જાન્યુઆરીમાં રશિયનોને લીલા વટાણા મળવાના હતા.

એક તરફ જૉસેફ સ્તાલિન પોતાના રાજકીય વિરોધીઓની પદ્ધતિસર કતલ કરી રહેલો, બીજી તરફ તે રશિયન ખેતીને ભારે ફટકા મારી રહેલો, આધુનિક બનાવવા; જેનું પરિણામ ભયાવહ આવ્યું. વધારે સમૃદ્ધ ખેડૂતો કે જેઓ કુલાક નામે ઓળખાતા, સ્તાલિને તેમને એક વર્ગમાં ઢાળી દીધા. લગભગ પચાસથી સો લાખ લોકો ભૂખભરાનો ભોગ બન્યા.

ટ્રોફીમ લીસેન્કોએ તે દુઃખદ ઘટનાને એક તક બનાવી. વાવીલોવના જ્ઞાન અને પ્રસિદ્ધિ લીસેન્કોને અકળાવતાં અને કોઈ સાપની જેમ તે તાકી રહેલો. છેવટે, તેની ઈર્ષ્યાનું ઝેર સંહારનું કારણ બનવાનું હતું.

મધ્ય એશિયા પહોંચેલો વાવીલોવ ગાર્ડન ઑફ ઈડન શોધતો હતો, કારણકે પહેલાં વહેલાં સફરજન ત્યાં થયેલાં. દરેક બીજ જ્યાં પહેલાં વહેલાં પાંગર્યું તે સ્થળની શોધમાં વાવીલોવ આખી દુનિયામાં રખડતો હતો. દરેક બીજના નમૂના એકઠાં કરી તેમને સંભાળપૂર્વક સાચવી લેવા. વર્ષો પછી તે જ્યારે વતન પાછો ફર્યો ત્યારે રશિયા બદલાઈ ગયેલું. તે ભયંકર દુષ્કાળમાં સપડાયેલું હતું. ક્રાંતિ પ્રેરિત આશાવાદ હતાશા અને નિરાશામાં પલટાઈ ગયેલો.

ત્યારના લેનીનગાર્ડ શહેરમાં વાવીલોવે સ્થાપેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ ઈન્ડસ્ટ્રી પાસે જનીનીક માહિતીનો દુનિયાનો સૌથી મોટો જથ્થો હતો. તેના સાથીદારો પ્રત્યેક બીજને તારવીને તેનું વર્ગીકરણ કરી રહેલા. પ્રત્યેક ભૂખ્યો રશિયન તેમની જવાબદારી હોય એવી ખંતથી તેઓ કામ કરી રહેલાં.

લીસેન્કો સ્તાલિન પાસે પહોંચ્યો. " કૉમેરેડ, દેશની સુરક્ષા બારામાં અગત્યની વાત મારે તમને કહેવી છે. વૈજ્ઞાનિકો જૂઠ ફેલાવી રહ્યા છે. ડાર્વિન, મૅન્ડેલ, વાવીલોવ, બધા. તેઓ કહે છે કે જિરાફની ડોક એટલા માટે લાંબી નથી કે તે ઊંચા વૃક્ષના પાંદડા ખાઈ શકે. તેમનું કહેવું છે કે કોઈ કાલ્પનિક, અદ્રશ્ય તત્ત્વ જેને તેમણે જનીન નામ આપ્યું છે, તેમાં તેવા જ અજાણ્યા કારણોથી એવા ફેરફાર આવે છે કે જે જિરાફને પોતાની ડોક લાંબી કરવા પ્રેરે છે."

"કાલ્પનિક બાબતોમાં હું માનતો નથી." સ્તાલિને કહ્યું.

"વાવીલોવ જ્યારે સુવેનિયર શોધવા દુનિયામાં ફરી રહેલો ત્યારે રશિયા માને જેની જરૂર છે તેવો રસ્તો શોધી કાઢ્યો છે. આકરા શિયાળામાં પાકે તેવાં ઘઉંની જાત.  પણ, તેને અમલમાં મૂકવા મને છૂટો હાથ મળવો જોઈએ, કોઈ જૂનવાણી જિનેટીક્સની દખલ વગર."

સ્તાલિન તેની વાતમાં કેમ આવી ગયો? કેમકે, તે તેવી વાત માની લેવાની ઉતાવળમાં હતો.

લીસેન્કો એક નકામી ઠેરવી દેવાયેલ- ૧૯મી સદીના નેચરાલીસ્ટ જીન-બાપ્ટિસ્ટ લેમાર્કની સંકલ્પના પર દાવ માંડીને બેઠેલો. તે માનતો કે સજીવે મેળવેલા લક્ષણો, જેમકે જિરાફની ડોક, તે પછીની પેઢીને વારસામાં મળે જ છે.

તે એ સમજવામાં થાપ ખાઈ ગયો કે કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ અને જરાક લાંબી થયેલી ડોકવાળા જિરાફની પેઢીના સાતત્યપૂર્ણ ઊંચા જન્મ દરને પરિણામે વર્તમાનના જિરાફને જે છે તેવી ડોક મળી છે.

જનીનોના આકસ્મિક સંકરણ કે ફેરબદલને કારણે જિરાફમાં લાંબી ડોકની સંભાવના ઊભી થઈ, જેણે તેવા જિરાફને જીવનદોડમાં સફળતા આપી; નહીં કે ડોક ખેંચવાની મનોશારીરિક કસરતોએ. આ બાબત ચાર્લ્સ ડાર્વિનની ક્રાંતિકારી કોઠાસૂઝ હતી. : કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ

લીસેન્કોએ સ્તાલિનના કાન ભર્યા કે ભૂખમરા મૂક્તિના સદી જૂના રશિયન ખ્વાબને તે સાચું પાડશે. તે વખતે વળી સ્તાલિનની પકડ તે કારણથી જ ઢીલી પડી રહેલી.

લીસેન્કો ઘઉંના બીજને ટાઢા હિમ પાણીમાં પલાળી રાખતો- વર્નલાઈઝેશન, એમ માનીને કે તે બીજમાંથી ઉગનારા છોડ બરફ સામે ઝીંક ઝીલી લેશે. તેણે એવો ખોટો દાવો પણ કર્યો - નવા છોડ રશિયન શિયાળા સામે ટકી જશે. તે માટે સંકરણની સમય ખાનારી માથાકૂટ જરૂરી નથી.

લીસેન્કોના તરંગ અને પ્રયોગ વચ્ચે એક જ અડચણ હતી- વાવીલોવ અને જિનેટીક્સ પ્રત્યેનો તેનો જડસુ લગાવ.

દુઃખદ વાત તો એ હતી કે જ્યારે લીસેન્કો સ્તાલિનને ઊઠાં ભણાવતો હતો ત્યારે વાવીલોવ અને તેના સાથીદારો ઊંચાઈ પર થનારા ઘઉંની પ્રજાતિનું સંકરણ કરી રહેલા, જેમનામાં રશિયન ખેત પેદાશ વધારવાની શક્યતા હતી.

વાવીલોવને એંધાણ વર્તાઈ ગયેલાં. સ્તાલિનના ગુસ્સાનો ભોગ બનનાર લાંબુ જીવતો નહીં. વાવીલોવે તેના સાથીદારોને કહ્યું, " ત્રણ દિવસ પહેલાં સિક્રેટ પોલીસ યેવગ્ને અને લીઓનીડ વિશે પુછતી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી. લીસેન્કો બધા આરોપ આપણા માથે મારવા તૈયાર બેઠો છે. ગમે તે થાય, તમારું કામ ચાલુ રાખો અને તે બને એટલી ઝડપથી કરો. આપણે માઈકલ ફેરાડે જેવા મહેનતું અને બધા તારણોની બરાબર નોંધ રાખનારા બનવું પડશે. હું ગાયબ થઈ જાઉં તો બીજા કોઈકે મારી જગ્યાએ આવી જવાનું. એક જ બાબત મહત્વની છે- વિજ્ઞાન યોગ્ય રીતે ખપમાં લેવું. દુકાળ દૂર કરવાનો તે એક માત્ર રસ્તો છે. કૉમરેડ, તેઓ મારી, તમારી, બધાની ધરપકડ કરશે. માટે બને એટલી ત્વરાથી કામ કરીએ."

યુક્રેન પર સ્તાલિને લાદેલી સામૂહિક ખેતી માનવ ઈતિહાસનું કલંકિત પ્રકરણ છે.

તે દુકાળ એટલો ભયંકર અને વ્યાપક હતો કે તેને વર્ષ કે જગ્યાના નામને બદલે ખાસ નામ મળ્યું - હોલોડોમોર, ભૂખમરાથી થયેલ સામૂહિક નિકંદન.

કૂલક ખેડૂતોને ખેતરોમાંથી તગેડી ફૅક્ટરીઓમાં કામે લગાડી દેવાનો સ્તાલિનનો ઉત્સાહ નરસંહારની રસમ બની ગયો.

વાવીલોવ અને તેનું જીનેટિક્સ આ બધાના વિરોધમાં હતું.

વૈશ્વિક વૈજ્ઞાનિક સંસ્થાનો વાવીલોવ અને તેના વિચારોના પ્રસંશકો હતા. સ્તાલિને વાવીલોવ માટે દેશ બહાર જવા પર પ્રતિબંધ કરે તો તેઓ આંતરરાષ્ટ્રીય જિનેટીક્સ કૉન્ગ્રેસ મોસ્કોમાં કરવા તૈયાર હતા. સ્તાલિન જાણતો હતો કે વાવીલોવથી છૂટકારો સરળ નથી.

તો, સૌ પહેલાં તેને બેઆબરૂ કરો. પછી તેની સાથે ચાહો તે કરો.

વા: પાલક અને વટાણાના પ્રોટીન પરથી તેમને જુદા પાડનાર તત્ત્વો આપણા બાયોકૅમિસ્ટ શોધી શક્યા નથી.

લી : તે તો કોઈ પણ વ્યક્તિ માત્ર ચાખીને જુદા પાડી આપે.

વા : કૉમરેડ, આપણે તેમને રાસાયણિક રીતે અલગ તારવી શક્યા નથી.

લી : પણ, જે વસ્તુ જીભ વડે પારખી શકાય તેને રાસાયણિક રીતે પારખવાની જરૂર જ શું છે?

લીસેન્કો અને તેના જેવા વિજ્ઞાનના વિરોધીઓ ભવિષ્ય માટે સોવિયેત ખેતી કાયદા નક્કી કરવામાં અગ્રેસર બન્યા.

લી : તો કોમરેડ, બર્ફીલા પાણીમાં પલાળી રાખેલા બીજ આપણા દેશના શિયાળા સામે ટકી જઈને અનાજના કોઠાર ભરી દેશે.

વા : ચકાસી જોયું ખરું? ક્યાં છે પ્રયોગના તારણો?

લી : કાં તો અમારા આયોજનમાં જોડાઓ કાં તો...

વા : વિજ્ઞાન વિષયક જૂઠાણું હું નહીં ચલાવી લઉં, ભલે ગમે તે થાય.

             ---

"કૉમરેડ વાવીલોવ, સોવિયેત સંઘ વિરુદ્ધ વિદેશી જાસૂસ હોવાના આરોપસર તમારી ધરપકડ કરવામાં આવે છે."


અંક ૧૪: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_14.html

16.2.21

દુકાન ૧

દુકાન ૧

માર્ચ ૨૦૧૫. હિમાચલના એક ગામડામાં હું અને ઈવા અટવાઈ પડ્યા’તા. ટ્રેકને રસ્તે મળેલ સ્થાનિકના ઘરે રાતવાસો કરવો પડ્યો’તો. ગામથી ત્રણેક કિમી દુર આવેલ બસ પોઈન્ટ પર બસની રાહ જોવાની હતી. બસનો સમય બપોરના અઢી વાગ્યાનો હતો અને અમે ત્યાં એક વાગે પહોંચી ગયા’તા.પૂરી ફૂરસદ હતી.

કોઈ પણ અંતરિયાળ ગામમાં હોય તેવું બસ-સ્ટેશન હતું.પ્રમાણમાં સાફ. દીવાલ ફરતે,અંદરની તરફ સિમેન્ટની બેઠક. પ્રમાણમાં પહોળી. અમે તેમાંથી ચારેક ફૂટ લંબાઈ રોકી હતી. રક્સેક, શુઝ,અને વર્તમાનપત્ર ઉપર ટોવેલ ઉપર પલોઠી જમાવી હું બેઠી’તી. ઈવા તો હમેશની જેમ આજુબાજુ ઉડાઉડ કરતી હતી.

આ સ્થળે ‘ગામ’ નહોતું. માત્ર કેટલીક દુકાનો અને બસ સ્ટેશન. ત્રણ રસ્તાના પાંખીયાઓએ આગળ વધીએ, ટેકરી ચઢીએ એટલે ગામ આવતા જાય. રસ્તા પરથી તો ખ્યાલ પણ ના આવે કે આ ટેકરી પર દસ-બાર પરિવારો વસી ગયા હશે,ખેતી કરતાં હશે,શાળા હશે. આવા જ એક ગામેથી આવીને અમે ત્રિભેટે આવેલા બસ સ્ટેન્ડમાં બેઠાં હતા. બસ સ્ટેન્ડથી દક્ષિણ તરફને રસ્તે જતાં, અમે રોકાયા તે ગામ આવતું અને તે રસ્તાનો નીચે જતો ફાંટો બંધ/ડેમની સાઈટ તરફ જતો.

આ ત્રિભેટ એટલે આસપાસના ગામનું બઝાર. કરીયાણાની દુકાનો એની શાખ પૂરતી હતી. એક-બે ચા-નાશ્તાની દુકાનો. કેમકે આગળ પ્રવાસીઓને યોગ્ય ટ્રેક હતો અને ટ્રેક પહેલાનું આ છેલ્લું બઝાર. જો કે, ટ્રેક માટેના સામાનની કોઈ દુકાન નહોતી. હા, સોફ્ટ ડ્રીન્કસ,વેફર્સના પડીકાં, બિસ્કીટ્સ,ચોકલેટ્સ વગેરે મળતાં હતાં. બસ, ત્રણ-ચાર કરીયાણા, નાસ્તાની દુકાનો અને એક દુકાન શાકભાજીની. પાસે જ, નીચેના ભાગે, બિયાસ પર બંધ બંધાઈ રહ્યો હતો. આસપાસના યુવાનો માટે રોજગારીની તક. સવારે જ ગામમાં બે-ત્રણ સ્થાનિકો જોડે તે વિશે વાત થઇ હતી.

બંધ માટે કામ કરતી કંપનીમાં ઊંચા હોદ્દા પર હોય તેવાં એક સાહેબની ગાડી આવી. ફોલ્ડીગ ખુરશી-ટેબલ પથરાયા અને સાહેબ અમારા તત્કાલીન થાનક-બસ સ્ટેશનની લગભગ સામે, રસ્તાની સામેની તરફ ગોઠવાયા. બસ સ્ટેન્ડના પગથીયા પાસે લોખંડના સળિયા અને બીજો સામાન પડેલો હતો. બે કામદાર આવીને સળિયા કાપવામાં-વાળવામાં લાગ્યા.

સામાન લઇ જતાં નાના વાહનો (છોટા હાથી ટાઈપ)ની પાંખી અવરજવર તો હતી જ. તેવામાં એક બસ આવી અને બસમાંથી વેલ ડ્રેસ્ડ સ્થાનિક ચહેરો ઉતર્યો. તે યુવક હતો આ જ વિસ્તારનો. તેનું પરિધાન નોંધપાત્ર રીતે સ્થાનિક નહોતું. એકદમ સાફ, ઇસ્ત્રીદાર અને અમદાવાદ કે દિલ્હીનો કર્મચારી પહેરે તેવી લાઈનીંગવાળું શર્ટ અને અનુરૂપ પેન્ટ. વાળ પણ આ ઢબછબને મેચ થાય તેવાં. નાક-નકશો અને બોલી સ્થાનિક.

બસમાંથી તે એક મોટા થેલા સાથે ઉતર્યો હતો. તે પછી તેણે એક ખુરસી ઉતારી અને એક બાય દોઢની કોઈક નાજુક ચીજ, જે કાગળમાં વીંટાળેલી,બાંધેલી હતી, કાળજીથી ઉતારી. બસ તો જતી રહી. ધૂળ બેસવાની રાહ જોયા વગર તે યુવાન પેલી નાજુક ચીજ લઇ અમારી તરફ-બસ સ્ટેન્ડ તરફ વળ્યો. અમારો પથારો તો અંદરની તરફ હતો. યુવાને બસસ્ટેન્ડની ધાર પાસેની બેઠક પર પેલી નાજુક વસ્તુ ટેકવી. બીજે ધક્કે થેલો લઇ આવ્યો અને આગળના થાંભલા પાસે મુક્યો. દરમ્યાન સાહેબની ઠાઠભરી ખુરસી પાસે તેની લાકડાની ઊંચી ખુરશી સરસ કોન્ટ્રાસ્ટ ઉભો કરતી રહી.

આસપાસના લોકો અને અમારામાં પૂરતું કુતુહલ જન્મી ચૂક્યું હતું. યુવાન પેલી ખુરશી પણ લઇ આવ્યો અને બસ સ્ટેન્ડની અંદર તેને ગોઠવવા લાગ્યો. ગોઠવવું તો શું, ખુરસી માટે તે વધુ અનુકુળ જગ્યા નક્કી કરતો હતો. પગથીયા આગળ બેસી સળિયા કાપી રહેલ બે વ્યક્તિઓ જોડે તેની વાત શરુ થઇ. નામ-ઠામ ઈત્યાદી. ખુરશી ગોઠવાઈ ગઈ. હવે વારો પેલા પડીકામાં સંતાયેલી નાજુક ચીજનો આવ્યો. કાગળના આવરણ ઉતારાડાયા અને પ્રગટ્યો અરિસો ! ઓહ ! આ ભાઈ કેશકર્તનકાર છે! પછી તો થેલામાં સલુકાઈથી ગોઠવાયેલા પડીકાઓમાંથી ચીજો નીકળવા માડી. કાંસકાઓના રેપર તૂટ્યા. નવી નક્કોર સ્પ્રે બોટલ બહાર આવી જેનું પેકિંગ ખોલવામાં આવ્યું અને પાસેના ટેન્કરમાંથી તેમાં પાણી ભરી ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું. ક્રીમની હોય તેવી કેટલીક ડાબલીઓ નીકળીને બસ સ્ટેન્ડની બેઠક પર સ્થાન પામી. કુત્રિમ મહેંક ઉમેરાતાં, હિમાલયના આ ટુકડાએ અચાનક ગણવેશ પહેર્યો હોય તેમ, વાતાવારણ ખુબ પરીચિત અને કુત્રિમ પણ રસપ્રદ બની ગયું.

કેશકર્તનકાર પાકકો વ્યવસાયિક છે તેમ તેના આવેશ કે આનંદ વિનાના ચહેરા પર છપાયેલું વંચાતું’તું. દુકાન ગોઠવવાના કામમાં, માત્ર ચપટી સામાન હોવા છતાં, તે ખુબ મશરૂફ જણાતો હતો. કોઈ પૂછે તો તે જવાબ આપતો,વાત કરતો,પોતાની ગોઠવણ પ્રવૃત્તિ ચાલુ રાખીને. એક ગ્રામીણ કારીગર એક-બે વાર આ રસ્તેથી આવ-જા કરી ગયો હતો.આખરે ત્રીજી વેળા તે કેશકર્તનકાર પાસે આવી જ ગયો અને વાળ કપાવવા બેઠો. તેનું કહેવું હતું : કિસીકો તો શુરુઆત કરાની થી તો હમસે સહી. તે પ્રથમ ગ્રાહકના ચહેરા પર પુણ્ય કર્યાનો ભાવ હતો. જો કે, કેશકર્તનકાર આ ભાવને ઝીલી શકવા જેટલો માયાળું માનવી ના લાગ્યો. પાતળી પણ તિક્ષ્ણ ધારવાળી કાતરોની કચકચથી વાતાવરણમા નવા સૂર ઉમેરાયા, જે હવે અહીં વેરાતા રહેવાના હતા.
પ્રથમ ગ્રાહકે રકમ ચૂકવી જેને કેશકર્તનકારે અદબથી સ્વીકારી. એની અદબમાં કૃતજ્ઞતા નહોતી. શક્ય છે, દુકાન જામવા-ના જામવા અંગેની શંકાઓ તળે એની કુમાશ દબાઈ ગઈ હોય. 

બીજો ગ્રાહક ઊભો જ હતો, જે દાઢી માટે બેઠો. તે બીજો ગ્રાહક અમારો પરીચિત યુવાન હતો. તેણે આજે સવારે જ ઇવાને કેટલાંક લીલા સફરજન આપ્યાં હતા. ઋતુ વિના લીલા સફરજન અંગે મેં તેને પૂછ્યું તો કહે : પિછલી મૌસમ કે હૈ. ક્યાં સાચવ્યા’તા?કેવી રીતે? કોલ્ડ સ્ટોરેજ બહેનજી! સ્ટોર કરનેકી જગા ચાહીએ બસ, કોલ્ડ તો યહાં હૈ હિ. આ યુવાન નવી હવાને અડી ચુકેલો. તેનામાં પહેલા ગ્રાહક જેવી કૂણી પુણ્યભાવના નહોતી. બસ,નવું અજમાવી જોવાની પેશનફેશન હતી.

બીજા ગ્રાહક સાથે લાગતું’તું કે આ દુકાન જામી જશે. આજે બસ સ્ટેશન પર. વર્ષે દહાડે લાકડાની કોઈ નાની ખોલીમાં અને જો આ વિસ્તારનો ‘વિકાસ’ વધ્યો તો તેને અનુરૂપ સલુન તરીકે. તેનાથી પ્રેરાઈ ‘કેવલ મહિલાઓ કે લીયે’ બ્યુટી પાર્લર ખુલશે.

આ વિસ્તારમાં આ કાર્ય આજ સુધી કદાચ વ્યવસાય નહોતું. કદાચ દરેક ગામમાં એક કર્તનકાર કુટુંબ હશે જે ગામના પુરુષોને રાજા રવિ વર્મા ટાઈપ હિંદુ દેવ જેવા ‘સાફ’ રાખતો હશે. મારા માતૃક ગામમાં એવી વ્યવસ્થા હતી. તે કુટુંબો ધાર્મિક-સામાજીક વિધિઓમાં પણ ચોક્કસ પ્રકારનાં કાર્ય કરવા નિયુક્ત થયેલાં રહેતાં. મારા ગામમા તો એ પરંપરાને લુણો લાગ્યે એટલો સમય થયો કે મારા કુટુંબના બાળકોને આવી કોઈ પરંપરા હોય તે પણ ખબર નથી. તેવો લુણો હિમાચલની એક ત્રિભેટે લાગવો શરુ થયાની હું સાક્ષી બની. અહીં લુણો શબ્દ એટલે વાપર્યો કે તે વિસ્તારમાં ‘મીઠાં’ માટે ‘લુણ’ (અને મહેમાન કે અતિથિ માટે ‘પરોણો’) શબ્દ ચલણમાં છે.

અમારી બસ આવી ગઈ.
#6@¥4
૮/૪/૧૬ 

14.2.21

૪. ૨ (૧૪) : વાવીલોવ (૨૦૨૦)

ડાર્વિને બધા જીવોના ઐક્યની સાબિતી આપી.

કોઈ ગૂઢ દૈવી આશિર્વાદથી જન્મેલી માણસ જાત બધા સજીવો કરતાં ઉચ્ચ છે એવા આડંબરમાં રાચનારા આપણે આખરે તો જાનવરો અને વનસ્પતિઓના સગાં છીએ. બીજા કોઈ પણ સંજીવ જેટલા પ્રાકૃતિક.

મૅંડેલેએ શોધ્યું કે જીવનના સંદેશ અને તે સંદેશને આગળ મોકલવા માટે ચોક્કસ નિયમો છે.

તે મદદનીશ શિક્ષકે વિજ્ઞાનની એક નવી જ શાખા શોધી કાઢેલી.

પણ, ૩૫ વર્ષ સુધી કોઈએ તેની નોંધ ના લીધી. આ દુનિયાના વિજ્ઞાનના ઈતિહાસમાં પોતે મહાન વ્યક્તિ તરીકે નોંધાવાનો છે તેમ જાણ્યા વગર તે મૃત્યુ પામ્યો. વીસમી સદીની શરૂઆતમાં મૅંડેલેનું કામ જાણીતું થયું. બ્રિટિશ ઝૂઓલૉજીસ્ટ વિલિયમ બૅટ્સન તેના પ્રખર પુરસ્કર્તા રહ્યા. મૅંડેલે સૂચવેલા કારકોના અભ્યાસ માટે બૅટ્સને નવી શાખા ઊભી કરી જેને તેમણે નામ આપ્યું જીનેટીક્સ- જનીન શાશ્ત્ર.

બૅટ્સન અને તેના સાથીદારોએ વનસ્પતિ અને પ્રાણીઓની નવી પ્રજાતિ સર્જવાની દિશામાં કામ કર્યું. બૅટ્સન માનતો કે વિજ્ઞાન અને સ્વાતંત્ર્ય એક સિક્કાની બે બાજુ છે અને તે પોતાની પ્રયોગશાળા એ રીતે જ ચલાવતો.

નીકોલાઈ ઇવાનોવિચ વાવીલોવ નામનો રશિયન બૉટનીસ્ટ, જે બૅટ્સનની પ્રયોગશાળામાં મુલાકાતી સાથીદાર હતો તેણે બૅટ્સનના ધ્યેય મંત્રને ગંભીરતાથી અપનાવી લીધો. વિજ્ઞાનની નવી શાખા જીનેટીક્સની મદદથી તે આખી દુનિયાને બે ટંકનું ભાણું પહોચાડવાનું શીખવા માંગતો હતો. ત્યારે તે હનીમૂન પર હતો પણ તેનો જીવ તો વિજ્ઞાનમાં રમમાણ હતો

બાળક તરીકેય વાવીલોવ ઉતાવળીયો હતો. "કેટલું બધું કરવા જેવું છે અને કેટલો ઓછો સમય છે!" -જીવનભર તેને તે અડચણ રહી.

ભવિષ્યમાં શું થશે તેની તો તેનેય ક્યાંથી ખબર હોય?

'આપણી આખી પૃથ્વી પોતે એક જૈવિક તંત્ર છે, એક જ વિશાળ વ્યવસ્થા.'- તે ધારણા કેટલાક લોકોને ભાવુકતાનો અતિરેક, પોકળતા લાગતી હતી. પણ, તે એક વૈજ્ઞાનિક તથ્ય છે.

૧૯ ફેબ્રુઆરી, ઈ.સ. ૧૬૦૦ના સાંજના પાંચ વાગ્યે દક્ષિણ પેરુના આંતરિયાળ વિસ્તારમાં એવું કાંઈક બન્યું જેના કારણે -

પીડાદાયી રીતે મોટી સંખ્યામાં નાશ પામેલા સજીવો અને ધરતીના ખજાનાને તે ઘટનાની અસર પૃથ્વીને કેવી રીતે ઘેરી વળી તે વાત ખબર પડવાની ન હતી. હોઈનાપુટીના (Hauynaputina) દક્ષિણ અમેરિકાનો સૌથી મોટા જવાળામુખી વિસ્ફોટ તરીકે ઈતિહાસમાં નોંધાયેલો છે.

સલ્ફ્યુરિક ઍસિડ અને જ્વાળામુખીની રાખના કાતિલ મિશ્રણે સૂર્ય કિરણોને પૃથ્વી સુધી પહોંચવા ના દીધા. 

શિયાળો.

જ્વાળામુખી જન્ય શિયાળો.

રશિયાના લોકો માટે તે છસો વર્ષનો સૌથી ભયંકર શિયાળો હતો. બે વર્ષ સુધી તો ઉનાળાની રાતોનું તાપમાન સબ ઝીરોની નીચે જતું. તેને કારણે પડેલા દુષ્કાળથી રશિયાની કુલ વસ્તીનો ત્રીજો ભાગ, વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા. તેના કારણે ત્ઝાર બોરીસ ગોન્ડુનોવનું પતન થયું અને આ બધાનું મૂળ કારણ તો ૧૨૮૭૫ કિલોમીટર દૂર થયેલો જ્વાળામુખી વિસ્ફોટ હતો. 

રશિયાના ઈતિહાસનો તે છેલ્લો દુકાળ ન હતો. તે પછી સતત અનાવૃષ્ટિ અને દુષ્કાળ આવતા રહ્યા. પણ, ત્રણસો વર્ષ પછી, છેક ૧૮૯૧માં તેની ભયાવહ અસર વર્તાઈ. તે વર્ષે શિયાળો વહેલો આવ્યો અને પાક બળી ગયો. ત્ઝાર ઍલેકઝાન્ડર ત્રીજો પગલાં લેવામાં ઢીલો પડ્યો. દેશના લોકો ભૂખે મરતા હતા ત્યારે પણ ધનિક રશિયન વેપારીઓ અનાજની નિકાસ કરતા રહ્યા. ભૂખે ભરતી પ્રજાને આપવા ત્ઝાર પાસે હતી સૂકી બ્રેડ- લીલ, ઘાસ, ઝાડની છાલ અને બીજાં છોતરાંનું કંગાળ મિશ્રણ.

પાંચેક લાખ રશિયન મરણાસન્ન હતા ત્યારે અમીર ઉમરાવો ફ્રાન્સની તાજી સ્ટ્રોબેરી અને ઈન્ગ્લેન્ડની રબડીની મિજબાનીઓ કરતાં હતા.

રશિયન ક્રાંતિને હજી ૩૦ વર્ષની વાર હતી. પણ, ઘણા ઈતિહાસકાર તેનો તણખો આ દુષ્કાળમાં પેટાયાનું નોંધે છે.

આપણી વાર્તાના હીરો નીકોલાઈ વાવીલોવ પર તે ઘટનાની ઘણી ઊંડી અસર પડી. તેના મા-બાપનો જન્મ ગરીબ પરિવારમાં થયેલો પણ મહેનત કરીને તેઓ ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી પહોંચી શકેલા. તેમનાં ચારેય સંતાન વૈજ્ઞાનિક બન્યાં. સર્ગેઈ ભૌતિક વિજ્ઞાની અને નિકોલાઈ બૉટનીસ્ટ બન્યો. બાળપણથી નીકોલાઈ હાર માનવા વાળો ન હતો.

૧૯૧૧માં રશિયા અનાજની નિકાસમાં દુનિયામાં પહેલા નંબરે હતું, તેની ખેતીની પદ્ધતિઓ જરીપુરાણી હોવા છતાં. જિનેટીક્સ દ્વારા ખેતીને આધુનિક બનાવવાના સંશોધન માટે રશિયાના વૈજ્ઞાનિકો પાસે  એકમાત્ર પૅટ્રોવ્સ્કી ઇન્સ્ટિટ્યૂટ હતું.

છોડ કે રોપાની પસંદગી કરવી તે વિજ્ઞાન છે કે નહીં? ના. ખેડૂતને વધારે ખબર છે. તે હજારો વર્ષોથી વધુને વધુ સારા બીજ ઉછેર્યો અને વધારે ચરબીવાળા પ્રાણીઓ પાળતો આવ્યો છે. તેવા ખેડૂતને વૈજ્ઞાનિક શું શીખવી શકે? સિવાય કે તેમને મૂંઝવી મારે તેવા ફૅન્સી સૂત્રો! ખેડૂત પાસે કોઠાસૂઝ છે જે આદરપાત્ર છે. પણ, તેની પાસે સંભાવનાઓ ધારવાની આવડત નથી, જે વિજ્ઞાન પાસે છે. ખેડૂત આગળથી કહીં ના શકે કે વનસ્પતિનું કયું લક્ષણ હાવી રહેશે અને કયું દબાતું, ઘસાતું જઈ ભૂંસાઈ જશે. ખેડૂત ખેતીમાં જુગાર રમતો આવ્યો હતો અને તે સરેરાશ જુગારી જેટલો જ સફળ હતો.

ગ્રેગર મૅંડેલેએ પહેલીવાર તેના માટે પત્તાં ખોલ્યાં હતાં. જે ઘડીએ મૅંડેલે પોતાના વિચારો ગાણિતીક સ્વરૂપમાં મૂક્યાં, તે ઘડીએ ખેતી વિજ્ઞાન અને માનવજાતને પુરતું ભોજન પુરું પાડવાની એકમાત્ર આશા બની.

૧૯૧૪, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે વાવીલોવને વિચાર આવ્યો : ખેતી થાય તેવા બીજ- છોડ આવ્યા ક્યાંથી? તે બીજ- છોડના પૂર્વજ કોણ?

તેણે પ્રેમપત્રમાં લખેલું : મને વિજ્ઞાનમાં ઊંડો વિશ્વાસ છે. તે જ મારું જીવન અને જીવનનો હેતુ છે. વિજ્ઞાનના નાના કામ માટે હું જીવન ધરી દેતાં ખચકાઈશ નહીં.

પહેલા વિશ્વયુદ્ધને અંતે રશિયન સમાજની તિરાડો બહાર દેખાવા માંડી અને ક્રાંતિ તથા ગૃહ યુદ્ધના મંડાણ થયા.

જ્યાં ખેડૂતો, ખેત મજૂરોના બાળકો ભણીને વૈજ્ઞાનિક બની શકે તેવી, પોતાના જીવનકાળમાં સ્થાપેલી ૪૦૦ વિજ્ઞાન સંસ્થામાંની પહેલીની વાવીલોવે શરૂઆત કરી. પૃથ્વી પરથી દુષ્કાળ દૂર કરવાના વાવીલોવના સપનાને પુરું કરવા.

૧૯૨૦માં વાવીલોવે એક સાહસિક, નવા નિયમની દરખાસ્ત મૂકી : કૉમરેડ, વનસ્પતિની પ્રજાતિ જુદી જુદી હોય તો પણ ચોક્કસ જનીન ચોક્કસ ગુણધર્મ પ્રમાણે જ વર્તે છે. કારણકે, તેમનો પૂર્વજ એક છે. ઉત્ક્રાંતિ સમજવા અને ખેત પેદાશોના આપણા કામને વૈજ્ઞાનિક ઢબે  અનુસરવા આપણે જ્યાં ખેતીની શરૂઆત થઈ હોય તેવા દેશોની મુલાકાત લેવી જોઈએ. જેથી આજની ખેત પેદાશોના પૂર્વજોનો પત્તો લગાવી શકાય.

નીકોલાઈ વાવીલોવ જેવા માણસો હોય ત્યાં સુધી રશિયા ખવાઈ જવાનું નથી.

વાવીલોવ વિશ્વ વિખ્યાત બની ગયો. તે કહેતો : હું? ના. મારો ભાઈ સર્ગેઇ, ભૌતિક વિજ્ઞાની, તે વધારે હોશિયાર છે.

વાવીલોવને ખબર હતી કે દરેક બીજ તેની ખાસ પ્રજાતિનો વિશિષ્ટ સંદેશો પોતાનામાં જાળવે છે. તે સંદેશાની વિગતો જુદી હોઈ શકે, પણ તે બધા કોઈ ચોક્કસ રહસ્યમય ભાષામાં લખાયેલા છે. 

એવી ભાષા, જે કેટલાક દસકા સુધી ઉકેલી શકાઈ નહીં.

જીવનના પ્રાચીનતમ લખાણના શબ્દેશબ્દને વાવીલોવ સાચવી લેવા માંગતો હતો, જેથી તેને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય. તે વખતે જૈવ વિવિધતાના મહત્વને સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકોમાંનો તે એક હતો.

તેણે તદ્દન નવો જ વિભાવના રજૂ કરી : એક વૈશ્વિક બીજ બેંક - યુદ્ધો અને કુદરતી પ્રકોપોથી સુરક્ષિત.

આ માનવતાવાદી ઉદ્દેશ પાછળ વૈજ્ઞાનિક સમજ પણ હતી : જો આપણે આરોગેલા પહેલાં દાણાનો નમૂનો મેળવી શકીએ તો તે દાણો કે છોડ સમય સાથે કેટલો બદલાયો તે જાણી શકીએ, તેના પરથી વાક્ય ગોઠવી શકાય અને જીવનના સંદેશાની ભાષા ઉકેલી શકાય. અને ભાષા ઉકેલતાં આવડે તો નવા સંદેશા પણ લખી શકાય- રોગ, ફૂગ, જીવાત અને દુકાળને પહોંચી વળે તેવા બીજા -છોડ ઉછેરી શકાય.

આવી શોધ માટે વાવીલોવ પાંચેય ખંડમાં ફરી વળ્યો, એવી એવી જગ્યાએ જ્યાં તેની અગાઉ કોઈ વૈજ્ઞાનિક ગયો ન હતો. નકશા કે પાકા રસ્તા વગર અફઘાનિસ્તનના પર્વતીય વિસ્તાર ખૂંદનાર વાવીલોવ પહેલો યુરોપીયન (એશીયન) હતો. માણસ જાતે ખેતીની શરૂઆત નદીના મુખ ત્રિકોણમાં કરી હશે તેવી પ્રચલિત ધારણા વાવીલોવને ગળે નહોતી ઉતરતી, કબીલાઈ લડાઈઓ અને બીજા જોખમોને ધ્યાનમાં લેતાં. તેનું માનવું હતું કે પહાડીઓના અંતરિયાળ વિસ્તાર ખેતી માટે વધુ સલામત સ્થળ હતા, અવરજવર કરનારાઓની કનડગતથી દૂર.

જીવના જોખમે બીજ શોધવા નીકળેલા વાવીલોવની સાહસકથાઓ તેની વૈજ્ઞાનિક પ્રતિભાની બરોબરી કરે તેવી છે.

હાલના ઈથિયોપીયા, ત્યારના ઍબેસેનિયામાં, ૧૯૨૭માં વાવીલોવે કૉફીનું માતૃબીજ શોધી કાઢ્યું.

વાવીલોવ અંતરિયાળ જગ્યાએ જવાની મંજૂરીની રાહ જોતો હતો ત્યારે તેને ઈથિયોપીયાના થનારા રાજા- રાસ્ટફરી, જેને દુનિયા હાઈલી સલાસી( ત્રિદેવની સત્તા) તરીકે ઓળખવાની હતી- તરફથી આમંત્રણ મળ્યું. તેણે રશિયા અને રશિયન ક્રાંતિ વિશે વાવીલોવને પુછ્યું. વાવીલોવે કહ્યું કે ક્રાંતિના નેતા લેનીન હવે નથી રહ્યા અને હાલ સ્ટાલિનની સત્તા છે. કે કેવી રીતે સ્તાલિનના બંદૂકધારીઓએ વીસ વર્ષ પહેલાં બેંક લૂંટીને ક્રાંતિ માટે ૩૦ લાખ ડૉલર મેળવેલા આને તેને કારણે સ્તાલિન લોકકથાઓમાં નાયક બની ગયેલો.

એક તરફ વાવીલોવ બીજ અને જ્ઞાનની શોધમાં દુનિયા ખૂંદતો હતો તો બીજી તરફ તેના પ્રતિભાવાન શિષ્યોમાંનો એક આગવું કાઠું કાઢી રહેલો.

અંક ૧૩: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post.html

8.2.21

૪. ૧ (૧૩) : વાવીલોવ (૨૦૨૦)

માણસ હોવું એટલે ભૂખની પીડા જાણવી.

એક વખતે એક માણસ હતો જેણે કલ્પના કરેલી કે વિજ્ઞાન થકી એવી દુનિયા શક્ય બનશે જ્યાં કોઈએ ભૂખનું દુઃખ વેઠવું નહીં પડે.
દુષ્કાળ તો આવશે જ નહીં.
પોતાનું કૉલ નિભાવવા તેણે આપણને ખજાનો ભેંટ કર્યો. પણ, અણીના સમયે તેણે વિકલ્પ પસંદ કરવાનો થયો : વિજ્ઞાન વિશે ખોટું બોલવું અને જીવ બચાવવો અથવા સાચું બોલીને મોત ઓઢવું.


માણસ બન્યાના શરૂઆતના કેટલાક સો હજાર વર્ષ સુધી આપણે તારા મઢ્યા આકાશ નીચે રખડનારા હતા.
આપણે વનસ્પતિના ભાગ વીણતાં, પશુઓનો શિકાર કરતા.
છેક દસથી બાર હજાર વર્ષ પહેલાં સુધી, જ્યારે આપણા વડવાઓએ જીવવાની નવી રીત ઘડી કાઢી.

તે બુદ્ધિશાળીઓ વિશે વિચારી જુઓ, જેમને પહેલી વહેલી વખત ભાન થયું કે જે દાણાં તેઓ ભારે મહેનતથી વીણીને ભેગાં કરે છે, તેમાં જ છોડ ઉગાડવાની ક્ષમતા રહેલી છે.

બીજ.

આ શોધને કારણે આપણી પ્રજાતિએ નસીબના સૌથી મહત્વના ખેલમાં ચાલ પસંદ કરવાનું થયું : નાની ટોળકીમાં શિકારી-વીણનારાનું જીવન ચાલું રાખવું કે ક્યાંક સ્થાયી થઈ પોતાનું અનાજ ઉગાડવું. 

તે માટે જે બલિદાન આપવાનું હતું તેનું ફળ ઘણું મોડું મળવાનું હતું.
પહેલીવાર આપણે ભવિષ્ય વિશે વિચારવું પડેલું.
તે નિર્ણય કાંઈ ઘડીભરમાં નહોતાં લેવાયા.
તે તો એક પછી એક પેઢીઓ સમક્ષ ખુલતા ગયા.

માણસ માટે તે એક ખૂબ ખૂબ લાબો સમય લાગે. જો કે, બ્રહ્માંડીય કૅલેન્ડરના સંદર્ભમાં તો તે ફક્ત અડધી મિનિટ પહેલાંની વાત છે. બ્રહ્માંડિય કૅલેન્ડર એટલે ૧૩૮૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગથી માંડીને અત્યાર લગીના સમયને એક વર્ષના સંદર્ભમાં ગોઠવેલું તારીખીયું. તેમાં ૩૧ ડિસેમ્બરની મધરાત એટલે આ ક્ષણ. મહિનો એટલે ૧૦૦ કરોડ વર્ષ કરતાં થોડો વધારે સમય.‌ દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ. 

અને માણસજાતના તમામ ગૌરવવંતા ઉપક્રમો તે કૅલેન્ડરની છેલ્લી કેટલીક મિનિટોમાં આવી જાય. બ્રહ્માંડ માટે આપણે એટલા નવા છીએ.

બ્રહ્માંડિય કૅલેન્ડરની છેલ્લી ૩૦ સૅકન્ડ દરમ્યાન આપણા પૂર્વજોએ પ્રાણી અને વનસ્પતિ પાળવા શરૂ કર્યું. પહેલીવાર, આપણે ભટકતા લોકો સ્થિર થયા અને એક ઋતુ કરતાં લાંબું ચાલે તેવી વસ્તુઓ બનાવવા લાગ્યા.

તેમણે ભવિષ્યને અડવાની હિંમત કરી.
તેમણે બનાવેલા જેરિકોના ટાવર* હજી ઊભાં છે. તે શું આક્રમણખોરો પર નજર રાખવા માટે હતા કે પછી તારાઓની વધુ નજીક જવા માટે?
તેમને બનાવતાં ૧૧,૦૦૦ દિવસ લાગે. આવું કામ ત્યારે જ શક્ય બને જ્યારે તે કામ કરનારાઓ માટે પૂરતો અન્ન જથ્થો હોય; જે વળી ખેતી વગર શક્ય નથી.

જેરિકોના ટાવરમાં વિશ્વનો સૌથી જૂનો દાદર છે. ઈજિપ્તના પિરામિડ બન્યાનાય પાંચ હજાર વર્ષ પહેલાંનો, ત્રણસો પેઢી જૂનો.

જે લોકો હજી હમણાં ભટકતું જીવન છોડી સ્થિર થયેલા, તે લોકો આટલું ટકાઉ બાંધકામ બનાવે તે બાબત જબરજસ્ત નથી!
શિકારી-ભટકતું જીવવાવાળાઓનો, વનસ્પતિ, પ્રાણી, પક્ષી, જીવજંતુઓની વિવિધતા વાળો સમૃદ્ધ ખોરાક હવે બદલાઈ ગયેલો. 

શહેરી લોકો તો હવે મોટાભાગે થોડાક કાર્બોહાઈડ્રેટ પાક પર નભે છે. અને જ્યારે જોઈતો વરસાદ ના થાય કે અનાજને ફૂગ લાગી જાય ત્યારે મોટા પ્રમાણમાં ભૂખમરો ફેલાય છે.
દૂષ્કાળ.

બ્રિટિશ શાસન દરમ્યાન ભારતમાં આવેલો દુકાળ સો લાખ માણસો ભરખી ગયેલો, છેક ૧૯મી સદીમાં. ચીનમાં આવેલો દૂકાળ એક હજાર લાખ માણસો ખાઈ ગયેલો. બ્રિટિશ સામ્રાજ્યના જ નિયમોને કારણે આયર્લેન્ડમાં દસ લાખ લોકો ભૂખથી મરેલા અને વીસ લાખ જેટલા લોકો ખોરાકની શોધમાં દેશ છોડવા મજબૂર થયેલા.
૧૮૭૭માં બ્રાઝિલમાં દુકાળ અને રોગચાળો ફાટી નીકળેલા. ફક્ત એક વિસ્તારના અડધા લોકોનો સફાયો થઈ ગયેલો. આફ્રિકાના ઈથીયોપીયા, રવાન્ડા અને સેહલમાં દૂકાળથી મરેલાઓની ગણતરી નથી કરી શકાઈ.
પૃથ્વીના એક યા બીજા ભાગે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરતા રહ્યા છે, કેટલાક હજાર વર્ષ પહેલાંના જે દિવસથી પૃથ્વી પર નોંધ રાખવાની શરૂઆત થઈ તે દિવસથી માંડીને.

શું ગુરુત્વાકર્ષણની જેમ ખેતી એક વિજ્ઞાન અને અનુમાન લગાવી શકાય તેવો સિદ્ધાંત બની શકે?દુકાળ અને રોગચાળા સામે સતત ટકી શકે તેવું કશું શું નીપજાવી શકાય?

ખેડૂત અને ગોવાળો પારખી જાણતા હતા- મજબૂત નમૂનાઓ તારવી, પસંદ કરી, તેમનું સંકરણ કરાવી નવા પ્રકારના, સંકર નમૂના બનાવવાના ફાયદા.
આ બાબત કૃત્રિમ પસંદગી તરીકે ઓળખાય છે.
પણ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગુણધર્મો કઈ રીતે જાય છે તેની યાંત્રિકી એક રહસ્ય હતું.

આવો, ડાઉન હાઉસમાં, ચાર્લ્સ ડાર્વિનનું ઘર, જ્યાં તે પત્ની ઍમા અને દસ બાળકો સાથે રહેતો હતો. ત્યાં તેણે એક બગીચો પણ બનાવેલો. માણસજાતના વૈચારિક ઈતિહાસમાં આ જગ્યાનું અનોખું સ્થાન છે. આજેય એવા માણસો છે, જેઓ ડાર્વિનના વિચારથી ડરે છે.

ચાર્લ્સ ડાર્વિને શોધેલું કે પ્રજાતિઓ, માણસ સહિત, કુદરતી પસંદગીની પ્રક્રિયા દ્વારા સમય સાથે ઉત્ક્રાંત થાય છે. વાતાવરણના ફેરફારો સાથે જે સૌથી સારું અનુકુલન સાધે છે, તે ટકી જાય છે અને તેની જ પેઢી આગળ જાય છે.

જીવનના રહસ્યનું બહારનું આવરણ ડાર્વિને હટાવ્યું. પણ, હજી ઉત્ક્રાંતિનું આંતરિક કારણ સમજી શકાયું નહોતું.

બરાબર તે વખતે, આજના ચૅક રિપબ્લિકની એક મૉનેસ્ટ્રીમાં એક યુવાન પાદરી વિજ્ઞાનનો પ્રૉફેસર બનવા મથી રહેલો. જ્યૉર્જ મૅન્ડેલે પ્રવેશ પરીક્ષામાં બે વખત નિષ્ફળ ગયો. છેવટે તેણે મદદનીશ શિક્ષક બનવું સ્વીકાર્યું. તેથી મળતા સમયમાં તેણે વટાણાના છોડનો અભ્યાસ શરૂ કર્યો.
તેણે વટાણાના હજારો છોડ ઉછેર્યા, પાંદડા, બીજ અને ફૂલના રંગ, કદ અને આકારનું ઝીણવટભર્યું અવલોકન નોંધતાં રહીને. 

મૅન્ડેલ નિશ્ચિત ધારણા કરી શકાય તેવો પ્રજનનનો સિદ્ધાંત શોધતો હતો. જેથી, આપણે અગાઉથી ખબર રહે કે જ્યારે કોઈ લાંબા છોડ સાથે ટૂંકાનું, લીલા વટાણા સાથે પીળા વટાણાના છોડનું સંકરણ કરો ત્યારે શું પરિણામ મળે.
મૅન્ડેલે શોધ્યું કે આપણને દર વખતે પીળો વટાણો જ મળશે.
લીલા પર પીળાની આ આણ માટે આપણી પાસે કોઈ શબ્દ નહોતો, મૅન્ડેલે નવો શબ્દ રચ્યો - ચઢીયાતો/ dominant.
અને પોતાના આનંદ વચ્ચે તે નિશ્ચિત ધારણા કરી શક્યો કે નવી પેઢીના વટાણા કેવા હશે.
નવી પેઢીના છોડમાં અપ્રકટ રહેલા ગુણને મંડેલે નામ આપ્યું- સુષુપ્ત/ recessive.
તેણે એક એવી બાબત ચિંધી જેને તે કારક/ factor નામ આપ્યું- છોડમાં રહેલી એવી આંતરિક બાબત છે તેને ચોક્કસ ગુણધર્મ આપતી હતી. અને તે કોઈ સૂત્રમાં ઢાળી શકાય તેવો ચોક્કસ નિયમ અનુસરતી હતી.

ચાર્લ્સ ડાર્વિન અને મૅન્ડેલ એકબીજાથી અજાણ હતા. તે બંને વૈજ્ઞાનિક, સમયના એક ગાળામાં, પોતપોતાની રીતે જીવન રચનારા રહસ્યો ઉકેલવામાં લાગેલા હતા.


* https://en.m.wikipedia.org/wiki/Tower_of_Jericho


અંક ૧૩ : https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_31.html

31.1.21

૩.૪ : (૧૨) જીવનનું ખોવાઈ ગયેલું નગર

પૃથ્વી પર બધે જ જીવન છે એમ પહેલી જ નજરે જાણી લેવા ઍસ્ટ્રોબાયોલૉજીસ્ટ હોવું જરૂરી નથી.

આ જગ્યાનો પ્રત્યેક ચૉરસ ઈંચ જીવને બદલી નાખ્યો છે. પરગ્રહવાસીની નજરે જોઈએ તો પૃથ્વીને આંતર ગ્રહીય નિયમો પ્રમાણે પાંચમા- પ્રતિબંધિત પ્રકારમાં આવે. 

ઍનસિલાડસે તેનાં રહસ્ય ઊંડે સંતાડી રાખ્યા છે. બરફ અને પાણી- વરાળના ફુવારા કલાકના ૧૨૮૮કિલોમીટરની ઝડપે તેના પરથી ઉડી રહ્યા છે. શનિની સૌથી બહારની વિંટી- 'ઈ' રીંગ તેના કારણે છે.જો કે, તે ઉપરાંત પણ તેની પાસે બીજું ઘણું છે- નાઈટ્રોજન, ઍમોનિયા, મિથેન.

અને જ્યાં મિથેન ત્યાં ઑલીવાઈન. 

ઍનસિલાડસ આ કામ ૧૦૦૦૦ લાખ વર્ષથી કરી રહ્યો છે અને હજી બીજા ૯૦૦ કરોડ વર્ષ એમ કરતો રહેવાનો છે. આટલું બધું પાણી તેની પાસે આવે છે ક્યાંથી?

ભૂરો બરફકણ કલાકના ૧૬૦૯ કિલોમીટરની ઝડપે નીચે (ગુરુત્વાકર્ષણના કેન્દ્ર તરફ) ખાબકે છે.

દક્ષિણધૃવ પર બરફની સપાટી સૌથી પાતળી છે. અમુક કિલોમીટર જેટલી જાડી. એટલે, મહાસાગરના તળિયાં ફંફોસવા તે જગ્યા એકદમ યોગ્ય છે. આવો, ઍનસિલાડના દક્ષિણ ધૃવને જોઈએ.

એક ચેતવણી: હવે આપણે જે જોવાના છીએ તે સંપૂર્ણત: સાબિતીઓ પર આધારિત છે. 

તેનો મહાસાગર, તેના ઉકળતા પાણીના ફુવારા, સપાટી પર પેલો વિચિત્ર બરફ, તે બધું વાસ્તવિક છે.

કૅસિનિ મિશન દરમ્યાન કરેલાં ઘણા બધા અવલોકનો આ દ્રશ્ય બતાવે છે. જો કે, આપણે માહિતી આધારિત ધારણાના ક્ષેત્રમાં તો હજી પ્રવેશવાના છીએ.

ઍનસિલાડસ પરનું પાણી અવકાશના ખાલીપામાં બરફ બની જાય છે. તેના પર જામેલી રજ- જૈવિક પરમાણુ, જીવનનું પારણું છે.

પૃથ્વીના ઊંડા મહાસાગર કરતાં અહીંનો મહાસાગર લગભગ દસ ઘણો ઊંડો છે. મતલબ કે, જીવનની શક્યતાથી સભર.

અહીં છે કાર્બન અને હાઈડ્રોજન અને અહીંના પાણીનું ph સ્તર પૃથ્વી પરના શરૂઆતના મહાસાગર જેવું છે.

પૃથ્વી કરતાં ઍનસિલાડસ પરનું જીવનનું નગર આટલું બધું મોટું કેમ?

કારણકે, અહીં ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ખુબ નબળું છે. ગુરુત્વાકર્ષણ ઓછું, ટાવરનું વજન ઓછું એટલે તે વધું ઊંચા થઈ શકે.

જોકે, મહાસાગરના ભારે પ્રવાહોએ કેટલાક ટાવર પાડી નાખ્યા હશે.

અહીં છે વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થનો ઓલીવાઈન. જીવનને પાંગરતું કરવામાં જે પથ્થરનો ફાળો રહ્યો છે. પણ શું, અહીં પગ જમાવવા જીવન પાસે પૂરતો સમય છે?

નથી ખબર. પણ, ભાગેડું કલાકારનો ઓછો આંકશો નહીં.

આપણા વિશે મજેદાર વાત શું છે, ખબર છે?

આપણને લાગે છે કે આપણે જ વાર્તા છીએ.

આપણે જ બ્રહ્માંડનો છેડો, અંતિમ હેતુ છીએ.

અને છતાં, આપણે એટલું જાણીએ છીએ કે આપણે તો ભૂરાષાયણિક તાકાતની આડપેદાશ છીએ - એવી જે બ્રહ્માંડને ખૂણે ખાંચરે માથું ઊંચકી રહી છે.

આકાશગંગા તારા બનાવે.

તારા બનાવે ગ્રહ- દુનિયા.

અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી, ગ્રહો અને ચંદ્રો જીવન ઘડે છે.

શું તેથી જીવન રસપ્રદ, રોમાંચક નથી?

કે તેથી જીવન વધારે રસપ્રદ, રોમાંચક છે?


ભાગ ૧૧: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_24.html

24.1.21

૩.૩ : (૧૧) જીવનનું ખોવાઈ ગયેલું નગર

બ્રહ્માંડ આકાશગંગાઓ બનાવે.
આકાશગંગા તારા.
અને તારા બનાવે ગ્રહ...
તારા બનાવે દુનિયા.

બ્રહ્માંડમાં જીવનના એવાં નગર ખરાં જે ખોવાઈ ગયા હોય?

બ્રહ્માંડના નાગરિક બનવા વેરો ચૂકવવાનો છે.

અવકાશભીરું પ્રજાતિ તરીકે આપણે જે ગ્રહોની મુલાકાત લેવાના છીએ, તે દુનિયાઓને ચેપ લગાડવા બાબતે અને પાછા ફરીએ ત્યારે આપણી દુનિયા માટે પણ ચેપ ફેલાવનાર બનીશું કે કેમ તે ચિંતા કરવી રહી.

આંતરગ્રહીય સુરક્ષા માટે પ્રોટોકોલ બનાવી કાઢ્યા છે આપણે.  નાસાએ બ્રહ્માંડની દુનિયાઓના પાંચ પ્રકાર નક્કી કર્યા છે. પૃથ્વીનો ચંદ્ર, ઉદાહરણ તરીકે, પહેલા પ્રકારની દુનિયા: જીવનહીન જગ્યા- જ્યાં ના તો આપણા માટે કોઈ ખતરો છે, ના આપણે તે જગ્યા માટે જોખમ છીએ.
સૌથી વધારે જોખમી પ્રકાર છે પાંચ નંબરનો -પ્રતિબંધિત /restricted,  જેમકે મંગળ. ત્યાંના મૂળવાસીઓ -ભૂતકાળના અથવા તો વર્તમાનના- સપાટીએથી સંતાઈને અથવા આપણી દ્રષ્ટિ નથી પહોંચી એવી જગ્યાઓએ હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.

આપણે ખૂબ સાવધાન રહેવું પડે, આપણા પોતાના માટે અને મંગળ પર હોઈ શકનારા જીવન માટે.

પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ હોવાનું સ્વિકારવું એટલે જીવનની છટકી જવાની પ્રતિભા સ્વિકારવી. 
જ્યાં જીવને ધબકવાની શરૂઆત કરેલી, એવી દુનિયાઓ કે જ્યાં જીવન હોઈ શકે અથવા હતું તેવી, પોતાના મહાસાગરો તળે જીવનના નગરો દાટી બેઠેલી દુનિયાઓથી પાછા ફરનારા પ્રત્યેક પ્રાયોગિક મિશનના નમૂનાઓને ઉક્ત વાત લાગુ પડે.

પણ, એક રીતે આપણા રૉબૉટીક દૂતો પોતે જ- આપણા લૅન્ડર્સ, રોવર્સ અને ઑરબીટર્સ- પાળ ઓળંગી શોધવાની, નવો વિસ્તાર સર કરવાની માનવીય વૃત્તિ પડઘાવે છે.  તેનો અર્થ એમ કે જેવું તેમનું કામ પુરું થાય, આપણે તેમને પૂરા કરી નાખવા પડે.
બિચારા જૂનોની જેમ.

વર્ષો સુધી ગુરુની જાસુસી કર્યા પછી નાસા તેને કબરમાં મોકલી રહ્યું છે. એટલા માટે નહીં કે ગુરુની ચિંતા છે. તે વિશાળકાય વાયુ ગોળાને લગતા આપણા આવનારા સંશોધનો પર એક સ્પેશક્રાફ્ટને કારણે કોઈ અવળી અસર પડે તેવી શક્યતા નહિવત્ છે. કોઈ 'લગભગ' માઈક્રોબ સૂર્યના તાપથી શેકાઈ જવાને બદલે સ્પેશક્રાફ્ટના ઊંચા તાપમાન હેઠળ બળી મરે, એટલું જ. એટલે તો ગુરુનો ક્રમાંક બે છે, દુનિયાઓના નાસાએ પાડેલા પ્રકાર મુજબ.

પણ, ગુરુનો એક ચંદ્ર પાંચમા - પ્રતિબંધિત પ્રકારનો છે. કોઈ શરતચૂકથી જૂનો તે ચંદ્ર પર તૂટી પડે તે નાસાને પોસાય નહીં. 

આપણા સૂર્ય મંડળમાં પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ માત્ર ત્રણ છે, જેમાંની એક છે ગુરુના ૮૦ (અને હજી ગણવામાં રહી ગયા હોય તેવા બીજા) ચંદ્રોમાંની એક- યુરોપા.

માઈકલ ફેરાડેએ પૃથ્વીનું ગુરુત્વિય ક્ષેત્ર શોધ્યું હતું, જેવું ગુરુ ફરતે પણ છે. આપણે જો દ્રશ્ય પ્રકાશને બદલે રેડિયો તરંગોની આંખે ગુરુને જોઈએ તો આપણને પણ તે દેખાય છે. ગુરુનું એ
ગુરુત્વિય ક્ષેત્ર ઘણું શક્તિશાળી છે, ૧૮,૦૦૦ ઘણું મોટું પણ ખરું. 
સોલર વિન્ડ કહેવાતા વીજભારીત પરમાણુઓ માટે તે એક મોટ્ટી જાળ છે. તેના કારણે ગુરુના ઉત્તર- દક્ષિણ ભાગ ફરતે ઑરોરા (સુમેરુ જ્યોતિ) દેખાય છે- જેવી પૃથ્વીના ધૃવીય ભાગે દેખાય છે.

કલ્પના કરો, ગ્રહોના મહારાજાની સાવ નજીક રહેવું - નાનકડી યુરોપા અને તેની બહેનો માટે કેવું હશે!
ગુરુની જબરજસ્ત ગુરુત્વિય પકડ યુરોપાને એટલી ગાઢ રીતે લપેટે છે કે આવનારા ૪૦૦ કરોડ વર્ષ સુધી તો તેનો છૂટકારો શક્ય નથી. ગુરુએ તેને એવી તાણી રાખી છે કે તેની ચામડી ઉતરડાઈ રહી છે. તેની ત્વચાનું ફાટવું આપણે જોઈ -સાંભળી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણથી પ્રતાડિત દુનિયાનો અવાજ.  તેને ટાઈડલ ફ્લૅક્સિંગ કહે છે. યુરોપા પર ફક્ત ગુરુ જ નહીં, તેની બહેનોય જોર મારે છે. 

સૂર્યની ઉષ્માથી ૮૦૪૬૭૨૦૦૦  કિલોમીટર આઘે, પૃથ્વી કરતાં પાંચ ગણા અંતરે હોવા છતાં યુરોપાને ટાઈડલ ફ્લૅક્સિંગ હૂંફાળી રાખે છે. તેની વેરવિખેર સપાટી નીચે, પૃથ્વીના સૌથી ઊંડા મહાસાગર કરતાં દસ ગણો ઊંડો મહાસાગર છે. 
શનિ ગ્રહોના પ્રકારમાં બીજા ક્રમાંકનો છે. તેના વાયુ પટ્ટાઓમાંથી પસાર થનાર જીવનનું બચવું અસંભવ છે. તે પટ્ટાઓ ઝાઝું કરીને ઍમોનિયાથી બનેલા છે. તે પટ્ટા- વિંટીઓની નીચે પાણીની વરાળ છે. શનિનો ચંદ્ર ટાઈટન પણ બીજા પ્રકારની દુનિયા છે. શનિની માફક ત્યાં પણ આપણને જીવનનો સામનો થવાની શક્યતા નહિવત્ છે. સિવાય કે જીવનની જે આપણી ધારણા છે, કલ્પના છે, તેના કરતાં ત્યાંનું જીવન સાવ જ જુદું હોય. તે સંજોગોમાં પૃથ્વી પરના જીવનનું કોઈ પણ સ્વરૂપ ત્યાંના જીવનને નુકસાન પહોંચાડી શકે તેની સંભાવના ય શૂન્ય છે.

હવે જોઈએ પ્રતિબંધિત પ્રકારની વધુ એક દુનિયા. 
વિલિયમ હર્ષલે અવકાશી મહાસાગરમાં ઘણે ઘણે ઊંડે જઈ જોયું હતું, તેના પહેલાં એટલે ઊંડે કોઈ નહોતું ગયું.
તેનો પુત્ર જ્હૉન પણ એવો જ પ્રતિષ્ઠિત ખગોળ શાસ્ત્રી બનવાનો હતો. -(આપણે તેને કૉસ્મોસના પહેલા ભાગમાં મળ્યા છીએ.)

વિલિયમ હર્ષલની બહેન કૅરોલીન પણ તેની આગવી રીતે વિશ્વ પ્રસિદ્ધ ખગોળ શાસ્ત્રી હતી. વૈજ્ઞાનિક તરીકે વેતન મેળવનાર તે પહેલી સ્ત્રી હતી. તેની ઊંચાઈ ચાર ફૂટ ત્રણ ઈંચ હતી. દસ વર્ષની ઉંમરે તેને ટાઈફસ (એક ચેપી રોગ) થયો હતો. તેને કારણે તેની ડાબી આંખની દ્રષ્ટિ ક્ષમતા ઓછી થઈ ગયેલી અને તેની શારીરિક વૃદ્ધિ અટકી ગયેલી. અને છતાં તેણે પોતાના સમયની સીમાઓ વિસ્તારી હતી.
કૅરોલીને એક શોધપત્ર પ્રસિદ્ધ કર્યું હતું - 'નિહારિકાઓની સૂચિ અને તારાઓનાં ઝૂમખાં'‌ - ભાઈ વિલિયમના નામે. આખરે તે વર્ષ ૧૮૦૨ હતું.

તેનો ભત્રીજો, જ્હોન, ફોઈના કામને આગળ વધારી 'નવી સામાન્ય સૂચિ- New General Catalogue ' રચવાનો હતો. આજે પણ ઘણા ખગોળીય પિંડ NGC ક્રમાંકથી ઓળખાય છે.

પિતા સાથે જ્હોન ટૅલિસ્કોપમાંથી તાક્યા કરતો. "જરાક પૂર્વમાં અને એક અંશ ઉત્તરે ગોઠવ, દિકરા."
"ઓહ! આ તો મેં અગાઉ ક્યારેય નથી જોયું. તે શું નવો તારો છે, પિતાજી?"
"ના, નવો ચંદ્ર. મેં તેનું નામ શનિ-ર પાડ્યું છે."
"ના, પિતાજી. આ નામ બરાબર નથી."
"તો તું નામ પાડ."

જ્હૉને તે ચંદ્રનું નામ પાડ્યું ઍનસિલાડસ- ગ્રીક દંતકથા પ્રમાણે પૃથ્વી અને આકાશનો વિશાળકાય પુત્ર.
ઍનસિલાડસે બ્રહ્માંડ પર સત્તા મેળવવાના મહાભારતમાં દેવી ઍથેના સામે યુદ્ધ કરેલું.


ભાગ :૧૦: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_17.html

18.1.21

સમય: ભૌતિકી અને દર્શન

પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે, પ્રકાશની ઝડપ મર્યાદિત છે અને સમય સાપેક્ષ છે એમ આઈન્સ્ટાઈન દાદુને કહ્યે સો વર્ષ થઈ ગયાં.

આ વાત પચાવતાં દુનિયાના દાદુ ભેજાંને એટલાં જ વર્ષ ગયાં.

એ વાત સમજવા આપણે પ્રયત્ન કરીએ. Let's see.


આપણા પૂર્વજો કરતાં આપણે- ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવનારા- સમયને જુદી રીતે જોઈએ છીએ અને 3G પછીની પેઢી, ડિજીટલ ઘડિયાળ 'જોતી' પેઢી સમયને જુદી રીતે જૂએ છે.


ઘડિયાળ સમયને કઈ રીતે બતાવે છે?

૧) કે બધાનો સમય એકસમાન હોય. જો તમારી ઘડિયાળ મારી ઘડિયાળ કરતાં જુદો સમય બતાવે તો કાં તો તમારી, કાં મારી કે પછી આપણા બંનેની ઘડિયાળ બગડેલી છે. 

૨) કે સમયરેખા પર આપણે 'ક્યાં' છીએ.


જો ઘડિયાળના ચંદા ફરતે દોરી વીંટાળી તેને સીધી ગોઠવી દઈએ તો આપણને સમયરેખા મળે. જેના પર આપણે સમય આંકી શકીએ, સંખ્યા રેખાની જેમ. અત્યારે કેટલા વાગ્યા તે આપણો વર્તમાન. તેની એક તરફ ભૂતકાળ, બીજી તરફ ભવિષ્ય. ઘડિયાળ આપણને બતાવે છે કે કેટલો ભૂતકાળ આપણે પાછળ મૂક્યો.


ઘડિયાળ એ સતત વહેતા સમયનું પ્રતિક છે. આપણી અથવા તો બ્રહ્માંડના કોઈ પણ પદાર્થથી દખલ પામ્યા વગર સમય સતત વહેતો રહે છે. ફિલોસોફિકલ લાગતું આ વિધાન ન્યુટનનું છે. ન્યુટન માનતા કે સમય અવકાશમાં વહેતો પ્રવાહ છે. ન્યુટનનું અવકાશ ખાલી હતું, શૂન્ય. આઈન્સ્ટાઈનનું નહીં. આઈન્સ્ટાઈનનું કહેવું હતું કે સમય અવકાશમાં સતત વહે છે ત્યાં સુધી વડિલ સાથે સંમત, પણ અવકાશ પોતે તો ગુરુત્વાકર્ષિય ક્ષેત્ર છે, એટલે કે તે ખાલી નથી. આઈન્સ્ટાઈન અવકાશ-સમયને સ્પેસ+ટાઈમ તરીકે જોતા હતા.


તો, સમય એટલે શું? 

આપણા પૂર્વજોએ તારવેલું કે સમય એટલે ઘટેલી ઘટનાનો ક્રમ. એકમ, બીજ-ચંદ્ર કળાઓ. ભૂતકાળથી અહીં સુધીનું અંતર સૂચવતો અંક. 3G પેઢી પણ સમયને એક અંક, ડિજીટલ કૂદકા તરીકે જૂએ છે- 1:59થી 2:00, એમ.


સમયને તેના ગુણધર્મો વડે પણ ઓળખી શકાય. સમયનો એક ગુણધર્મ છે કે તેમાં ભૂતકાળ અને ભવિષ્ય જૂદા છે. પેલી સમયરેખા પર આપણે વર્તમાન ક્ષણે ઊભા હોઈએ તો આપણી પાછળ છૂટેલો ભૂતકાળ છે- એક કલાક પહેલાંનો, એક દિવસ/મહિનો/ વર્ષ...છેક બિગ બેંગ સુધીનો. આપણી આગળ છે ભવિષ્ય- નજીકનું, થોડે દૂરનું, ખૂબ દૂરનું.


ભૂતકાળ અને ભવિષ્યને આપણે આ રીતે ઓળખીએ છીએ: ભૂતકાળ તેની નિશાની છોડી જાય છે- ચંદ્ર પરના ખાડા, ચહેરા પરની રેખાઓ, આપણી યાદો, સ્મૃતિ વગેરે.‌ ભવિષ્ય અજાણ છે, કોઈ નિશાની કે સંકેત વગરનું.


બાળક તરીકે મને એક પ્રશ્ન થતો અને જે મારા અભ્યાસ તેમજ કામનો એક ભાગ છે, તે છે, ભૂતકાળ (,વર્તમાન) અને ભવિષ્ય ઍક્ઝેટલી ક્યાં છૂટા પડે? 


મિકેનિક્સ, થર્મો ડાયનેમિક્સ, સ્ટાન્ડર્ડ મૉડલ ઑફ ફિઝીક્સ, જનરલ રિલેટીવિટી, ક્વૉન્ટમ ફિઝીક્સના નિયમોમાં ક્યાંય આનો જવાબ નથી. 


ભૌતિકશાસ્ત્રની તમામ પાયાની થિયરીઝમાં એ ભેદ સૂચવે તેવું કશું જડતું નથી.


એક જગ્યાએ છે :થર્મોડાયનેમિક્સ. તેનો એક નિયમ ઍન્ટ્રોપી - અવ્યવસ્થાનું પ્રમાણ.

થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે : ઍન્ટ્રોપી ભવિષ્યમાં વધે છે.


આપણો અનુભવ છે કે ભૂતકાળમાં અમુક વ્યવ્સ્થા હતી અને તેમાં ક્રમશઃ વધુને વધુ અવ્યવસ્થા આવતી ગઈ અહીં સુધી પહોંચવામાં અને ભવિષ્યમાં તે વધશે. બિગ બેંગ વખતે બ્રહ્માંડ અમુક રીતે ગોઠવાયેલું હતું, જે ગોઠવણ ખોરવાતી ગઈ અને બ્રહ્માંડ 'વિકસ્યું' અને ભવિષ્યમાં તેની અવ્યવસ્થા વધવાની છે.


એવું કેમ?

ભૂતકાળ કેમ વ્યવસ્થિત હતું?

કોણે તેને વ્યવસ્થિત ગોઠવ્યું?


વ્યવસ્થા એટલે શું?

ધારોકે, એક ખોખામાં એક બાજુ કેટલાક લાલ અને બીજી બાજુ  કેટલાક લીલા દડા ગોઠવેલા છે. તે વખતે તે ઘટનાની ઍન્ટ્રોપી શૂન્ય હશે. તે ખોખાને હલાવીએ તો દડા ભેગા થઈ જશે, અવ્યવસ્થા સર્જાશે, ઍન્ટ્રોપી વધશે.


પણ, આપણો એક મિત્ર રંગ અંધ છે. તો? લાલ -લીલા રંગનો ભેદ પારખવા અક્ષમ તેની નજર કઈ સ્થિતિને વ્યવસ્થા-અવ્યવસ્થા કહેશે?


ધારોકે, આપણા તે મિત્રની આંખ કદ પારખવામાં અતિશય કુશળ છે; કદનો સૂક્ષ્મ તફાવત તે પકડી પાડે છે. હવે, જો આપણા લાલ-લીલા દડાના કદમાં સૂક્ષ્મ તફાવત છે, તો એક તરફ લાલ અને બીજી તરફ લીલા એવી 'વ્યવસ્થા' તેની દ્રષ્ટિએ અવ્યવસ્થા ઠરશે ને!


થર્મોડાયનેમિક્સના બીજા નિયમને બૉલ્ટ્ઝમૅ બરાબર સમજ્યા. તેમણે કહ્યું કે "આ નિયમ સ્થિતિસૂચક અંક -statestical છે, તેની ગણતરી કરી શકાય." તેમના કહેવા પ્રમાણે ઍન્ટ્રોપી એટલે યાંત્રિક પદાર્થો કઈ રીતે અવ્યવસ્થિત છે તેનું માપન, તે મૂળભૂત સ્થિતિ કે પ્રમાણ નથી. 


એટલે કે, ઍન્ટ્રોપી ઉપર ઘણા બધાં પરિબળો અસર કરે છે.


ટેબલ પર એક કૂકરીને ધક્કો મારતાં તે આગળ ખસે છે અને એક હદ પછી અટકી જાય છે અને તે આપોઆપ મૂળ જગ્યા તરફ પાછી જતી નથી. આ ઉલટાવી ના શકાય તેવો ફેરફાર છે.

કૂકરીની ગતિ, તેથી ઊભું થયેલું ઘર્ષણ કુકરી અને ટેબલના અણુઓને ઉષ્મા આપે છે. જેથી તે અણુ કંપે છે અને તેમની વ્યવસ્થા ખોરવાય છે. અમુક પ્રકારની વ્યવસ્થામાં રહેલા કુકરી અને ટેબલના અણુઓમાં અવ્યવસ્થા ઊભી થાય છે.

અણુઓનું નવું ઉષ્ણતામાન જ ભૂત -ભવિષ્ય નક્કી કરે છે.

જો ઉષ્મા નથી, ઉષ્ણતામાન નથી, તો સમય માપી પણ શકાતો નથી.

કૂકરીને ટેબલ પર ધકેલી જુઓ, ઘર્ષણ વગર તે ખસસે જ નહીં.


આપણે આગળ જોયું કે સમય એટલે બદલાયેલી ઘટનાનો ક્રમાંક, ઘટના કે સ્થિતિમાં થયેલો ફેરફાર. અને બ્રહ્માંડમાં તો બધું બદલાતું રહે છે.


ભૌતિક શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાં, તેમના સૂત્રાત્મક વર્ણનમાં ચલ તરીકે સમય હોતો જ નથી. તમે જો ક્વૉન્ટમ ગ્રેવિટી(ક્વૉન્ટમ મિકેનિક્સ + જનરલ રીલેટીવીટી) માં કામ કરતા હો તો ડેલ્ટા t તેમાં હોતો જ નથી. કારણકે, તેમાં જેટલા પરિબળો છે, તે બધા પરિવર્તન પામે છે અને એટલે તે બધા જ ઘડિયાળ છે.


પણ, આપણા માટે તો સમય છે, એક સમય રેખા જેવો. આપણી પાસે તો ભૂતકાળ છે- તેની નિશાનીઓ, યાદો સહિત- અને ભવિષ્ય આવવાનું છે, આપણી આકાંક્ષાઓ સહિત. 


ન્યુરો સાયન્સમાં થયેલા સંશોધનો કહે છે કે અસલી  ટાઈમ મશીન આપણું મગજ છે.

કેવી રીતે?

આપણી આસપાસની ગૂંચવાડાભરી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓ મગજ નિરંતર ગ્રહણ કરતું રહે છે. આપણે ભૂતકાળની નિશાનીઓ, સ્મૃતિઓ દ્વારા તે ઘટનાઓ સાથે જોડાયેલા રહીએ છીએ અને ધારણાઓ દ્વારા બીજી દિશા- ભવિષ્ય સાથે જોડાઈએ છીએ. આથી, સમય રેખા પર સ્મૃતિ અને ધારણા વચ્ચે મોકળો અવકાશ (સંખ્યા રેખા પર બે સંખ્યા વચ્ચે હોય તેવી) ઊભો થાય છે.


આપણે ભૂતકાળ કે ભવિષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે આપણે કાંઈ ભૌતિક ભૂત-ભવિષ્ય વિશે નથી વિચારતા; આપણે ભૂતકાળની યાદો અને ભવિષ્યની ધારણાઓ વિશે વિચારીએ છીએ. એક વખત ખવાઈ ગયેલી કડવી કાકડીનો સ્વાદ આ પળે જીભ પર રમે છે ત્યારે જીભ પર કાકડી કે તેનો સ્વાદ ભૌતિક સ્વરૂપે છે જ નહીં, તેની સ્મૃતિ છે. પ્રેમીકા મને મળવા આવવાની છે તે પળની ધારણા પ્રેમિકાની ભૌતિક અનુપસ્થિતિમાંય મારા કાનની બૂટ લાલ કરી દે છે. 


આવામાં, વાસ્તવિકતા કોને કહીશું?


થોડું ફંટાઈને એક-બે રોમાંચક વાતો કરીએ.

આઈન્સ્ટાઈન કહી ગયા કે પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે અને આપણે જોયું કે સમય એટલે ફેરફાર એટલે કે ગતિ, તાપમાનને કારણે આવેલો બદલાવ.


તો, જોડિયા ભાઈઓમાં એક જાડો છે અને એક પાતળો, તેમની ઉંમર સરખી ગણવી કે કેમ?

વળી, અવકાશમાં આપણી સ્થિતિ બદલાય તેની પણ સમય પર અસર થાય છે. જેમકે, એક ઘડિયાળને હાથમાં પકડી ઊંચે રાખું, બીજી ઘડિયાળ જમીન પર મૂકું અને જો તે બે ઘડિયાળ સારી ક્વૉલિટીની હશે, તો તે જુદો સમય બતાવશે. આપણે એવી ઍટોમિક ઘડીયાળ બનાવી ચૂક્યા છીએ જેમની ઊંચાઈમાં ૪૦-૫૦ સે.મી.નો ફેર પડે તો તે જુદો સમય બતાવે. આ સંજોગોમાં, જોડિયા બહેનોમાંથી એક ધંધાર્થે વિમાન યાત્રાઓ કરતી હોય અને બીજી ગામમાં જ બેસી પેઢી સંભાળતી હોય તો તે બંનેની ઉંમર સરખી ગણવી કે? આપણું માથું આપણા પગ કરતાં વયવૃદ્ધ ગણવું કે?


જીપીએસ ગોઠવતી વખતે ફિઝીસીસ્ટ્સે કહ્યું કે અવકાશમાં ફરતા ઉપગ્રહ પર મૂકવાની ઘડિયાળ અને પૃથ્વી પરની ઘડિયાળનો સમય તેમજ સંરચના જુદાં રાખવાં પડશે. અવકાશમાંની ઘડિયાળ ધીમી ચાલશે. અમેરિકન સૈન્ય અધિકારી માન્યા નહીં, જીપીએસ ધાર્યું પરિણામ આપી ના શક્યું. 


અને એકસરખો સમય બતાવતી ઘડિયાળ થકી સમય સાથે તાલ મિલાવનારા આપણે જ્યારે 'અત્યારે' કહીએ છીએ ત્યારે? ધારોકે, તમે અને હું સામસામે બેસી વાત કરી રહ્યા છીએ; હું કહું છું, 'અત્યારે…' , તમે મારો 'અત્યારે' તમારા 'અત્યારે 'તરીકે સ્વીકારી લો છો;  પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ ચોક્કસ ઝડપે ગતિ કરે છે. એટલે કે, પ્રકાશના એક કિરણને અમુક અંતર કાપતાં અમુક સમય લાગે. એટલે કે, તમારા ચહેરા પરથી આવતા પ્રકાશ કિરણને મારી આંખ સુધી પહોંચવામાં કેટલીક નૅનો સૅકન્ડ થશે. એટલેકે, હું તમને અને તમે મને અમૂક નૅનો સૅકન્ડ જૂના જોઈએ છીએ, એટલે કે તમારો અને મારો 'અત્યારે' એક નથી.


ધારોકે, તમે ગુરુ પર છો. તો તમને હું ચાર કલાક જૂનો દેખાઈશ. પણ, તમે મને ચાહો છો એટલે તમે કોઈ ટૅકનોલૉજીની મદદથી ગુરુના સમય કરતાં ચાર કલાક ભવિષ્યમાં રહો છો જેથી મને તમે મારા 'અત્યારે'માં દેખાવ. પણ, તે સંજોગોમાંય તમને જોનાર હું તો મારા ભવિષ્યમાં પહોંચી ગયો. 


અને ધારો કે તમે બીજી આકાશગંગામાં છો, તો?

ગૂંચવાડાભર્યું છે ને! આઈન્સ્ટાઈન તમારી સાથે સહમત થતાં હતા. તેમના મતે 'સ્ટાન્ડર્ડ ટાઈમ' શક્ય નથી.


તો પછી, આપણે આપણી ઘડિયાળો ફગાવી દેવી?

ના.

કારણકે, આપણે એક એવા પરપોટામાં છીએ જેમાં એકંદરે સમય એકસરખો રહે છે. વળી, ઘડિયાળો આપણા દુન્વયી જીવનને જીવવામાં કામ પણ લાગે છે.


પેલો પરપોટો કયો?

આપણું મગજ સેકન્ડના દસમા ભાગના સમયને સમજી શકે છે; સંગીતકારનું મગજ એથીય ટૂંકા ગાળાને સમજવા સક્ષમ હોય છે. સેકન્ડના દસમા ભાગ જેટલા સમયના માપને ત્રિજ્યા ગણી તેનું વર્તુળ દોરીએ તો જે પરપોટો બને તે આપણી પૃથ્વી કરતાં ઘણો મોટો થાય; કારણકે સેકન્ડના દસમા ભાગ જેટલી પ્રકાશ લંબાઈ ઘણું મોટું માપ થાય. { ( 29 979 2458 m/s)/10= 29 979 245.8 m= 29979.246 km;  પૃથ્વીની ત્રિજ્યા 6371km}


આટલા પરપોટાના સમયને સ્થાનિક સમય કહી શકાય અને એકંદરે તે એકસરખો છે તેમ માની લેવાય.

જોકે, ભવિષ્યમાં આપણે સ્પેસ ટ્રાવેલ કરીશું ત્યારે પાછું આપણે ઘડિયાળ ગોઠવવું પડશે.


તો પછી આપણને, ન્યુટનની જેમ સમય એકધારો, કાંટાવાળી ઘડિયાળ બતાવે તેવો કેમ લાગે છે?

સમયનો ક્વૉન્ટમ એટલો નાનો* છે (10-44 ) કે તેના બે બિંદુ આપણે જુદા પાડી શકતા નથી અને એટલે તે આપણને સળંગ પ્રવાહ જેવો લાગે છે.

વળી, આપણે એકબીજાની સરખામણીમાં તિવ્ર ગતિ કરતા નથી. એટલે આપણે પ્રકાશની સૂક્ષ્મ આવનજાવન ગણકારતા નથી ( આપણો 'અત્યારે' એક માનીએ છીએ.) અને એટલે આપણે સમયને નિશ્ચિત માપનો ગણવાને બદલે અમાપ, નિ:સીમ, સળંગ માની બેસીએ છીએ.


વળી, પૃથ્વી પર ગુરૂત્વાકર્ષણ (સરખામણીમાં) અત્યંત નબળું છે. તેથી આપણે ત્યાં આઈન્સ્ટાઈનનો સ્પેસ-ટાઈમ સીધી રેખામાં છે, ચઢ-ઉતર(શૃંગ-ગર્ત) નથી. તેમજ,  આપણે એક પરપોટામાં છીએ, એટલે આપણે એક સમય વિશે વાત કરી શકીએ છીએ. 


આપણે આપણા પરપોટામાં 'અત્યારે' કહી શકીએ. બ્રહ્માંડની ઘટનાઓમાં કેટલીક ઉષ્મીય સમાનતા હોય છે, પણ તેમનામાં ના તો કોઈ ક્રમિકતા(પહેલાં-પછી) હોય છે, ના તો કોઈ સામાન્ય 'અત્યારે'.

બ્રહ્માંડના સ્તરે કોઈ 'અત્યારે' નથી.

ગાણિતીક સંકલ્પનાઓમાં અત્યારે કે પહેલાં-પછી નથી.


પાછા જઈએ મૂળ વાત પર, "વાસ્તવિકતા એટલે શું?"

ફિલોસૉફર્સ આ જ પ્રશ્ન પર સદીઓથી ચિંતન-મનન કરતા આવ્યા છે. 


વાસ્તવિક સમય એટલે શું? હું બાળપણથી જે કાંઈ ભણ્યો, રાજાએ વિશે, ફિઝિકસ વિશે તે બધું મારા મગજમાં સ્મૃતિ રૂપે સચવાયેલું છે. તે બધું અત્યારે પણ મારી પાસે છે. તેમને વાસ્તવિક ગણવું કે?


અવકાશ, સ્થળ વગેરે ભૌતિક બાબતો વગર આપણે વાસ્તવિકતા વિશે વિચારી શકીએ છીએ. પણ, સમય વગર તેનો વિચાર કરવો મુશ્કેલ છે. આપણને ખબર જ નથી કે સમય વગર વાસ્તવિકતા વિશે વિચારવું કઈ રીતે શરું કરવું. એવું નથી કે સમય વગર વાસ્તવિકતાનો વિચાર કરી શકાતો નથી. ( ક્વૉન્ટમ ગ્રેવિટીમાં સમય ચલ નથી.) આપણે સમય વગર વાસ્તવિકતા વિચારી શકતા નથી. 


આપણે સમયનું પસાર થવું, સમયનો પ્રવાહ મહેસુસ કરીએ છીએ આપણા મગજને કારણે. ઍન્ટ્રોપીના સરંજામ એવી ક્રિયાઓ અને તેની અસરનો ઉપયોગ આપણું મગજ સ્મૃતિઓ બનાવવામાં અને તે પરથી ગણતરી માંડીને  ભવિષ્ય અને ભવિષ્યની ધારણા કરવા કરે છે.


આપણે, આપણું મગજ ભૂતકાળની વાર્તા કહેનારા અને ભવિષ્ય માટે કાંઈક યોજના ઘડનારા મશીન તરીકે ઉત્ક્રાંત થયાં છે. છલકતી પ્રેરણાઓ, ભૂખ, તરસ, મહેચ્છાઓ, જિજ્ઞાસા, પ્રેમ, નફરત… તાર્કિક અસ્તિત્વ બનતાં પહેલાં આપણે એ બધું છીએ. આ વૃત્તિઓ જ આપણને ટકી જવા અને જીવનમાં આગળ વધવાનું જોમ પુરું પાડે છે, કારણકે ઉત્ક્રાંતિ ઈચ્છે છે કે આપણે એવા બનીએ.


ભવિષ્ય ઊઘડતું હોય ત્યારે આપણે જે બાબતો ઈચ્છીએ છીએ તે સમય લાવી આપે છે. વળી, તે આપણને ઘણું છોડવાની ફરજ પાડે છે. આથી, સમય લાગણીથી રંગાયેલો છે. સમય લાગણી નિરપેક્ષ નથી


ભૂતકાળમાં ઍન્ટ્રોપી નહિવત્ હતી તેનો અર્થ એમ નથી કે બ્રહ્માંડ સુવ્યવસ્થિત હતું. એ તો આપણે એક ભૌતિક તંત્ર તરીકે, આપણા વિશિષ્ટ દ્રષ્ટિકોણથી બ્રહ્માંડને એ રીતે જોઈએ છીએ, તેની સાથે એવી રીતે આંતરક્રિયા કરીએ છીએ (કે આપણને ભૂતકાળ પ્રમાણમાં વ્યવસ્થિત લાગે છે).


ધારો કે તમારા હાથમાં પત્તાં છે. તમે તે જોયાં અને તેની ગોઠવણ યાદ રાખી. હવે તે પત્તાં ચીપી દઈએ તો પેલી ગોઠવણ રહેતી નથી. પણ, તમે જે યાદ રાખેલી તે ગોઠવણ તમારા માટે ખાસ છે. કેમકે, તે તમે નક્કી કરેલી.

ટૂંકમાં, આપણે બ્રહ્માંડના એવા અંશ છીએ જે બ્રહ્માંડ સાથે એ રીતે આંતરક્રિયા કરે છે કે ભૂતકાળ આપણને વ્યવસ્થિત ગોઠવાયેલો લાગે છે. 


વ્યવસ્થા જોનારની આંખમાં છે, વસ્તુમાં (અને સ્થિતિ માં) તે નિહિત નથી.  (લાલ-લીલા દડા)


અહીં બ્રહ્માંડ ખાસ નથી, બ્રહ્માંડના અંશો, આપણે ખાસ છીએ. મને લાગે છે કે ભૂત-ભવિષ્યને છૂટાં પાડનાર એક તત્ત્વ આ હોઈ શકે છે.


હું, મારા કેટલાક સાથી ફિઝીસીસ્ટ અને કેટલાક દાર્શનિક એવા તારણ પર પહોંચ્યા છીએ કે સમય પસાર થવાની, સમય વહ્યાની આપણને જે સ્પષ્ટ અનુભૂતિ છે તેનું કારણ ક્વૉન્ટમ ગ્રેવીટી, જનરલ રીલેટીવીટી, ક્વૉન્ટમ મિકેનીક્સ, થર્મોડાયનેમિક્સમાં નહીં પણ જે રીતે, આપણું મગજ કામ કરે છે તેમાં રહેલું છે.


સમયને જાણવા બ્રહ્માંડના ઉષ્મિય બંધારણ કરતાં આપણા મગજને જોવું વધારે જરૂરી છે.


બુદ્ધિઝમ મુજબ, ૧) જીવન દુઃખમય છે અને ૨) આપણે અનિત્યને સંભાળી,સમજી શકતા નથી એટલે દુઃખી થઈએ છીએ. દુઃખનું મૂળ સમય વિશેની આપણી સમજમાં રહેલું છે. 

સમયનું આ લાગણીભીનું પાસું ઝાકળનું એવું આવરણ છે જે આપણને સમયનો અસલ સ્વભાવ જોવા દેતું નથી. આપણે પોતાને ગૂંચવી રહ્યા છીએ કારણકે, આ લાગણી મઢ્યો સમય જ આપણા માટે સમય છે.


આપણા માટે સમય એટલે જગતની ઘટનાઓ સાથેનું આપણું લાગણીભર્યું જોડાણ, જે પસાર થઈ જાય છે, વહી જાય છે, જે આપણે ગુમાવીએ છીએ, જે ગુમાવવાની ધારણા આપણને સતાવે છે. સમયને આપણે આમ સંવેદીએ છીએ.


આપણા માટે સમય એક પરિમાણીય બિંદુ નથી; થર્મોડાયનેમિક્સ, દુનિયા સાથેનો આપણો ખાસ સંબંધ, ભવિષ્ય માટેની આપણી ધારણાઓ, લાગણીઓથી સિંચાયેલું આપણું મગજ અને આ બધા સ્તરોની સાગમટી સંકુલ સ્થિતિને આપણે સમય તરીકે અનુભવીએ છીએ. આપણી બહાર, મગજને ગણતરીમાં લીધા વગર બ્રહ્માંડની ભૌતિકીના અભ્યાસમાં જેમ આગળ વધતા જઈએ, સમય સંબંધી મુદ્દા ખરતા જાય છે, ઉષ્ણતામાન નબળું પડતું જાય છે, સમયની સમજમાં કશી ચૂક રહી જાય છે.


સમય વિશેની લાગણી એ આપણા માટે સમય છે.


_કાર્લો રોવેલી (ફિઝીસિસ્ટ, 'ઑર્ડર ઓફ ટાઈમ'ના લેખક)



*ન્યુટનના ગુરુત્વાકર્ષણ g, પ્લાનકના અચળાક h અને પ્રકાશની ઝડપ c પરથી સમયનું સાર્થક લઘુત્તમ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેના વધુ નાના ટૂકડા શક્ય નથી, જેમ મૂળભૂત પરમાણુના ટૂકડા શક્ય નથી.